દરેક મહત્વના નિર્ણય પહેલાંનું મૌન
– ડૉ. અર્જુન દવે
દરેક ગંભીર નિર્ણય લેતા પહેલાં એક એવી ક્ષણ આવે છે જે ક્યાંય નોંધાયેલી હોતી નથી. તે કોઈ જાહેરાત કરીને નથી આવતી. તે દલીલો નથી કરતી. તે કોઈ કારણો નથી આપતી. તે બસ ચૂપચાપ ઉતરી આવે છે, ભરચક ઓરડાની વચ્ચે અચાનક છવાઈ જતી સ્તબ્ધતાની જેમ. શબ્દો સાથ છોડી દે છે. નિશ્ચિતતા પાછી પાની કરી જાય છે. અને આપણામાંના સૌથી સક્ષમ લોકો પણ ક્ષણભર માટે થંભી જાય છે.
આપણે ઘણીવાર આ મૌનને નબળાઈ સમજી બેસીએ છીએ. આપણે તેને ડર, અનિર્ણાયકતા કે આત્મવિશ્વાસનો અભાવ કહીએ છીએ. ઓફિસની મિટિંગોમાં બોસને જ્યારે ખબર હોય કે સાચો નિર્ણય કયો છે પણ તેની કિંમત ભારે ચૂકવવી પડશે, ત્યારે આ મૌન પ્રગટ થાય છે. પ્રેમ અને શિસ્ત જ્યારે વિરુદ્ધ દિશામાં ખેંચતા હોય, ત્યારે માતા-પિતા સામે આ મૌન આવીને ઊભું રહે છે. યુવાનોમાં જ્યારે સ્પષ્ટતા કરતાં સ્વતંત્રતા વધી જાય, ત્યારે આ મૌન જન્મે છે. આ ક્ષણોમાં મૌન એ ‘ખાલીપો’ નથી. એ ‘ભાર’ છે.
મનોવિજ્ઞાન જેને ‘એનાલિસિસ પેરાલિસિસ’ (વિચારોનું લકવાગ્રસ્ત થવું) નામ આપે કે મેનેજમેન્ટ થિયરી તેને ડીકોડ કરે, તેના યુગો પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં આ મૌન આવીને ઊભું હતું. અર્જુન, જે પ્રશિક્ષિત હતો, અનુભવી હતો અને નૈતિક રીતે સજાગ હતો, તે કૂદીને યુદ્ધમાં ન ઉતર્યો. તેણે મોટા અવાજે દલીલો ન કરી કે પોતાની શંકાઓનું નાટક ન કર્યું. તે બસ મૌન થઈ ગયો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા આ ક્ષણને હચમચાવી નાખે તેવી ઈમાનદારીથી નોંઘે છે. અર્જુનનું મન તર્ક કરે તે પહેલાં તેનું શરીર પ્રતિક્રિયા આપે છે. તેની શક્તિ હણાઈ જાય છે. તેની સ્પષ્ટતા ધૂંધળી થઈ જાય છે. તેનું અજોડ કૌશલ્ય તેને બચાવી શકતું નથી. તેને ઘેરી વળેલું આ મૌન કાયરતા નથી; આ તો મનની એવી અવસ્થા છે જે કોઈ પણ કાર્યની પૂરેપૂરી નૈતિક કિંમતનો સામનો કરી રહી છે.
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते॥
-શ્રીમદ્ ભગવદ ગીતા
અર્થાત્: મારા અંગો તૂટી રહ્યા છે, મારું મુખ સુકાઈ રહ્યું છે, મારું શરીર ધ્રૂજી રહ્યું છે અને ત્વચા બળી રહી છે.
આ એવા માણસની ભાષા નથી જેને પોતાની ફરજની ખબર નથી. આ એવા માણસની ભાષા છે જેને પોતાની ફરજની ‘વધુ પડતી’ ખબર છે.
આધુનિક જીવને કુરુક્ષેત્રને નાબૂદ નથી કર્યું; તેને ગુણાકાર કરીને વધારી દીધું છે. આજના રણમેદાનો એટલે, કોન્ફરન્સ રૂમ, વર્ગખંડ, કોર્ટરૂમ અને ડાઈનિંગ ટેબલ. નિર્ણયો હવે વધુ ઝડપથી પ્રસરે છે, પરિણામો વધુ વ્યાપક છે અને ‘જજમેન્ટ’ જાહેર અને કાયમી ડિજિટલ પ્લેટફોર્મ પર ધીરજપૂર્વક રાહ જોઈને બેઠું છે. આવી દુનિયામાં, મૌન અનિવાર્ય બની જાય છે.
