યોગને હવે ફક્ત આધ્યાત્મિક રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતમાં આદિકાળથી યોગ શારીરિક તંદુરસ્તી સ્વસ્થ રાખવાની શ્રેષ્ઠ ઉપચાર પદ્ધતિ રહી છે. કોવિડ-19ના સમયમાં લોકોએ યોગની અદભૂત શક્તિ જોઈ. દૈનિક ક્રિયામાં યોગને સામેલ કરવામાં આવે તો કેન્સર અને ડાયાબિટીસ જેવી ઘણી ગંભીર બીમારીઓ દૂર રાખીએ શકીએ છીએ.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
દરવર્ષે દુનિયાભરમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. કેમ 21 જૂનના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને કયારે તેની શરૂઆત થઈ તેને લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે. આવો જાણીએ કયારે યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ અને કેમ આ દિવસ આટલો ખાસ છે.
કયારે થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત
વિશ્વમાં કેટલાક ખાસ દિવસો પર ચોક્કસ બાબતને લઈને તેની ઉજવવામાં આવે છે. જેમ કે અસ્થમા દિવસ અથવા બાળ મજૂરી દિવસ, એન્જિનિયર ડે જેવા વિવિધ દિવસની ઉજવણી પાછળનું કારણ લોકોને આ બાબતથી જાગૃત કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ યોગનું મહત્વ જાણી વિશ્વના લોકોને પણ તેનો લાભ મળે માટે 27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમના આ પ્રસ્તાવને 11 ડિસેમ્બર 2014 ના રોજ મંજૂરી મળી. ત્યારબાદથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. 21 જૂન દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને ઉનાળુ અયનકાળ તરીકે ઓળખાય છે. એટલે જ આ દિવસે ખાસ ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટે પસંદ કરવામાં આવ્યો હતો.
શું છે આ વર્ષની થીમ?
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરાવી છે. અને આ વર્ષે મન મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ આ વર્ષે યોગ દિવસની થીમ આપી. આ કાર્યક્રમમાં તેમણે યોગ દિવસની થીમ આપતા કહ્યું કે આ વર્ષે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ થીમનો ઉદેશ્ય ફક્ત ભારતના લોકો જ નહીં પરંતુ દુનિયાભરના લોકો કોરોના, કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોના શિકાર ના થાય અને યોગ થકી લાંબા સમય સુધી ફિટ રહી શકે.