By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    5 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    5 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    5 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    5 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાઈબ્રન્ટ સુરેન્દ્રનગરમાં 20 કંપનીઓ સાથે રૂ. 858 કરોડના MOU
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વાઈબ્રન્ટ સુરેન્દ્રનગરમાં 20 કંપનીઓ સાથે રૂ. 858 કરોડના MOU

agragujaratnews
Last updated: 2023/10/12 at 9:09 PM
2 years ago
Share
વાઈબ્રન્ટ સુરેન્દ્રનગરમાં 20 કંપનીઓ સાથે રૂ. 858 કરોડના MOU
SHARE

  • જિલ્લામાં 1,619 નવી રોજગારીનું સર્જન થશે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારના લોકોને નવી રોજગારી મળવાનું શરૂ
  • ગુરૂવારે વાયબ્રન્ટ સુરેન્દ્રનગરનું ઉદ્દઘાટન કરાયુ હતુ

સુરેન્દ્રનગરના પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે તા. 12 અને 13 ઓકટોબરના રોજ ર દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ સુરેન્દ્રનગરનું આયોજન કરાયુ છે. જેમાં ર દિવસમાં સૌથી વધારે રકમના એમ.ઓ.યુ. કરનાર ધ્રાંગધ્રાના પટેલ પરીવાર સહિત 20 કંપનીઓ સાથે રૂ. 858 કરોડના એમઓયુ થયા છે. જેના થકી 1619 જેટલી નવી રોજગારીનું સર્જન થનાર છે. ગુરૂવારે વાયબ્રન્ટ સુરેન્દ્રનગરનું ઉદ્દઘાટન કરાયુ હતુ. જેમાં ઉદ્યોગપતિઓએ એમઓયુ સાઈન કર્યા હતા.આમ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારના લોકોને નવી રોજગારી મળવાનું શરૂ થશે.

રાજયમાં વેપાર, ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમીટને 20 વર્ષ પુરા થયા છે. જેના ભાગરૂપે રાજય સરકારે સમગ્ર રાજયના 33 જિલ્લાઓમાં વાઈબ્રન્ટ કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત આજે ગુરૂવારે તા. 12 અને 13ને શુક્રવાર એમ ર દિવસ પંડીત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમ યોજાનાર છે. ગુરૂવારે વાયબ્રન્ટ સમીટનું ઉદ્દઘાટન વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ચૌહાણ સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉદ્દઘાટન બાદ અધિકારીઓ અને પદાધીકારીઓએ વીવીધ 40 સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ મૌસમ અથાણાનો રાજુભાઇ પંજવાણીનો સ્ટોલ પણ હતો. જેની મુલાકાત મંત્રીએ લીધી હતી. અહીં બારેમાસ ખાવા લાયક વિવિધ જાતના અથાણા અહીં મુકવામાં આવ્યા હતા. આ વાયબ્રન્ટ દરમિયાન સુરેન્દ્રનગરમાં ર દિવસમાં વીવીધ 20 કંપનીઓ સાથે રૂપિયા 858 કરોડના એમઓયુ થયા છે. જેમાં સૌથી વધારે 585 કરોડના એમઓયુ ધ્રાંગધ્રાના હરિલાલ મોહનભાઇ પટેલ પરિવારના 6 ઉદ્યોગના થયા છે. જયારે સુરેન્દ્રનગર પાવર ટ્રેક ગ્રુપના કિશોરસિંહ ઝાલાએ પણ 100 કરોડથી વધુ રકમના એમઓયુ કર્યા છે. આ તમામ ઉદ્યોગ થકી જિલ્લામાં 1619 જેટલી નવી રોજગારીનું સર્જન થનાર છે. ગુરૂવારે ઉદ્દઘાટન બાદ એમઓયુ સાઈનીંગ, જેમ ક્રેડીટ લીંકેજ, આત્મ નીર્ભર ગુજરાત યોજના, વિવિધ સ્વરોજગારલક્ષી યોજના વિશે સેમીનાર અને વર્કશોપ યોજાયા હતા. જયારે બી-ટુ-બી, બી-ટુ-જી, બી-ટુ-સી મીટ, મહિલા ઉદ્યોગકારો, સ્વ સહાય જુથ, એફપીઓ, પીએમ વિશ્વ કર્મા યોજના, સ્ટાર્ટ અપ, ઈનોવેશન સહિતના સેમીનારનું આયોજન પણ કરાયુ છે.