આ મૌનને જે બાબત અસુવિધાજનક બનાવે છે તે માત્ર અનિશ્ચિતતા નથી, પણ જવાબદારી છે. એ જાગૃતિ કે આપણે જે પસંદ કરીશું તે અનેક જિંદગીઓ બદલી નાખશે અને ક્યારેક તો આપણી પોતાની જિંદગી સૌથી ઊંડેથી બદલાશે. જ્યારે શોર્ટકટ અપ્રામાણિક લાગે અને નિશ્ચિતતા અહંકારી લાગે, ત્યારે આ મૌન ઉદ્ભવે છે. આ એ ક્ષણ છે જ્યારે મનને સમજાય છે કે કોઈ પણ વિકલ્પ સંપૂર્ણપણે શુદ્ધ નથી.
આપણને શીખવવામાં આવે છે કે મૌનને ઝડપથી તોડી નાખવું. તેને મોટિવેશન, સલાહ કે એક્શનથી ભરી દેવું. છતાં, ગીતા કંઈક ક્રાંતિ કરે છે. તે અર્જુન સાથે ‘અટકે’ છે. તે તાત્કાલિક ઉકેલો આપીને તેને અટકાવતી નથી. તે મૌનને અસ્તિત્વમાં રહેવા દે છે, કારણ કે તેના વિના ડહાપણ માત્ર ઘોંઘાટ લાગત.
અહીં, અર્જુનના મૌનનો સંપૂર્ણ સ્વીકાર થયા પછી જ કૃષ્ણ બોલે છે, પીડાને નકારી કાઢવા માટે નહીં, પણ એ પૂછવા માટે કે આ ક્ષણ પર કોનું શાસન હોવું જોઈએ?
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥
-શ્રીમદ્ ભગવત ગીતા
કૃષ્ણ અર્જુનની મથામણને નકારતા નથી. તેઓ ધીમેથી દ્રષ્ટિકોણ બદલે છે. લાગણી સાચી છે, પણ તેને નિર્ણય લેવા દઈ શકાય નહીં. ભાવનાત્મક તૂટવું એ ખચકાટનું કારણ હોઈ શકે, પણ તે ભાગ્યનો લેખક ન બની શકે. કૃષ્ણ જેનો વિરોધ કરે છે તે અર્જુનનો ડર નથી, તેઓ વિરોધ કરે છે ‘ડરને ડહાપણ માની લેવાની ભૂલ’નો.
આ ભેદરેખા આજે ખૂબ પ્રાસંગિક છે. ઘણા બુદ્ધિશાળી લોકો એટલા માટે નથી અટકતા કે તેમનામાં મૂલ્યો નથી, પણ એટલા માટે અટકે છે કારણ કે તેઓ ‘વધુ પડતા’ મૂલ્યોનો ભાર વહન કરે છે. તેઓ સંબંધો, પ્રતિષ્ઠા કે પોતાની જ ઈમેજ તૂટવાથી ડરે છે. મૌન એક આશરો બની જાય છે. પણ જ્યારે મૌન શાસન કરવા લાગે, ત્યારે તે ચૂપચાપ ‘પલાયન’માં ફેરવાઈ જાય છે.
ગીતા અટકી જવા માટે અર્જુનને શરમાવતી નથી. અને તેને ત્યાં કાયમ રોકાઈ રહેવાની પરવાનગી પણ નથી આપતી. તે મૌનને એક જરૂરી ઉંબરો (threshold) ગણે છે, કાયમી નિવાસસ્થાન નહીં. સ્પષ્ટતા ગૂંચવાડાને દબાવી દેવાથી નથી જન્મતી; તે ત્યારે જ આવે છે જ્યારે ગૂંચવાડાને સ્પષ્ટ રીતે જોવામાં આવે અને તેને તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવે.
