- 60 કલાક સુધી પાણીનો સપ્લાય રહેશે બંધ
- ગામડાઓ, શહેર, ઔદ્યોગિક એકમોને નહીં મળે પાણી
- આજે રાત્રે 12 વાગ્યાથી સપ્લાય થશે બંધ
ભાવનગરથી સોમનાથ સુધી પાણીનો સપ્લાય બંધ રહેશે. જેમાં 60 કલાક સુધી પાણીનો સપ્લાય બંધ રહેશે. ગામડાઓ, શહેર, ઔદ્યોગિક એકમોને પાણી મળશે નહીં. તેમાં આજે રાત્રે 12 વાગ્યાથી સપ્લાય બંધ થશે. તથા ભાવનગર, તળાજા, મહુવાના રહીશો, ઔદ્યોગિક એકમોને અસર થશે. ઉના વેરાવળ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકી પડશે.
ઔદ્યોગિક એકમોને પાણી વગર સીધી અસર થશે
બુધેલ રોડથી તળાજાના બોરડા સુધી મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં કામગીરીને કારણે પાણીનો સપ્લાય બંધ કરાશે. તેમાં ભાવનગરથી સોમનાથ સુધી પાણી સપ્લાય બંધ રહશે. જેમાં 60 કલાક સુધી ગામડાઓથી લઈ મોટા શહેર, ઔદ્યોગિક એકમોને પાણી વગર ચલાવવું પડશે. મહિની પાઇપ લાઈન દ્વારા પાણી સપ્લાય બંધ કરવામાં આવશે. તેમાં આજ રાતના બાર વાગ્યાથી સપ્લાય બંધ કરવામાં આવશે. જેમાં ભાવનગર, તળાજા, મહુવા, ઉના, વેરાવળ સહિતના વિસ્તારના રહીશો તથા ઔદ્યોગિક એકમોને પાણી વગર સીધી અસર થશે.
બુધેલથી લઈ તળાજાના બોરડા સુધી મરામતની કામગીરી થશે
ભાવનગરના બુધેલથી લઈ તળાજાના બોરડા સુધી મરામતની કામગીરી થશે. જેમાં કામગીરીને લઈ પાણી સપ્લાય બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. જેમાં સ્થાનિકો અગાઉથી જાણ કરવા પાછળનો હેતુ છે કે સ્થિાનિકો પાણીનો સ્ટોક કરી રાખે તેમજ પાણીનો નકામો બગાડ કરે નહિ. જેથી બે દિવસ ઉપરાંત પાણી ચાલી શકે તે પ્રમાણે સ્થાનિકોએ પાણીની આજે સંગ્રહ કરવાનો રહેશે. જેમાં આગામી 60 કલાક કોઇને પણ પાણી વગર તકલિફ ના પડે તેથી આ જાણકારી આપવામાં આવી છે.