મોદી પ્રત્યે પ્રેમ પણ રંજન ભટ્ટ પ્રત્યે આટલો વિરોધ શા માટે ? ઇમાનદારનું ઇમાન સાબુત થઇ ગયું તો નવો વિરોધ ઉઠયો
ગુજરાત પ્રદેશ ભાજપ લોકસભાની ચૂંટણી પૂર્વેના રાઉન્ડમાં ખુશ ખુશાલ હતું. નેતાગીરી પણ ખુબ ખુશખુશાલ હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે એવું લાગતું હતું કે દેશભરમાં રામ રાજય એટલે કે કેસરિયા રાજય છવાઇ જશે. પરંતુ હવે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગને ખાસ્સો સમય થઇ ગયો છે. રર જાન્યુઆરીએ અયોધ્યા રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ૭ મેએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. લગભગભ ૧૦૦ દિવસમાં ઘડિળયાના કાંટાએ ઘણી મજલ કાપી નાંખી છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી જાહેર થઇ તે પૂર્વેના સપ્તાહમાં દેશનો માહોલ બદલાયો છે. અબ કી બાર ૪૦૦ કે પાર નારો થોડો ધીમો પડયો હોય તેવું લાગે છે. ઇલેકટરોલ બોન્ડ અંગે સુપ્રિમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ચુકાદા પછી માહોલ બદલાયો છે. ખાસ કરીને ભાજપમાં જે રીતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના નેતાઓ અને કાર્યકરોનો મેળો ભરાયો છે તેનો ભાર હવે પાર્ટીને લાગવા માંડયો છે.પાર્ટીમાંથી હવે કેસરીયા નેતાઓ નિકળવા માંડયા છે.
આ વખતે શરૂઆત બહારવટિયાઓની ભૂમિ સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાંથી નથી થઇ. ગાયકવાડની ભૂમિ વડોદરાથી શરૂઆત થઇ છે. ઇનામદારે ભાજપના ભરતી મેળા સામે કેસરીયા કર્યા પરંતુ તેમનો એપિસોડ ઉભરા સમાન સાબિત થયો. ઇનામદારનું ઇમાન કઇ દિશામાં ગયુ એ ન સમજાયુ. પરંતુ વડોદરા આ વખતે અજંપામાં છે. રાજકિય અજંપામાં છે. રંજનબેન ભટ્ટને લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ અપાઇ તેના વિરોધમાં સૌ પ્રથમ જયોતિબેન પંડયાએ તનખૈયા કર્યા. ભાજપમાંથી રાજીનામું આપ્યુ. હવે વડોદરા ભાજપમાં પોસ્ટર વોર શરૂ થઇ છે. મોદી તુજસે વેર નહિ,રંજન તેરી ખૈર નહિ. આવા પોસ્ટરો વડોદરામાં લાગ્યા. એટલું જ નહિ રંજનબેન ભટ્ટના વિરોધમાં સ્થાનિક અગ્રણીઓ સોશિયલ મિડિયામાં ખુલ્લેઆમ હાઇકમાન્ડના નિર્ણયનો વિરોધ કર્યો. રાજકોટમાં છાને ખુણે બુધ્ધિપૂર્વક રૂપાલાની પ્રચારની ગાડીને બ્રેક મારવા પ્રયાસો થયા. એક બાદ એક ભાજપના કૌભાંડો બહાર આવી રહયા છે. જે મિડિયા કરતાં વધુ અસતુંષ્ઠોની સક્રિયતાને કારણે બહાર આવી રહયા છે.
અત્યાર સુધી ભાજપની આંતરિક હરિફાઇમાં સંઘના નેતાઓને ઘસેટવામાં નહોતાં આવતાં. પરંતુ હવે સંઘના નેતાઓને પણ ઘસેટવામાં આવી રહયા છે. રાજકોટમાં સંઘના અગ્રણી નરેન્દ્ર દવેના પરિવારને સૌરાષ્ટ્ર યુનિ.માં નોકરીઓની ખેરાત થાય છે એવા આક્ષેપો નામ સાથે શરૂ થયા છે. દેખીતી રીતે કોંગ્રેના યુવા નેતાએ આ આક્ષેપ શરૂ કર્યા છે. પરંતુ આ કૌભાંડનું મૂળ અન્યત્રથી સંચાલિત હોવાનું પરખંદાઓ માને છે.