માતા-પિતા આ ત્યારે અનુભવે છે જ્યારે નક્કી કરવાનું હોય કે કેટલી સ્વતંત્રતા આપવી. શિક્ષકો આ ત્યારે અનુભવે છે જ્યારે સંવેદના અને મૂલ્યાંકન વચ્ચે પસંદગી કરવાની હોય. નેતાઓ આ ત્યારે અનુભવે છે જ્યારે વિકાસ અને વિવેક વચ્ચે સંઘર્ષ થાય. યુવાનો આ ત્યારે જીવે છે જ્યારે દરેક પસંદગી પાછી ન લઈ શકાય તેવી લાગે. મૌન બધાની મુલાકાત લે છે, દુશ્મન તરીકે નહીં, પણ એક સંકેત તરીકે.
કરૂણતા એ નથી કે આપણે મૌન થઈ જઈએ છીએ. કરૂણતા એ છે જ્યારે આપણે સત્તા એ મૌનને સોંપી દઈએ છીએ.
અર્જુનનો એ ‘વિરામ’ ગીતાને શક્ય બનાવે છે. અને કૃષ્ણનો જવાબ એ સુનિશ્ચિત કરે છે કે એ વિરામ ‘લકવો’ (paralysis) ન બની જાય. બંને મળીને આપણને યાદ અપાવે છે કે મહત્વના નિર્ણયો માટે બંને જોઈએ પ્રામાણિક સ્થિરતા અને સાહસિક ગતિ.
તો, મૌન એ ગેરહાજરી નથી. એ તૈયારી છે. દરેક અર્થપૂર્ણ નિર્ણય પહેલાં, ભલે તે મોટેથી બોલાય કે ચૂપચાપ લેવાય, એક એવી ક્ષણ આવે છે જ્યારે દુનિયા આપણી પાસે ‘એક્શન’ની અપેક્ષા રાખતી હોય છે, અને આપણી ભીતર કંઈક આપણને ‘અટકવાનું’ કહેતું હોય છે. એ અટકવું માનવીય છે. ત્યાર પછી જે થાય, તે સભાન હોવું જોઈએ.
અર્જુન એ મૌનમાં રસ્તો ભૂલ્યો નહોતો.
તેણે સાંભળવાનું સાહસ કર્યું અને પછી, ઊઠવાનું સાહસ કર્યું. દરેક મહત્વના નિર્ણય પહેલાંનું મૌન
– ડૉ. અર્જુન દવે
દરેક ગંભીર નિર્ણય લેતા પહેલાં એક એવી ક્ષણ આવે છે જે ક્યાંય નોંધાયેલી હોતી નથી. તે કોઈ જાહેરાત કરીને નથી આવતી. તે દલીલો નથી કરતી. તે કોઈ કારણો નથી આપતી. તે બસ ચૂપચાપ ઉતરી આવે છે, ભરચક ઓરડાની વચ્ચે અચાનક છવાઈ જતી સ્તબ્ધતાની જેમ. શબ્દો સાથ છોડી દે છે. નિશ્ચિતતા પાછી પાની કરી જાય છે. અને આપણામાંના સૌથી સક્ષમ લોકો પણ ક્ષણભર માટે થંભી જાય છે.
આપણે ઘણીવાર આ મૌનને નબળાઈ સમજી બેસીએ છીએ. આપણે તેને ડર, અનિર્ણાયકતા કે આત્મવિશ્વાસનો અભાવ કહીએ છીએ. ઓફિસની મિટિંગોમાં બોસને જ્યારે ખબર હોય કે સાચો નિર્ણય કયો છે પણ તેની કિંમત ભારે ચૂકવવી પડશે, ત્યારે આ મૌન પ્રગટ થાય છે. પ્રેમ અને શિસ્ત જ્યારે વિરુદ્ધ દિશામાં ખેંચતા હોય, ત્યારે માતા-પિતા સામે આ મૌન આવીને ઊભું રહે છે. યુવાનોમાં જ્યારે સ્પષ્ટતા કરતાં સ્વતંત્રતા વધી જાય, ત્યારે આ મૌન જન્મે છે. આ ક્ષણોમાં મૌન એ ‘ખાલીપો’ નથી. એ ‘ભાર’ છે.
