ર૦ર૪ની લોકસભાની ચૂંટણી ભારતના ઇતિહાસમાં પ્રથમ એવી ચૂંટણી હશે કે જેમાં દેશનો કોઇ પણ માણસ કહિ શકે કે ભાજપનો વિજય થશે. મોદીનો વિજય થશે. ભાજપ સમર્થકો તો ૪૦૦ બેઠકની રામધુન લગાવી રહયા છે. ભાજપ નહિ જીતે, ભાજપ માટે આ વખતે ટફ છે એવા ધીમા અને દબાયેલા સૂર દૂર સુદૂર સુધી સંભળાતા નથી. ભારતિય લોશકાહિમાં માત્ર દસ વર્ષના ગાળામા ભાજપ અને સાથી પક્ષોના એનડીઓનું વિજયનું એવુ અમૃત તૈયાર થયુ છે જે લોકશાહિ માટે વિષ બની ગયુ છે. વિપક્ષ વિહિન લોકશાહિની કલ્પના બુધ્ધીજીવીઓને માટે ચિંતાનો વિષય બની છે. વિપક્ષી નેતાઓ ઉપર ચોમેરથી છાપા પડી રહયા છે. સરકારી એજન્સીઓ ધોંસ બોલાવી રહી છે. રાહુલની સભા ન થાય કે આસામ ,બંગાળમાં તેની સામે પ્રતિરોધ ઉભા થાય છે એવા આક્ષેપો રોજીંદા બન્યા છે.
દેશમા લોકશાહિ આટલી કરૂણ હાલતમાં આવી ગઇ તેનું કારણ વિપક્ષોની નીતિ ,રીતિ અને અનીતિ છે. એનડીએ સામે મોટા ઉપાડે શરૂ જાહેર કરાયેલુ કોંગ્રેસ અને સાથી પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન તુટી પડવાની કગાર ઉપર છે. એક વખત જેમને આ સંગઠનના કન્વીનર બનાવવાની શકયતા હતી તે નીતિશકુમાર ખુદ ઇન્ડિયા સંગઠન છોડી એનડીએ સાથે ચાલ્યા ગયા. વિપક્ષી એકતાને ખુબ મોટો ધકકો લાગ્યો. ઇન્ડિયા સંગઠનમાં ર૭ સંગઠન હતાં. પરંતુ કેટલાક પક્ષો તો એવા છે કે તેમની પાસે લોકસભાની બેઠક પણ નથી. નીતિશે ઇન્ડિયા છોડયુ બાદમાં અખિલેશ,મમતા, આમ આદમી પાર્ટી પણ એ જ લાઇન ઉપર છે.
કોંગ્રેસને બાદ કરતાં નોંધપાત્ર લોકસભાની બેઠક ધરાવતાં પ્રાદેશીક પક્ષોની ૪ ચારઆની રૂપિયો નથી બની શકતી. કારણ કે તેમને તેમના પ્રદેશમાં પોતાની સતા માત્ર ટકાવવી જ નથી. અન્ય કોઇ પક્ષ સાથી પક્ષોનો પગપેસારો પણ નથી કરવા દેવો. આમ તારું મારું સહિયારુ, મારુ મારા બાપનું એ માનસિકતા સાથે વિપક્ષી નેતાઓ સંગઠન કરવા નિક્ળ્યા છે. આમાં કોંગ્રેસની હાલત ખુબ ખરાબ છે. લોકસભામાં પર બેઠકો ધરાવતાં કોંગ્રેસને બિહારમાં લાલુ દબાવે છે. પશ્ચિમ બંગાળમાં મમતા તેમને બેઠકની ફાળવણીમાં ભાવ નથી આપતાં એવી જ હાલત ઉતર પ્રદેશમા ટિકિટની ફાળવણીમાં અખિલેશ કરી રહયા છે. કારણ કે આ રાજયોમાં કોંગ્રેસનું ગત લોકસભાનું અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ખુબ કંગાળ રહયુ છે. જેટલી બેઠક ઉપર કોંગ્રેસનો જીતવાનો ચાન્સ છે અથવા સ્થાનિક પક્ષ પોતે જીતી શકે તેમ નથી એ બેઠક કોંગ્રેસને આપી હાથ રાખવા માંગે છે.
મતલબ કે ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનો કોઇ ચહેરો હજુ સુધી બન્યો નથી.બનશે તો પણ જીતશે નહિ. ભાજપે નીતિશ જેવાને સાથ લઇ ૪૦૦ બેઠકના હિસાબ ગોઠવી લીધા છે.ભાજપ એવુ માન છે કે જો જીતા વોહિ સિકંદર.