શરીર સાચવજો, દેહને દેવ માનજો, દેહરૂપી દેવની પૂજા કરવી
કથામાં બધા ‘જમવા’ નથી આવતા પણ ‘જંપવા’ આવે છે!
રામકથા સુખનું સંપાદન કરે છે, મારો-તમારો વિષાદ દૂર કરે છે
મેઘાણીભૂમિ-બગસરાના વાયુમંડળમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની દિવ્ય ચેતનાને સમર્પિત પ્રિય બાપુની રામકથા ‘માનસ મેઘાણી’ના પાંચમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ સૌ કથા પ્રેમી, રામપ્રેમીને ભાવથી ‘જય સિયારામ’ સાથે કહ્યું હતું કે આપ સૌ તરફથી વ્યાસપીઠને ઘણી જિજ્ઞાસાઓ લખાઇને આવે છે, એ સૌના જવાબો મારી સમજ અને સમય મુજબ આપવાનો હું પ્રયત્ન કરૂ છું, પણ તમારા બધા જ પ્રશ્નો કે જિજ્ઞાસાઓના મારી પાસે જવાબ હોય એવું ન માનશો. આજે એક ચિઠ્ઠી મળી છે, ગામડાની બહેનોએ લખ્યું છે, બાપુ, અમે હામાપરની બાજુના ગામડામાંથી રોજ કથામાં આવીએ છીએ. અમને લખતા નથી આવડતું પણ અમારા ગામની શિક્ષીકા બહેન પાસે આ ચિઠ્ઠી લખાવી છે. તો બાપુ, અમારે દેહનું શું ગણવો? ચિત્તને કેમ સજવું? અને અહંકારની સાથે કેમ જીવવું? એ અમને કહો. જવાબ : મારી બહેનો-દિકરીઓ શરીરને સાચવજો બાપ! દેહને દેવ માનજો, દેહરૂપી દેવની રોજ પૂજા કરવી. તમે દ્વારિકા મંદિર તો ગયા હશો ત્યાંના બ્રાહ્મણ-પૂજારી ઠાકોરજીને શણગાર કરે પછી ઠાકોરજી સામે અરીસો ધરે છે, એટલે કે ઠાકોરજી શણગાર કર્યા પછી એ કેવા રૂપાળા દેખાય છે એ અરસો બતાવીને પછી અરીસો પોતાની છાતીએ ચાંપે છે. તો આ શરીર દેહ ખૂબ સાચવવું. મનુષ્ય શરીર દુર્લભ છે. એમ ભગવદ ગીતામાં કહેવાયું છે.
તો પ્રેમ દેહસેવા પછી દેવ સેવા તમે જેમ માનતા હો એ દેવની સેવાપૂજા કરવી, પછી દેશસેવા-મેઘાણીભાઇએ દેશની ચિંતા કરી છે, દેશ સેવા કરી છે. પોતાની કવિતા દ્વારા એણે યુગવંદના કરીએ મેઘાણીજીની દેશ સેવા છે. દિલ સેવા. જયાં ત્યાં દિલ ન આપી દેવું! દિલ એક મંદિર છે. ફિલ્મના ગીતની પંકિત છે કે
દિલ એક મંદિર હૈ
પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા
યે પ્રિતમ કા ઘર હૈ….
દિલ એક મંદિર… હૈ
તો દિલ સેવા જરૂરી છે. એ ગમ્મે તેને ન દેવાય! અહંકાર હોય પણ એ શિવરૂપ હોવો જોઇએ જગત કલ્યાણ માટેનો અહંકાર રાખવો. આપણે જીવ છીએ એટલે સ્વાભાવિક અહંકારનું તત્વ આપણામાં હોવાનું પણ એ અહંકાર શિવરૂપ થાય તો સાર્થક.
ઝવેરચંદ મેઘાણીને ચંદ્ર ખૂબ પ્રિય છે. એમના નામમાં પણ ‘ચંદ’ શબ્દ છે જ. ઝવેરચંદ એટલે પોતાના ઝવેરને, પોતાની નીપજતાને, પોતાની અસ્મિતાને, પોતાની મોલિકતાનો ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવે તએનું નામ ઝવેરચંદ મેઘાણી, મેઘાણીભાઇએ ચરિત્રો ખૂબ લખ્યા છે. સંતો, મહંતો, સાધુ, બહારવટીયાઓના એમ એમણે ચરિત્ર નિર્માણનું, ચરિત્ર સર્જનનું બહુ મોટું કામ કર્યુ છે. મેઘાણીભાઇ બહારવટીયાઓ વિશે લખે છે કે બારવટીયા કેમ બને છે? તો મેઘાણી ત્રણ મહત્વના કારણો આપે છે (૧) ભૂમિપતિઓના ત્રાસને કારણે, એ લોકો ગરીબ માણસોની જમીન પચાવી પાડી અને વધુને વધુ જમીન પોતાની કરે છે પરિણામે એ ભૂમિ પતિઓના ત્રાસમાંથી બારવારીયા જન્મે છે. (૨) વ્યાજખોરોને કારણે… વ્યાજ, વ્યાજનું વ્યાજ, અભણ-ગરીબો લોકો પાસેથી આ વ્યાજખોરો શોષણ કરે છે એને કારણે બારવારટીયા બને છે. (3) પોતાના પાપને કારણે, ખોટું ખાવાથી, ખોટું પીવાથી જે પાપને માર્ગે ચાલે છે એ બારવટીયા બને છે.