મનોવિજ્ઞાન જેને ‘એનાલિસિસ પેરાલિસિસ’ (વિચારોનું લકવાગ્રસ્ત થવું) નામ આપે કે મેનેજમેન્ટ થિયરી તેને ડીકોડ કરે, તેના યુગો પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં આ મૌન આવીને ઊભું હતું. અર્જુન, જે પ્રશિક્ષિત હતો, અનુભવી હતો અને નૈતિક રીતે સજાગ હતો, તે કૂદીને યુદ્ધમાં ન ઉતર્યો. તેણે મોટા અવાજે દલીલો ન કરી કે પોતાની શંકાઓનું નાટક ન કર્યું. તે બસ મૌન થઈ ગયો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા આ ક્ષણને હચમચાવી નાખે તેવી ઈમાનદારીથી નોંઘે છે. અર્જુનનું મન તર્ક કરે તે પહેલાં તેનું શરીર પ્રતિક્રિયા આપે છે. તેની શક્તિ હણાઈ જાય છે. તેની સ્પષ્ટતા ધૂંધળી થઈ જાય છે. તેનું અજોડ કૌશલ્ય તેને બચાવી શકતું નથી. તેને ઘેરી વળેલું આ મૌન કાયરતા નથી; આ તો મનની એવી અવસ્થા છે જે કોઈ પણ કાર્યની પૂરેપૂરી નૈતિક કિંમતનો સામનો કરી રહી છે.
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते॥
-શ્રીમદ્ ભગવદ ગીતા
અર્થાત્: મારા અંગો તૂટી રહ્યા છે, મારું મુખ સુકાઈ રહ્યું છે, મારું શરીર ધ્રૂજી રહ્યું છે અને ત્વચા બળી રહી છે.
આ એવા માણસની ભાષા નથી જેને પોતાની ફરજની ખબર નથી. આ એવા માણસની ભાષા છે જેને પોતાની ફરજની ‘વધુ પડતી’ ખબર છે.
આધુનિક જીવને કુરુક્ષેત્રને નાબૂદ નથી કર્યું; તેને ગુણાકાર કરીને વધારી દીધું છે. આજના રણમેદાનો એટલે, કોન્ફરન્સ રૂમ, વર્ગખંડ, કોર્ટરૂમ અને ડાઈનિંગ ટેબલ. નિર્ણયો હવે વધુ ઝડપથી પ્રસરે છે, પરિણામો વધુ વ્યાપક છે અને ‘જજમેન્ટ’ જાહેર અને કાયમી ડિજિટલ પ્લેટફોર્મ પર ધીરજપૂર્વક રાહ જોઈને બેઠું છે. આવી દુનિયામાં, મૌન અનિવાર્ય બની જાય છે.
આ મૌનને જે બાબત અસુવિધાજનક બનાવે છે તે માત્ર અનિશ્ચિતતા નથી, પણ જવાબદારી છે. એ જાગૃતિ કે આપણે જે પસંદ કરીશું તે અનેક જિંદગીઓ બદલી નાખશે અને ક્યારેક તો આપણી પોતાની જિંદગી સૌથી ઊંડેથી બદલાશે. જ્યારે શોર્ટકટ અપ્રામાણિક લાગે અને નિશ્ચિતતા અહંકારી લાગે, ત્યારે આ મૌન ઉદ્ભવે છે. આ એ ક્ષણ છે જ્યારે મનને સમજાય છે કે કોઈ પણ વિકલ્પ સંપૂર્ણપણે શુદ્ધ નથી.
આપણને શીખવવામાં આવે છે કે મૌનને ઝડપથી તોડી નાખવું. તેને મોટિવેશન, સલાહ કે એક્શનથી ભરી દેવું. છતાં, ગીતા કંઈક ક્રાંતિ કરે છે. તે અર્જુન સાથે ‘અટકે’ છે. તે તાત્કાલિક ઉકેલો આપીને તેને અટકાવતી નથી. તે મૌનને અસ્તિત્વમાં રહેવા દે છે, કારણ કે તેના વિના ડહાપણ માત્ર ઘોંઘાટ લાગત.
અહીં, અર્જુનના મૌનનો સંપૂર્ણ સ્વીકાર થયા પછી જ કૃષ્ણ બોલે છે, પીડાને નકારી કાઢવા માટે નહીં, પણ એ પૂછવા માટે કે આ ક્ષણ પર કોનું શાસન હોવું જોઈએ?
