By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્ત્રી હોવાનું સૌથી મોટું ગૌરવ એટલે પોતાના બાળકને કરાવવામાં આવતું સ્તનપાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

સ્ત્રી હોવાનું સૌથી મોટું ગૌરવ એટલે પોતાના બાળકને કરાવવામાં આવતું સ્તનપાન

agragujaratnews
Last updated: 2023/10/07 at 12:24 PM
2 years ago
Share
સ્ત્રી હોવાનું સૌથી મોટું ગૌરવ એટલે પોતાના બાળકને કરાવવામાં આવતું સ્તનપાન
SHARE

  • બ્રેસ્ટ ફીડિંગ : સંપૂર્ણ માતૃત્વનો અહેસાસ
  • બ્રેસ્ટ ફીડિંગ વીક સ્પેશિયલ

કહેવાય છે કે માના દૂધની ગરજ કોઈ સારી શકતું નથી, તમે અઢળક રૂપિયા ખર્ચીને સારામાં સારું દૂધ કે બીજાં કોઈ પણ સપ્લિમેન્ટ્સ બાળક માટે લાવો તો પણ તે માતાના દૂધની તોલે ન જ આવી શકે. ગર્ભાવસ્થા બાદ માતાના શરીરમાં થતી આ કુદરતી પ્રક્રિયા છે જે બાળક માટે અમૃતસમાન છે. માતાના દૂધમાંથી તેને માત્ર પોષણ જ નહીં પણ બાળકને પોતાની માતાની હૂંફ, પ્રેમ, તેનો સ્પર્શ, લાગણી અને તેની સુગંધ માણવાનો જે મોકો મળે છે તે ઉપરના દૂધમાં શક્ય નથી. ઘણી ઘટનાઓ જોયા બાદ એવું લાગે કે સ્ત્રી કરતાં પુરુષ અવતાર સારો પણ ખરું પૂછો તો સ્ત્રી અવતાર નસીબદારને જ પ્રાપ્ત થાય. પોતાના બાળકનું બીજ ગર્ભમાં રોપાય ત્યારથી જ સ્ત્રી પોતાના ગર્ભમાં ઉછરતા એ અંશનો અનુભવ કરી શકે છે. તેના માટેની લાગણી પણ એ જ દિવસથી તેની અંદર ઉછરવા લાગે છે. નાનું બાળક જ્યારે આ ધરતી પર જન્મ લે અને પહેલી વાર પોતાની માતાની છાતીએ વળગીને સ્તનપાન કરે તેની અનુભૂતિ, તેની લાગણી અને તેનો ઉત્સાહ અલગ જ હોય છે. સી સેક્શન ડિલિવરી થઈ હોય અને કલાક દોઢ કલાક બાદ થોડો થોડો હોશ આવ્યો હોય તો પણ માતાની ખુશી એટલી જ હોય છે. એ લાગણી અવર્ણનીય છે, નાના બે કોમળ હોઠનો સ્પર્શ, ફૂલ જેવા હાથનો સ્પર્શ તમને લાગણીથી તરબતર કરી દે છે.

આમ તો એક સમયે સ્તનપાન કે બ્રેસ્ટ ફીડિંગ જેવા શબ્દો પણ છાના ખૂણે બોલાતા હતા. હા, ખેતરમાં સાવ નાના બાળકને સાથે લઇને જતી મહિલાઓ માટે એવી શરમ પાલવે તેમ નહોતી પણ કહેવાતા સભ્ય સમાજમાં જાહેરમાં બ્રેસ્ટ ફીડિંગ કે સ્તનપાન જેવા શબ્દો બોલતાં લોકો ખચકાતા. હવે એ સમય ભૂતકાળ થઇ ગયો. આજે નાનું બાળક રડતું હોય તો ખુદ પતિ જ તેની પત્નીને હકથી બધાં વચ્ચે એમ કહે છે કે બચ્ચાને ભૂખ લાગી લાગે છે, તેને ફીડ કરાવી દે. હવે એ બાબતે કોઇ છોછ નથી રહ્યો. વિદેશમાં તો સ્ત્રીઓ રોડ ઉપર ખુલ્લેઆમ બાળક બાળકને ફીડ કરાવી શકે છે અને એને જોઇને આપણાં દેશની જેમ કોઇની બે આંખો ચાર પણ નથી થતી. આપણાં દેશમાં ગરીબ મહિલાઓ કે જેમને રહેવા ઘર નથી તે એ રીતે ફીડ કરાવે છે પણ ભણેલી ગણેલી મૉડર્ન સ્ત્રીને કદાચ પોતાના બાળકને જાહેરમાં કોઈ મૉલમાં કે બીજાં જાહેર સ્થળે ફીડ કરાવવું પડે તો ઘણાં લોકો તેની સામે જ જોતા હોય તેવું જોવા મળશે. ખેર, સમય જતાં આપણાં દેશમાં પણ બદલાવ આવશે એવી આશા રાખીએ.

