બ્રાઝિલના તાજેતરના સંશોધનથી દર્દીઓને નવી આશા મળી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડીનો એક નાનો દૈનિક ડોઝ સ્તન કેન્સરની સારવાર એટલે કે કીમોથેરાપીને વધુ અસરકારક બનાવી શકે છે.
વિટામિન ડી શરીર માટે ઉપયોગી
આ અભ્યાસ સાઓ પાઉલો સ્ટેટ યુનિવર્સિટીના બોટુકાટુ સ્કૂલ ઓફ મેડિસિનમાં કરવામાં આવ્યો હતો. તેમાં 45 વર્ષથી વધુ ઉંમરની 80 મહિલાઓનો સમાવેશ થતો હતો. જેમને સ્તન કેન્સર માટે કીમોથેરાપી શરૂ કરવી પડી હતી. 6 મહિના પછી, પરિણામો ચોંકાવનારા હતા, વિટામિન ડી લેતી 43 ટકા સ્ત્રીઓમાં કેન્સર સંપૂર્ણપણે મટી ગયું હતું, જ્યારે પ્લેસિબો લેતી સ્ત્રીઓમાં આ આંકડો માત્ર 24 ટકા હતો.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
આ બધી સ્ત્રીઓ નિયોએડજુવન્ટ કીમોથેરાપી લઈ રહી હતી. આ પ્રકારની કીમોથેરાપી સર્જરી પહેલાં આપવામાં આવે છે જેથી ગાંઠ નાની થઈ જાય અને ઓપરેશન સરળ બને. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓના શરીરમાં વિટામિન ડીની ઉણપ હતી. તેમના શરીરમાં પૂરક લીધા પછી તેનું સ્તર વધી ગયું છે અને તે સારવારમાં પણ મદદરૂપ થયું છે. વિટામિન ડી માત્ર હાડકાંને મજબૂત કરવા અને કેલ્શિયમ વધારવા માટે જ નથી. પરંતુ તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
વધુ પડતું સેવન નુકસાનકારક
જ્યારે વિટામિન ડીના ફાયદા છે. ત્યારે તેનું વધુ પડતું સેવન નુકસાન પણ કરી શકે છે. વધુ પડતી માત્રા લેવાથી ઉલટી, નબળાઈ અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ થઈ શકે છે. યુવાન સ્ત્રીઓ માટે, દરરોજ 600 IU વિટામિન ડી લેવું યોગ્ય છે. વૃદ્ધો માટે, આ માત્રા 800 IU છે. આ અભ્યાસમાં, 2 હજાર IUની માત્ર એક નાની માત્રાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે સલામત માનવામાં આવે છે. આ અભ્યાસ સૂચવે છે કે વિટામિન ડી સ્તન કેન્સરની સારવારમાં કીમોથેરાપીની સફળતામાં વધારો કરી શકે છે. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે મોટા પાયે વધુ સંશોધનની જરૂર છે. શરૂઆતના પરિણામો દર્શાવે છે કે વિટામિન ડી કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની શકે છે અને સારવારનો માર્ગ સરળ બનાવી શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


