કોર્ટ ઓફ કેસેશનના પ્રવક્તા એડવોકેટ-જનરલ હેનરી વેન્ડરલિન્ડેને જણાવ્યું હતું કે, કોર્ટે અપીલ ફગાવી દીધી છે.
મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી
એન્ટવર્પમાં અપીલ કોર્ટના ચાર સભ્યોના ફરિયાદ પક્ષને જિલ્લા અદાલતના પ્રી-ટ્રાયલ ચેમ્બર દ્વારા જારી કરાયેલા આદેશો હતા. જેમાં કોઇ ખામી જોવા મળી ન હતી. 29 નવેમ્બર 2024 ના રોજ જિલ્લા અદાલતના પ્રી-ટ્રાયલ હાથ ધરાયા હતા. જિલ્લા કોર્ટે મે 2018 અને જૂન 2021માં મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટને અમલમાં મૂકવા યોગ્ય જાહેર કર્યા હતા અને ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.
ભારત આવશે મેહુલ ચોકસી
અપીલ કરતા સમયે કોર્ટે તેના નિર્ણયમાં કહ્યુ હતું કે, પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરાયો તો વાજબી ટ્રાયલનો ઇનકાર કરવામાં આવશે કે કોઈ દુર્વ્યવહારનો સામનો કરવો પડશે નહીં. મેહુલ ચોકસી માટે ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે.
પ્રત્યાર્પણ વિનંતી બેલ્જિયમ ક્યારે મોકલાઇ ?
જાન્યુઆરી 2018માં એન્ટિગુઆ અને બાર્બુડા ભાગી ગયેલા મેહુલ ચોક્સીને બેલ્જિયમમાં જોવામાં આવ્યો હતો અને ત્યાં તેની તબીબી સારવાર લેવામાં આવી હોવાના અહેવાલ છે. આ પછી, ભારતે મુંબઈની ખાસ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરંટના આધારે 27 ઓગસ્ટ 2024ના રોજ બેલ્જિયમને પ્રત્યાર્પણ વિનંતી મોકલી હતી.
આ પણ વાંચોઃ