જોકે આજકાલના સભ્ય સમાજમાં એક નવો ટ્રેન્ડ પણ ચાલ્યો છે, હવે સ્ત્રીઓને પોતાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું ખાસ ગમતું નથી. સ્તનના શેપની ચિંતા, ફીડિંગમાં અણઆવડત અને ઘણાં કેસમાં એનું ઇરિટેશન પણ ખરું જ. ઘણી સ્ત્રીઓની અંદર એટલી ધીરજ પણ નથી હોતી. ઘણી સ્ત્રીઓને તે ગમતું નથી હોતું તો કોઈ જોબ ઉપર જલદી જવાની ઇચ્છાના કારણે બાળકને ફીડિંગ નથી કરાવતાં. આ વાત સાંભળવામાં કડવી લાગશે પણ કડવી હકીકત છે. અલબત્ત, ઘણાં કેસમાં માતાને પૂરતું ધાવણ ન આવતું હોવાથી નાછૂટકે ડૉક્ટર માતાને બહારનું દૂધ આપવાનું કહે છે.

આ સપ્તાહને બ્રેસ્ટ ફીડિંગ સપ્તાહ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, ત્યારે બ્રેસ્ટ ફીડિંગથી થતા ફાયદા વિશે થોડી વાત કરવાનું મન થાય.

સ્તનપાનના ફાયદા

બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે સ્તનપાન ખૂબ જરૂરી છે. સ્તનપાનને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. માતાના ધાવણમાંથી બાળકને કાર્બોહાઇડ્રેટ્સ, ફેટ, પ્રોટીન, મિનરલ્સ અને આયર્ન આ બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એ સિવાય માતાનું દૂધ જંતુરહિત હોય છે, મતલબ કે તેમાં બાળકના સ્વાસ્થ્યને નુકસાન કરતાં બેક્ટેરિયા નથી હોતા, જેથી બાળક સાવ કુમળી વયે અનેક રોગથી બચી શકે છે. માતાનું દૂધ લેતું બાળક જલદી બીમાર નથી થતું, તેને ઇન્ફેક્શન ઓછાં પ્રમાણમાં લાગે છે. એ સિવાય પેટને લગતી સમસ્યા જેમ કે, ડાયેરિયાનો ભય પણ ઓછો રહે છે, સિવાય કે માતા યોગ્ય રીતે ખોરાક ન લેતી હોય તો બાળકને ગેસ કે અપચો થવાની સંભાવના રહેતી હોય છે. અનેક સરવૅના રિપોર્ટ્સ એવું કહે છે કે માતાનું ધાવણ જે બાળકે પૂરતાં પ્રમાણમાં લીધું હોય અને પૂરતાં સમય સુધી લીધું હોય તે બાળકનો બુદ્ધિ આંક બીજાં બાળકોના પ્રમાણમાં વધારે સારો હોય છે. ભવિષ્યના અમુક રોગની વાત કરીએ તો પૂરતાં સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ કરનાર બાળક દમ, હૃદયરોગ, ખરજવું, ડાયાબિટીસ જેવી સમસ્યાથી પણ એકંદરે વધારે સુરક્ષિત હોય છે.

સૌથી મોટો પ્રશ્ન બ્રેસ્ટ ફીડિંગ કેટલો સમય કરાવવું?

સરકાર દ્વારા બનાવવામાં આવેલા Breast Feeding Promotion Network Of Indiaના મત મુજબ બાળકના જન્મના પ્રથમ કલાક બાદ તરત જ જો માતા કોન્શિયસ હોય તો બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઇએ. ઘણી વાર સિઝેરિયન સમયે માતાને જલદી હોશ નથી આવતો, એવા સમયે થોડી રાહ જોવાતી હોય છે, બાળક આ સમયગાળામાં રડે છે તો પણ ડૉક્ટર પહેલી વાર તો માત્ર માતાનું દૂધ પીવરાવવાનો જ આગ્રહ રાખતા હોય છે. ડૉક્ટરનો આ આગ્રહ ખોટો પણ નથી. જન્મ બાદ પહેલી વાર માતાનું ધાવણ જ આપવું જોઇએ. આપણી માન્યતાઓ અલગ છે બાકી ડૉક્ટર તો ગળથૂથી આપવાની પણ ના કહે છે. ગળથૂથી તો ઠીક પ્રથમ છ માસ સુધી બાળકને પાણી પણ ન આપવું, પાણીને બદલે માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવું જોઇએ.