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥
-શ્રીમદ્ ભગવત ગીતા
કૃષ્ણ અર્જુનની મથામણને નકારતા નથી. તેઓ ધીમેથી દ્રષ્ટિકોણ બદલે છે. લાગણી સાચી છે, પણ તેને નિર્ણય લેવા દઈ શકાય નહીં. ભાવનાત્મક તૂટવું એ ખચકાટનું કારણ હોઈ શકે, પણ તે ભાગ્યનો લેખક ન બની શકે. કૃષ્ણ જેનો વિરોધ કરે છે તે અર્જુનનો ડર નથી, તેઓ વિરોધ કરે છે ‘ડરને ડહાપણ માની લેવાની ભૂલ’નો.
આ ભેદરેખા આજે ખૂબ પ્રાસંગિક છે. ઘણા બુદ્ધિશાળી લોકો એટલા માટે નથી અટકતા કે તેમનામાં મૂલ્યો નથી, પણ એટલા માટે અટકે છે કારણ કે તેઓ ‘વધુ પડતા’ મૂલ્યોનો ભાર વહન કરે છે. તેઓ સંબંધો, પ્રતિષ્ઠા કે પોતાની જ ઈમેજ તૂટવાથી ડરે છે. મૌન એક આશરો બની જાય છે. પણ જ્યારે મૌન શાસન કરવા લાગે, ત્યારે તે ચૂપચાપ ‘પલાયન’માં ફેરવાઈ જાય છે.
ગીતા અટકી જવા માટે અર્જુનને શરમાવતી નથી. અને તેને ત્યાં કાયમ રોકાઈ રહેવાની પરવાનગી પણ નથી આપતી. તે મૌનને એક જરૂરી ઉંબરો (threshold) ગણે છે, કાયમી નિવાસસ્થાન નહીં. સ્પષ્ટતા ગૂંચવાડાને દબાવી દેવાથી નથી જન્મતી; તે ત્યારે જ આવે છે જ્યારે ગૂંચવાડાને સ્પષ્ટ રીતે જોવામાં આવે અને તેને તેના યોગ્ય સ્થાને મૂકવામાં આવે.
માતા-પિતા આ ત્યારે અનુભવે છે જ્યારે નક્કી કરવાનું હોય કે કેટલી સ્વતંત્રતા આપવી. શિક્ષકો આ ત્યારે અનુભવે છે જ્યારે સંવેદના અને મૂલ્યાંકન વચ્ચે પસંદગી કરવાની હોય. નેતાઓ આ ત્યારે અનુભવે છે જ્યારે વિકાસ અને વિવેક વચ્ચે સંઘર્ષ થાય. યુવાનો આ ત્યારે જીવે છે જ્યારે દરેક પસંદગી પાછી ન લઈ શકાય તેવી લાગે. મૌન બધાની મુલાકાત લે છે, દુશ્મન તરીકે નહીં, પણ એક સંકેત તરીકે.
કરૂણતા એ નથી કે આપણે મૌન થઈ જઈએ છીએ. કરૂણતા એ છે જ્યારે આપણે સત્તા એ મૌનને સોંપી દઈએ છીએ.
અર્જુનનો એ ‘વિરામ’ ગીતાને શક્ય બનાવે છે. અને કૃષ્ણનો જવાબ એ સુનિશ્ચિત કરે છે કે એ વિરામ ‘લકવો’ (paralysis) ન બની જાય. બંને મળીને આપણને યાદ અપાવે છે કે મહત્વના નિર્ણયો માટે બંને જોઈએ પ્રામાણિક સ્થિરતા અને સાહસિક ગતિ.
તો, મૌન એ ગેરહાજરી નથી. એ તૈયારી છે. દરેક અર્થપૂર્ણ નિર્ણય પહેલાં, ભલે તે મોટેથી બોલાય કે ચૂપચાપ લેવાય, એક એવી ક્ષણ આવે છે જ્યારે દુનિયા આપણી પાસે ‘એક્શન’ની અપેક્ષા રાખતી હોય છે, અને આપણી ભીતર કંઈક આપણને ‘અટકવાનું’ કહેતું હોય છે. એ અટકવું માનવીય છે. ત્યાર પછી જે થાય, તે સભાન હોવું જોઈએ.
અર્જુન એ મૌનમાં રસ્તો ભૂલ્યો નહોતો.
તેણે સાંભળવાનું સાહસ કર્યું અને પછી, ઊઠવાનું સાહસ કર્યું.


