કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા ખાતે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ.ચૌધરી, આગાખાન સંસ્થામાંથી શ્રી સુનિલ મીઠાપરા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના યંગ પ્રોફેશનલ પાયલબેન ટાંક, અરવિંદભાઈ બેરાણી અને ૮૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ
કાર્યક્રમની શરૂઆત અરવિંદભાઈ બેરાણી દ્વારા સૌનું સ્વાગત કરીને કરવામાં આવેલ ત્યારબાદ તેમણે કપાસની વિવિધ જાતો વિશે માહિતી આપેલ. પાયલબેન ટાંક દ્વારા કપાસના પાકમાં ખાતર વ્યવસ્થાપન, પિયત વ્યવસ્થાપન, નિંદામણ વ્યવસ્થાપન વિશે માહિતી આપવામાં આવેલ
ડો.જે.એચ.ચૌધરી દ્વારા ખેડૂતોને કપાસનું વાવેતર સાંકડા ગાળે કરવા માટેની ભલામણ કરવામાં આવેલ. અત્યારના સમયે ખેડૂતો ૫ ફૂટ x ૩ ફૂટ ના ગાળે વાવેતર કરે છે જેના બદલે હાઈ ડેન્સીટી પ્લાન્ટિંગ સિસ્ટમ મુજબ ૩ ફૂટ x ૧ ફૂટ અને ૩ ફૂટ x ૦.૫ ફૂટ ના ગાળે વાવેતર કરવામાં આવે તો કપાસના છોડની સંખ્યા ૫ થી ૬ ગણી વધે છે તેમજ જીંડવાની સાઈઝ, જીંડવાની ક્વોલિટી, રૂ ની ગુણવત્તા ખુબ જ સારી મળે છે અને ઉત્પાદનમાં ૩ થી ૪ ગણો વધારો જોવા મળે છે.