ઉતરાખંડ સરકાર બાદ, ગુજરાત,આસામ,રાજસ્થાન સહિતની ભાજપની સરકાર પણ લાવશે યુસીસી
દેશમાં આઝાદી સમયે ભારતનું બંધારણ ઘડવામાં આવતું હતું ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ વિષે ચર્ચાઓ શરૂ થઇ હતી. ભારત અને પાકિસ્તાનના ભાગલા ધાર્મિક આધારે પડયા હતાં ત્યારે બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર, કનૈયાલાલ મુનશી વગેરેએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા બાબતે ભીન્ન મત આપ્યા હતાં. ડો.આંબેડકર વિવિધ ધર્મો અને જાતિને તેમાં સ્વયં મત બનાવી સ્વૈચ્છીક રીતે લાગુ કરવા જોઇએ એવો પક્ષ રાખ્યો હતો. કનૈયાલાલ મુનશી માનતાં હતાં કે બંધારણ એક છે તો દેશમાં કાયદો પણ એક હોવો જોઇએ. છેવટે એવો નિષ્કર્ષ નિકળ્યો કે દેશના ધર્મના આધારે તાજેતરમાં જ ભાગલાં થયા છે એટલે તાત્કાલીક ધોરણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો દેશમાં ધાર્મિક સંઘર્ષ થશે. દેશને પરિપકવ થાય એટલો સમય આપો. જો કે ભારતની સુપ્રીમ કોર્ટના પ્રભાવ ક્ષેત્રમાં આ બાબત સીધી રીતે નથી આવતી. પરંતુ જુદા જુદા કેસ સમયે સુપ્રીમ કોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડનો દેશમાં અમ થવો જોઇએ. વન નેશન વન લો હોવો જોઇએ એવા મંતવ્ય આપ્યા છે.
બંધારણનો અમલ થયો અને હવે આઝાદીને ખાસ્સો સમય થઇ ગયો છે ત્યારે ફરી એક વખત યુસીસીના અમલ માટે ભાજપની સતા હોય એવા અનેક રાજયો આગળ આવ્યા છે. ગોવામાં સૌ પ્રથમ પોર્ટુગીઝ સરકારના સમયથી યુસીસીનો અમલ છે. હવે ઉતરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ લાગુ પાડયો છે. આ કાયદાના અમલથ વિવિધ ધર્મ અને જાતિના પર્સનલ લો ખતમ થઇ જશે. જે સરળતાથી સમજીએ તો મુસ્લીમ પર્સનલ લો છે. કેટલીક આદિવાસી જાતિમાં લગ્ન,બહુપત્નીત્વ, સંપતિની વહેંચણી માટ હજુ તેમના જાતિના અથવા ધર્મના સંગઠન દ્વારા જ કાયદા ચાલે છે. જો યુસીસી લાગુ થાય તો બંધાર્ણના પાયાના અધિકારનું હનન થાય એવી દલીલ છે. બીજી બાજુ મહિલાઓને રૂઢિચુસ્ત કાયદાથી નુકસના છે તેવી દલીલ છે. ૧૯૮પમાં શાહબાનો કેસથી આ મામલે ખુબ દલીલ થઇ હતી. હાલ કર્ણાટકના ગવર્નર આરીફ મોહમદ ખાને રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામુ આપી દીધુ હતું. સુધારાવાદી મુસ્લીમ તરીકે તેઓ ભારતમા ચહેરો બન્યા છે.
દા.ત. મુસ્લીમ પર્સનલ લોની વાત કરીએ તો મુસ્લીમોમાં ત્રિપલ તલાક મહિલાઓના હકકની વિરૂધ્ધ છે. ભારતના નાગરિક ધારો ૧૮ વર્ષની વયે લગ્નની પરવાનગી આપે છે. પર્સનલ લો ૧૬ વર્ષ યુવતીને લગ્નની પરવાનગી આપે છે. પર્સનલ લો મહિલા સભ્યને સંપતિમાંથી રપ ટકાની જોગવાઇ કરે છે. જયારે સમાન ધારો સમાન હકક મુજબ પ૦ –પ૦ ટકાના બે ભાગ આપે છે. આમ યુસીસીની તરફેણમાં જે દલીલો છે તે હાલ આગળ આવી છે.
પરંતુ તેના વિરૂધ્ધમાં બંધારણ મૂળભુત અધિકારોનું આ કારણે હનન થાય છે અને આદિવાસી સહિતની અનેક જાતિઓના પોતાના કબિલાના કાયદા હોય છે તેની જીવન શૈલી, સામાજીક જીવન શૈલીને અને ભારતની વૈવિધ્યતા ઉપર કુઠારાઘાત પણ કહેવાય છે.
જો કે, દેશમાં મહિલાઓની સમાનતાની ચળવળ તેજ બની છે ત્યાર બાદ યુસીસીને સતત વધુ સમર્થન મળી રહયુ છે. સુધારાવાદી મુસ્લીમ સમાજમાંથી મુસ્લીમ મહિલાઓ હવે સોશિયલ મિડિયા ઉપર યુસીસી લાગુ કરવાની માગણીને બુલંદ બનાવી રહી છે. મોદી સરકાર હંમેશા યુસીસીની તરફેણમાં રહી છે. દેશ આઝાદ થયો અને હવે પરિપકવતાના નવા યુગમાં આવી રહયો છે ત્યારે પર્સનલ લો હેઠળ સમાજના કોઇ વર્ગનું શોષણ ન થાય અને એક જ દેશમાં તમામને મહિલા અને પુરુષોને સમાન હકક મળે તે બાબતનો આગ્રહ રાખે છે. યુસીસીથી મહિલાઓને બંધારણિય હકક મળશે. જે પર્સનલ લો માં નથી. આથી મહિલાઓ યુસીસીથી ખુશ થશે. જયારે મુસ્લીમ સમાજમાં ખુબ મોટા પરિવર્તન આવશે. તેમના પારિવારીક,સામાજીક અને ધાર્મિક જીવનમાં સૈકાઓથી આવતી પરંપરામાં કાયદા થકી મોટુ પરિવર્તન આવશે. એ જ રીતે આદિવાસી અને કબીલા પરંપરાને પણ યુસીસી પ્રભાવિત કરશે.
ઉતરાખંડ સરકારે યુસીસી લાગુ કર્યો છે. હવે ગુજરાત સરકાર,આસામ સરકાર,રાજસ્થાન સરકાર પણ યુસીસી લાગુ કરવાની તૈયારી કરે છે. યુસીસીના આગમન બાદ આ રાજયોમાં ધાર્મીક સામાજીક પરિવર્તનનો એક નવો યુગ શરૂ થશે.