By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/05/05 at 5:56 PM
3 months ago
Share
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
SHARE

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

ખોટા માણસની શરણાગતિ સફળ નથી થતી

પ્રભુ આપણને પ્રાણાધિક પ્રેમ કરે એ માટે ‘માનસ’માં એક ફોર્મ્યુલા છે

સૂર્ય જ્ઞાનનું પ્રતિક છે, ધરતી ભકિતનું પ્રતિક છે

 

સુકદેવજીની ભાગવદભૂમિ શુક્રતાલમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સુકતીર્થ’ના ત્રીજા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે રામચરિત માનસમાં ‘સુક’ શબ્દ પાંચ વખત આવે છે. સૂકનો સીધો અર્થ પોપટ છે. પોપટ કયારેય એની બોલી નથી બોલતો. અન્ય કોઇ એને શીખવે છે એ જ એ બોલે છે. કોઇ ગાળ બોલે તો એ ગાળ બોલે છે. એક અર્થમાં ગુરૂમુખી છે. હું પણ મારા ત્રિભુવનદાદાનો સુક છું. તલગાજરડાનો તોત બોલી રહ્યો છે મારા ગુરૂ એ જે કંઇ શીખવ્યું એ આપની સન્મુખ બોલી રહ્યો છું. સુકપરંપરા પાંચ છે. આ ભાગવદ ભાગિરથીનું ઉદ્દગમ સ્થાન નારાયણ છે. નર નારાયણ, આદીનારાયણ, સૂર્ય નારાયણ, સત્ય નારાયણ…..નર નારાયણ, આદિસુકથી પ્રગટી એ બ્રહ્મા (બ્રહ્મસુક) પાસે પહોંચી, બ્રહ્માએ નારદજી (દેવર્ષિ સૂક)ને આપી, નારદજી પાસેથી વેદ વ્યાસજી (વ્યાસ-બાદરાયણ સુક) પાસે પહોંચી છે અને વ્યાસજીએ (અવધૂત સૂક) સુકદેવજીને આપી.

એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, આપણને પ્રભુને પ્રેમ કરીએ છીએ એમ પ્રભુ આપણને પ્રેમ કરે! જવાબ : હા, પરમાત્મા આપણને પ્રાણાધિક પ્રેમ કરે એ માટે રામચરિત માનસમાં એક ફોર્મ્યુલા રીતી બતાવી છે કે (૧) કોઇપણ ધારાની સગુણ ઉપાસના (૨) બીજાનું-અન્યનું હિત કરવાના નિરંતર વિચાર ઇર્ષા દ્વવેષ મટીને બીજાના હિતનો સતત વિચાર થવો જોઇએ (3) નીતિમય જીવન (૪) દ્રઢ નેમ-દ્રઢ નિયમ અતિ જરૂરી છે. તમે જેમાં માનતા હોય એમા પણ એ નિયમ દ્રઢ હોવો જરૂરી છે. તમારે બહારગામ જવાનું થયું છે તો માળા અગાઉ કરી લો અને (૫) બ્રાહ્મણ પ્રત્યેમ પ્રેમ રાખવો. દ્વિવજ બ્રાહ્મણોને આદર આપવો પ્રેમ આપવો.

