By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    4 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’

agragujaratnews
Last updated: 2024/01/29 at 8:22 PM
2 years ago
Share
રામમંદિર બાદ શું ? છતિસગઢથી જવાબ મળી રહયો છે.. ‘ઘરવાપસી’
SHARE

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લાખો લોકોની હાજરીમાં ૧૦૦૦ વિધર્મીઓની ઘરવાપસી

જેમાં બે મુસ્લીમ પરિવારના પગ ધોઇ પુન: સનાતન ધર્મમાં આવકાર આપવામાં આવ્યો છે….

અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સંઘના વડા મોહન ભાગવતે એક સવાલ કર્યો હતો. મંદિર તો બન ગયા અબ કયા ? સિર્ફ નરેન્દ્રભાઇ નહિ હમ સબ કો તપ,સાધના કરની પડેગી. મતલબ કે અયોધ્યા રામમંદિર માટે દેશભરમાં જે જનજાગરણ થયુ તે તેની પરાકાષ્ટાએથી ફરીથી મૂર્છાવસ્થામાં સરી ન પડે તેની ચેતવણી હતી. પરંતુ એવુ નથી થયુ. આ વખતે બેક ઓફ પ્લાન છે. દેશમા એક સાથે અનેક દિશામાંથી ઘટનાઓ તેજ બની છે. એટલી તેજ બની રહી છે કે એક ઉપર ધ્યાન આપો ત્યાં બીજી અનેક ધ્યાન બહાર રહી જવાની શકયતા છે.

બિહારની ઘટનામાં રાજકિય રોમાંચ છે એટલે તેને મિડિયા હાઇપ વધુ મળી રહી છે. સામાન્ય લોકો નીતિશને ફરી એક વખત ભાજપ એનડીએના તળિયા ચાટવા પડી રહયા છે એ રીતે આ ઘટનાને જોઇ રહયા છે. દેશના પૂર્વોતર અને બંગાળ બાજુ રાહુલ ગાંધીની કોંગ્રેસ અને મમતાની ટીએમસી વચ્ચે ધમાસાણ શરૂ થઇ રહી છે. કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં યાત્રાના નામે એકલા હાથે પબ્લીક કનેકટ કરવા મથી રહી છે. મમતા તેને પગ મૂકવા દેવા નથી માંગતી. હજુ યુ.પી.મહારાષ્ટ્ર કર્ણાટકમાં પણ રાજકિય મહાભારત તેજ થવા જઇ રહયુ છે. આ બધી ઘટના વચ્ચે ઓછી ચર્ચાતી ઘટના છે છતીસગઢમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમા યોજાયેલી કથામાં એક હજાર વિધર્મીઓની ઘરવાપસીની ઘટના.

સૌ પ્રથમ તો એ વાત કરીએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં જનસૈલાબ ઉમટી રહયો છે. સ્થાનિક મિડિયા આઠ થી નવ લાખ ભકતોની હાજરી બતાવી રહયુ છે. આવી પ્રચંડ લહેર વચ્ચે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક હજાર મૂળ સનાતની અને કોઇને કોઇ કારણ અન્ય ધર્મોમાં ગયેલા લોકોને ફરીથી સનાતન ધર્મમાં લાવ્યા.

આ પરિવોરોમાં દુર દરાજના આદિવાસી વિસ્તારમા મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મમાં ચાલ્યા ગયેલા ગરીબ પરિવારોનો સમાવેશ થાય છે. પરંતુ બે પરિવાર મુસ્લીમ છે. બાબા બાગેશ્વરે મંચ ઉપર તેમનો પરિચય આપ્યો. જેમાં એક યુ.પી.ના મિરજાપુરનો મોહમદ અકબર અને તેનો પરિવાર તથા બીજો પરિવાર શેખ સમીમનો છે.

મોહમદ અકબરે મંચ ઉપરથી કહયુ કે પોતે કોઇના દબાવમાં નહિ સ્વેચ્છાએ સનાતન ધર્મમાં પરત આવ્યો છે. ધીરેન્દ્ર બાબાએ  તેમને મંચ ઉપરથી નામ આપ્યુ સત્ય. સત્યહિ શિવ હૈ,સત્યહી સનાતન હૈ. ધીરેન્દ્ર બાબાએ આ સાથે મિડિયા માટે સ્પીચ આપી તેમાં કહયુ કે સનાતન ધર્મી તુમ મુઝે સાથ દો મેં તુમ્હે હિન્દુ રાષ્ટ્ર દુંગા.

આ કાર્યક્રમના અન્ય એક મહત્વના નેતા છતીસગઢ ભાજપના મંત્રી પ્રબલપ્રતાપસિંહ છે. છતીસગઢના પીઢ નેતા દિલીપસિંહ જુદેવના પુત્ર  છતિસગઢમાં ભારે નામના ધરાવે છે. તેઓ અખિલ ભારતિય ઘરવાપસી સંગઠનના પ્રમુખ છે. તેમણે મંચ ઉપરથી છતીસગઢમાં હર ગાંવ એક મંદિરની યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ ૧૦૧ ગામમાં રામમંદિર નિર્માણનું બીડુ ઝડપ્યુ છે.

કહેવાય છે કે છતીસગઢતો એક ઝાંખી છે. દેશભરમાં ઘરવાપસીના સ્ટાર કેમ્પેઇનર ધીરેન્દ્ર શાસ્ત્રી બનશે. અને આવા કાર્યક્રમો ખુબ મોટી સંખ્યામાં થતાં રહેશે. સનાતન ધર્મમાં પરત આવનારને માનભેર સ્વીકારવા એક પડકાર છે. પણ એ પાર પાડવામાં આવશે એમ પણ વિશ્વાસ વ્યકત થાય છે.

 

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો
હેલ્થ

Health News : હાર્ટ પર દબાણ અને શ્વાસ ચઢવો, હોઈ શકે હાર્ટએટેકનું લક્ષણ, એકલા હોવ તો જોખમ ટાળવા આ કામ જરૂર કરો

By 6 days ago
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
Health News : ઉચ્ચ કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં આ ડ્રિંકસ કરશે ચમત્કાર, હૃદયરોગનું જોખમ રહેશે દૂર, જાણો બનાવવાની રીત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?