આમ તો ડૉક્ટર એકથી દોઢ વર્ષ સુધી બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું કહે છે. પહેલાં એવું કહેવાતું કે એટલો લાંબો સમય બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી બાળક માનસિક રીતે ઢીલું બને છે, તે જલદી માતાને છોડી નથી શકતું પણ મેડિકલ સાયન્સે આ માન્યતાને ખોટી ઠેરવી છે. એ જ રીતે જો માતાને દૂધ ઓછું આવતું હોય કે બીજી કોઇ સમસ્યાને કારણે સ્તનપાન કરાવવા તે સક્ષમ ન હોય તો પણ ડૉક્ટર તેને સતત પ્રયત્ન કરતાં રહેવાનું કહે છે. નોકરિયાત માતાને ઓછામાં ઓછું છ મહિના સુધી સ્તનપાન કરાવવાનો આગ્રહ દરેક ડૉક્ટર રાખતા હોય છે. છ મહિના સુધી દરેક બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું, બાળક છ મહિનાનું થાય એ પછી તેને સ્તનપાનની સાથે બીજો ખોરાક આપી શકાય.

સ્તનપાનથી માતાને થતા ફાયદા

પહેલી વાત કે બાળકને લાંબો સમય સુધી સ્તનપાન કરાવવાથી માતાના સ્તનનો શેપ ભલે થોડો અલગ થઇ જાય, તે ઢીલાં પડી જાય પણ સમય જતાં કસરતની મદદથી તમે તેને યોગ્ય શેપમાં ઢાળી જ શકશો પણ બાળકને ફરી સ્તનપાન કરાવવાનો લહાવો સમય સરી જતાં નહીં મળે. સ્તનપાન કરાવતી માતાને આગળ જતાં બ્રેસ્ટ કેન્સર થવાનો ભય ઓછો થઇ જાય છે. તેને ગર્ભાવસ્થા બાદ જે રક્તસ્ત્રાવ થતો હોય તે સ્તનપાન કરાવતી સ્ત્રીને પ્રમાણમાં ઓછો થાય છે. પરિણામે એનિમિયા જેવી સમસ્યાથી બચી શકાય છે, મેદસ્વીપણાથી બચી શકાય છે. યાદ રાખો, લાંબો સમય સ્તનપાન કરાવતી મહિલાના ગર્ભાશયનું સંકોચન પણ જલદી થાય છે જેથી પેટનો ભાગ પણ ઘટી જતો હોય છે. સૌથી મોટી વાત કે ફીડિંગથી માતા અને બાળક વચ્ચેનો સ્નેહતંતુ મજબૂત બને છે જે આગળ જતાં બાળકના વિકાસમાં ખૂબ ઉપયોગી થાય છે.

અને છેલ્લે

ઘણી જગ્યાએ સ્ત્રીઓ પૈસા માટે અમુક પ્રકારની દવા લઈને નવજાત શિશુને સ્તનપાન કરાવતી હોય છે. આ એવી સ્ત્રીઓ છે જે ગર્ભવતી નથી થઇ પરંતુ અમુક પ્રકારની દવા લઇને આ સારું કાર્ય કરે છે. જે બાળકો અનાથ હોય કે જે બાળકોને માતાનું દૂધ કોઈ કારણસર ન મળતું હોય તેના માટે ખાસ આ શોધ થઈ છે. જો સ્ત્રીઓ પૈસા માટે આ કાર્ય કરતી હોય તો સગી માતાને દૂધ આવતું હોય તો તેણે બીજા કોઈ વિચારો મનમાં લાવ્યા વગર કમ સે કમ છ કે તેથી વધારે મહિના સુધી પોતાના બાળકને સ્તનપાન કરાવવું જ જોઈએ.

You Might Also Like

Health Tips : ચોકલેટ ખાવાનું મન પરંતુ દાંતમાં કેવીટી થવાનો ડર, સમસ્યા થશે દૂર બસ કરો આ ઘરેલુ ઉપચાર

Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત

Health News : ફેફસાનું કેન્સર, ફક્ત ધ્રૂમ્રપાન નહીં આ બાબતો પણ હોઈ શકે કેન્સરનું કારણ, જાણો

Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
રાષ્ટ્રિય

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

By 23 hours ago
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?