એક વાર્તા છે. એક અમેરિકન કવિ ટ્રેઇનમાં મુસાફરી કરી રહ્યા છે. સાથે એક યુવાન પણ ટ્રેઇનના ડબ્બામાં બેઠો છે. આ કવિ અને યુવાન બે જ ડબ્બામાં છે, બાકી ડબ્બો ખાલી છે. કવિ અને યુવાન બંને મૌન છે. એક બીજા સાથે કોઇ બોલતું નથી. ટ્રેઇન આગળ વધી રહી છે. ચાર-પાંચ કલાક પછી પેલો યુવાન અમેરિકન કવિ પાસે આવે છે અને કવિને કહે છે કે એક વિનંતી છે કે આપ જે બારી પાસે બેઠા છો ત્યાં થોડોક સમય મને બેસવા દેશો! કવિને આશ્ચર્ય થયું કે આખો ડબ્બો ખાલી છે આપણે બંને જણા છીએ તો કોઇપણ બારી પાસે પેલો યુવાન બેસી શકે છે. કવિએ કહ્યું કે ભાઇ મને કોઇ વાંધો નથી પણ આખો ડબ્બો ખાલી જ છે. તો તું કોઇપણ બારી પાસેની સીટ પર બેસી શકે છે. મારી જ સીટ પર બેસવા માટેનું કારણ શું? ત્યારે યુવક બોલે છે કે હું એક ગુનેગાર અપરાધી છું. દસ વર્ષ જેલ ભોગવીને હવે હું મારા માતા-પિતા પાસે મારી ઘરે જઇ રહ્યો છું. જેલવાસના દસ વર્ષ દરમિયાન મારા માતા-પિતાએ એક પણ પત્ર મને નથી લખ્યો. એને મન કદાચ હું મરી ગયો હોઇશ! મેં આઠ દિવસ પહેલા મારા માતા-પિતાને પત્ર લખ્યો છે કે હું જેલવાસની સજા પૂરી કરી આ દિવસે આવી રહ્યો છું. ત્યારે તમે જો મને માફ કરી દીધો હોય તો આપણા ફળીયામાં જે સફરજનનું ઝાડ છે તેની એક ડાળી પર ધજા ફરકાવજો તો જ હું માનીશ કે તમે મને માફ કર્યો છે, હું ટ્રેઇનની બારીમાંથી જોઇશ કે ધજા ફરકે છે કે નહી? જો ધજા નહીં હોય તો હું પાછો ફરી જઇશ. હમણા જ મારા ગામનું સ્ટેશન આવશે. તમે જયાં બેઠો છો એ બારી તરફ જ મારા ગામનું સ્ટેશન આવશે. તમે જયાં બેઠા છો એ બારી તરફ જ સ્ટેશનની બાજુની તરફ જ મારુ ઘર આવશે. એટલે હું જોઇ શકું એ માટે તમારી જગ્યા પર બેસવું છે. પેલો કવિ યુવકને આપે છે. યુવકનું ગામ નજીક આવી રહ્યું છે ત્યારે ફરી પેલો યુવક કવિને કહે છે કે ના, ના તમે જ અહીં બેસો કેમ કે મને સતત રડવું આવે છે., આંસુના ઝળમળીયામાં મને મારૂ ઘર સફરઝનનું ઝાડ, ઝાડની ડાળી પર ફરકતી ધજા એ બધું મને કદાચ ન દેખાય તો? યુવકનું ગામ આવ્યું, કવિએ જોયું અને પેલા યુવકને પ્રેમથી કહ્યું ભાઇ સફરઝનના ઝાડની એક જ ડાળી પર નહીં, ડાળી-ડાળી પર ધજાઓ ફરકે છે!! દોસ્ત, તું જો ડાળીએ-ડાળીએ ધજાઓ ફરકી રહી છે. તારા માતા-પિતા રાહ જોઇ રહ્યાં છે.

માનસમાં વિભિષણની શરણાગતિનો મહિમા છે. વિભિષણે રાવણની સભાનો ત્યાગ કર્યો એ પછી વિભિષણ ત્રણ લોકોને મળવા જાય છે. (૧) તેની માતાને મળે છે અને કહે છે કે મા, મને ચરણપ્રહાર કરીને ભાઇ રાવણે કાઢયો છે મેં એને દગો નથી કર્યો (૨) કુબેરભાઇને વિભિષણ મળે છે અને કહે છે કે હું રામને શરણે જાઉ છું, તારા ધન-વૈભવના ભંડારમાંથી મારે કશું જ નથી જોઇતું અને (3) મહાદેવ પાસે વિભિષણ જાય છે. મહાદેવ સાક્ષી છે. આપણે ત્યાં મહાદેવને સાક્ષી રાખવા માનવામાં આવે છે. વિભિષણ કહે છે કે પ્રભુ, ભાઇ રાવણે મને સભામાંથી હાંકી કાઢયો છે! હવે હું રામ(સત્ય)ને શરણે જાઉ છું.

કથારત્નો

(૧) દાદાએ મને જમરૂખ નથી ખવડાવ્યાં પણ ‘જખ્મે રૂઝ’ આપી છે જેથી મને રૂઝ આવી જાય

(૨) શ્રી કૃષ્ણનું કિર્તન આપણા કલેશ કરે છે

(3) ભગવદ કથા શ્રવણથી આપણી દરેક ગ્રંથીઓથી મુકત થવાય છે

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા
ગુજરાત

જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા

Editor By Editor 13 hours ago
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
સોના-ચાંદીમાં નફાવસૂલીનો માર, ક્રૂડમાં નરમાઈથી રૂપિયાને ટેકો; શેરબજારમાં તેજીનો વિશ્વાસ યથાવત
પત્રકાર ભવન દ્વારા સ્વ. અમૃતલાલ શેઠની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?