સરકારી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવાની જિલ્લાના ઉદ્યોગકારોની માંગ

સરકાર સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ઉદ્યોગો લાવવા માટે પ્રયાસો કરી ઉદ્યોગકારો નવા રોકાણ પણ કરે છે. પરંતુ ઉદ્યોગકારોને નવા ઉદ્યોગ સ્થાપવા માટે જમીન બિનખેતી કરવાની, સોલાર માટેની કામગીરી કે જમીન પ્રક્રિયા માટે સુરેન્દ્રનગર કલેકટર ઓફીસમાં ધકકા ખાવા પડતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી અને બીજી સરકારી પ્રક્રિયામાં કે પરમીશનમાં પણ સમય લાગતો હોય છે જે જલ્દી પુર્ણ કરવા સરકાર મદદ કરે તેવો ઉદ્યોગકારોમાં ગણગણાટ થઇ રહયો છે.

આજે તા. 13મીએ સ્ટાર્ટઅપ પર સેમિનાર યોજાશે

દેશના વડાપ્રધાન સ્ટાર્ટઅપને મહત્વ આપી રહ્યા છે. ત્યારે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનમાં જિલ્લાના યુવાનો આગળ વધે તે હેતુથી તા. 13મીના રોજ એક સેમીનારનું આયોજન કરાયુ છે. જેમાં જીટીયુ અને સ્ટાર્ટઅપના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારથી જિલ્લાના યુવાનોને સ્ટાર્ટઅપ વિશેની વિસ્તૃત જાણકારી મળશે અને ઉદ્યોગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુકોને નવી દિશા મળશે.

વાઈબ્રન્ટ કાર્યક્રમના સ્થળે 40 સ્ટોલ રખાયા

વાયબ્રન્ટ સુરેન્દ્રનગર કાર્યક્રમ અંતર્ગત 40 જેટલા સ્ટોલ પણ રખાયા છે. જેમાં ઉદ્યોગોને લખતા 15 સ્ટોલ છે. આ ઉપરાંત નેચરલ પ્રોડકટના 3, પટોળા, ટાંગલીયા આર્ટ, મધ, શેમ્પુ, સીરામીકના રમકડા, બોટલ, બરણી, માર્બલ, સ્ટોન, હેન્ડીક્રાફટ સહિતની આઈટમો હશે. વન ડીસ્ટ્રીકટ વન પ્રોડકટ હેઠળ પણ 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જયારે 5 સ્ટોલમાં સરકારી વિભાગો વિવિધ યોજનાઓની માહિતી આપી રહ્યા છે.

ધ્રાંગધ્રાના 6 ઉદ્યોગ દ્વારા રૂ. 585 કરોડના MOU

ધ્રાંગધ્રા ઓમેક્ષ કોટસ્પીનના જયેશભાઇ પટેલ અને અરૂણભાઇ પટેલે સોલારમાં રૂ. 60 કરોડ, એગ્રીટેક એલ.એલ.પી.નલીનભાઇ પટેલે રૂ. 35 કરોડ, મેક્ષ ફલેક્ષના મનુભાઇએ રૂ. 100 કરોડ, લીમેક્ષ ગારમેન્ટના જયેશભાઇ, અરૂણભાઇ અને સંદીપભાઇ ગારમેન્ટ રૂ. 250 કરોડનું રોકાણ કરશે. ફલોટેક્ષ સોલારના મગનભાઇ રૂ. 40 કરોડ, મેક્ષફ્રૂટ જયેશભાઇ પટેલ રૂ. 100 કરોડ મળી કુલ રૂ. 585 કરોડનુ રોકાણ કરી નવા ઉદ્યોગો સ્થાપશે. આમ જિલ્લામાં સૌથી મોટી રોજગારી આપતા અને ઉદ્યોગ ક્ષેત્રે અનોખી સિધ્ધિ હાંસલ કરનાર હરિલાલ મોહનભાઈ પટેલ પરિવારે વાયબ્રન્ટમાં સૌથી વધારે એમઓયુ કરતા અધિકારીઓ અને લોકોએ આનંદ વ્યકત કર્યો છે.

You Might Also Like

રાજકોટમાં પાંચ નવા પોઝીટીવ કેસ આવ્યા તેની સામે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

 અમિત ખુંટ આત્મહત્યા કેસમાં સગીરાની ફરિયાદ મામલે સીસીટીવી ફુટેજ રજુ કરવા કોર્ટનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાયકાઓ જૂના ભવનો જર્જરીત હાલતમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
હેલ્થ

Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન

By 1 day ago
Health Tips : ભારતીયોમાં કેમ વધ્યું કિનોઆ અનાજનું સેવન, વજન વધવાની ચિંતા થશે દૂર, જાણો તેના ફાયદા
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
Kitchen Tips : ચોમાસામાં સંગ્રહ કરેલા અનાજની આ રીતે કરો જાળવણી, નહીંતર પડશે જીવાત
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?