મહુવા પાસે કતપર ગામની એક કોચીની પ્રસંગ મેઘાણીભાઇએ લખ્યો છે. દરિયાકાંઠાનું કતપર ગામ. એક શેઠનું વહાણ એક ભાઇ સંભાળે છે. નવું-નવું જ વહાણ દરિયાઇ સફરમાં જાય છે અને વહાણ દરીયામાં ડૂબી જાય છે.
વહાણનો ખલાસી પણ વહાણ સાથે ડૂબી જાય છે. લોકો માડીને કહે કે માડી, તમે શેઠ પાસે વળતર માંગો, તમારો પતિ-તમારો દિકરો એ વહાણમાં મરી ગયા તો તમે શેઠ પાસે તમારા જીવન નિર્વાહ માટે વળતર માંગો, ત્યારે એ ડોશી જે જવાબ આપે છે એ સૌએ યાદ રાખવા જેવો છે. આજના યુવાનોને ખાસ એમાંથી પ્રેરણા લેવા જેવો જવાબ છે, ડોશી કહે હું કેમ વળતર માંગુ? શેઠનું તું આખે આખુ વહાણ ડૂબી ગયું છે ત્યારે મને વળતર માંગવાનો અધિકાર નથી! આ છે ગામડાની ધૂળની ખાનદાની અને સંસ્કાર. અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઇ ત્રીવેદી એક વખત અમારા અસ્મિતાપર્વમાં બોલ્યા હતાં, એક સૂત્રપાત કરતા એ બોલ્યાં હતાં કે શિષ્ટ સાહિત્યના લોકોને ધૂળની એલજી હોય છે!
જાણીતા હાસ્યકાર જગદીશ ત્રિવેદી પાસે બાપુએ ‘ચોઘડિયા’ વિશેની વાત કરવા વિનંતી કરી હતી ત્યારે જગદીશભાઇ બોલ્યા કે બ્ધા ભાઇબંધ, દોસ્તારો, ચાના બંધાણી ભાઇબંધોને આ પીવાની ઇચ્છા થાય, ચા પીવાનું મન થાય એ શુભ, ચોઘડીયું કેવાય! પછી ચા માટે એ લોકો હોટલ તરફ ચાલે છે એને ચલ ચોઘડીયું કહેવાય! પછી એ ભાઇબંધોને સારામાં સારી હોટલ મળે એને લાભ ચોઘડીયું માનવું! અને પછી બધા ભેગા મળી એકદમ મસ્ત, કાઠીયાવાડી, ભરવાડી ચા પીવે અમૃત જેવો ઓડકાર આવે એ અમૃત ચોઘડીયું કેવાય અને પછી ચા પીતા હોય ત્યારે પત્નીનો ફોન આવે તો એ ઉદવેગ ચોઘડીયું કહેવાય! અને વાત કરતા-કરતા પત્નીનો ફોન કાપી નાખો તો એ રાગ ચોઘડીયું કેવાય!
રામચરિત માનસ અને ભગવદગીતામાં પણ વર્ણના લક્ષણો બતાવ્યાં છે. ક્ષત્રિય કોણ? બ્રાહ્મણ કોણ? વૈશ્ય કોણ અને શ્રેષ્ઠ ઉદુ શબ્દ મને નથી ગમતો કેમ કે આપણે જેને ક્ષુદ્ર માનીએ છીએ એ જ શ્રેષ્ઠ છે. આપણી ગંદકીઓ સાફ કરે એને ક્ષુદ્ર નહીં શ્રેષ્ઠ માનજો, એ શ્રેષ્ઠ છે.
ભારતીય ક્રિકેટ ટીમ અને હનુમાનજી
કથાના પ્રેમસંવાદ દરમ્યાન પ્રિયબાપુએ આપણી ભારતીય ટીમને યાદ કરતાં કહ્યું હતું કે હું બૌ રાજી છું. આપણી ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપ વિજેતા થઇ અને વિશ્વકપ ટ્રોફી લઇને જતાં હતાં તો રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું તો આપણી ટીમ હનુમાનજીના ચરણોમાં મૂકીને એમના આર્શિવાદ મેળવ્યાં તો કેટલાક લોકોએ એમ પણ બોલ્યા, આમા સાંપ્રદાયીકા ન હોવી જોઇએ! એવા લોકોને મારે કહેવું છે કે હનુમાનજીના ચરણોમાં ન ધરે તો શું તારા ચરણોમાં ધરે??? બાપ, હું ખૂબ પ્રસન્ન છું કે આપણી ક્રિકેટ ટીમે હનુમાનજીના ચરણોમાં વિશ્વકપ ધર્યો એ ખૂબ સારી ઘટના છે.
કથા રત્નો
- રૂપ બદલાય પણ સ્વરૂપ તો એક જ હોય
- વર્ણ એ સંસ્કાર નથી વિકાર છે
- જેનામાં બાર પ્રકારના વટ હોય એ બારવાટીયા (બહારવટીયા કહેવાય)


