૮ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
નારી તું નારાયણી, હમ ભારત કી નારી હૈ ફુલ નહીં ચિનગારી હૈ, યત્ર નારી પૂજ્યંતે રમન્નતે તત્ર દેવતા આ સર્વવિદિત શ્લોકઉકતીને સાર્થક કરવા શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાં આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાજકોટ નગરમાં સેવા,સંગીત, શિક્ષણ, સાહિત્ય, નારી ઉત્કર્ષ સહિતના ક્ષેત્રમાં કાર્યરત નગરના પાંચ પ્રતિભાશાળી બહેનો, નારી રત્નોનું દરેકના નિવાસસ્થાને જઈને સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત નારી રત્નોમાં જેમણે સમગ્ર જીવન આધ્યાત્મિક ઉન્નતિ માટે સમર્પિત કરી દીધેલ છે, હજારો લોકોને વ્યસન મુક્ત કરેલ છે અને શાંતિનો રાહ ચીંધેલ છે તેવા બ્રહ્માકુમારી અંજુ દીદીનું સન્માન બ્રહ્મ સમાજના સેવાભાવી પૂર્વ પ્રમુખ જનાર્દનભાઈ આચાર્યના હસ્તે, વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત રહી હજારો દીકરીઓના જીવન ઘડતરમાં નિમિત બનનાર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત પ્રિન્સિપાલ રામકૃષ્ણ આશ્રમ સહિતની સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ સતત કાર્યરત પન્નાબેન પંડ્યાનું રામકૃષ્ણ આશ્રમના સ્વામી કાંતા ગૌરીનંદજી તેમજ શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીના હસ્તે,ઈશ્વરે જેમને દ્રષ્ટિની ખામી આપી છે છતાં આફતને અવસરમાં પલટાવનાર શિક્ષણ તેમજ સંગીતમાં નાની વયે નોંધપાત્ર પ્રદાન કરનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત ડો.ધ્વનિ વચ્છરાજાનીનું સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રમુખ જૈન શ્રેષ્ઠી સુનિલભાઈ શાહના હસ્તે, જાણીતા કવયિત્રી, લેખિકા, વક્તા, ઉદઘોષક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઓજસ્વીની ફાઉન્ડેશનના માધ્યમથી નારી ઉત્કર્ષનું ઉમદા કાર્ય કરતા હેમલબેન દવેનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક ડો. રેખાબા જાડેજા તેમજ રઘુવંશી અગ્રણી ચંદુભાઈ રાયચુરાના હસ્તે, વર્ષો સુધી આકાશવાણીમાં રાજકોટ સહિતના શહેરમાં યશસ્વી ફરજ બજાવનાર નિવૃત્ત કાર્યકારી કેન્દ્ર નિયામક, લેખિકા અને કવયિત્રી, નારી ઉત્કર્ષ માટે ઉમદા કામગીરી કરનાર અને ઊગતા કલાકારોને પ્રોત્સાહિત કરનાર ડો. ગીતાબેન ગીડાનું સાહિત્ય મર્મી આર. પી જોશી તેમજ મોઢ વણિક સમાજના અગ્રણી શૈલેષભાઈ આર.શાહના હસ્તે તેઓના નિવાસસ્થાને જઈને પાંચ ગૌરવવંતા નારીરત્નોનું કુમકુમ તિલક કરી,ખેસ પહેરાવી, શ્રીફળ સાકરનો પડો,પુસ્તક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.
પાંચ બહેનોના નિવાસસ્થાને યોજાયેલ નારી રત્ન એવોર્ડ કાર્યક્રમમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સ્વામી યોગેશ્વરાનંદજી, કવિ પ્રકાશ હાથી, હિંમતભાઈ લાબડીયા, જેન્તીભાઈ માંડલિયા, કૌશિકભાઈ ગોસ્વામી, સતિષભાઈ જોશી,નલીનભાઈ તન્ના, કૌશિકભાઈ છાયા, દિગેશ માંકડ, પ્રવીણભાઈ ગજ્જર, એમ.જી. પુરોહિત, શિરીષભાઈ કચ્છી, રમેશભાઈ ઠક્કર, અશોકભાઈ ભટ્ટ, અજીતભાઈ દેસાઈ, સુરભીબેન આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશીના માર્ગદર્શન હેઠળ પંકજ રૂપારેલીયા, ઉપમન્યુ રાવલ, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા,નૈસધભાઈ વોરા, પરિમલભાઈ જોશી, વિપુલભાઈ ભટ્ટ, મહેશ પરમાર, જીતુભાઈ ગાંધી, આર.ડી.જાડેજા, દિનેશભાઈ ગોવાણી, મહેશ વ્યાસ, કે જે માવાણી, મહેશ વ્યાસ, કિશોર ટાકોદરા, હિરેનભાઇ મહેતા વગેરે કાર્યરત રહ્યા હતાં.


