By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

Editor
Last updated: 2026/01/28 at 4:50 PM
5 months ago
Share
‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી
SHARE

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

ભાજપના જ કોર્પોરેટર દ્વારા ફોર્મ ભરાયાનું ખુલતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી

મીર અને રાઠોડ સરનેમના કારણે વાંધો ઉઠાવ્યાનું નગરસેવકનું રટણ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

પ્રજાસત્તાક પર્વના દિવસે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા અને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિને વિદેશમાં પણ જીવંત કરનાર એવા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી કમી કરવાનો પ્રયાસ કરાતા વિવાદ સર્જાયો છે. અગાઉ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ કમી કરવા ફોર્મ ભરાયું હતું.

બે દિવસ પહેલાં જ જેમને પદ્મશ્રીની જાહેરાત કરવામાં આવી છે તે હાજી રમકડુંએ આ વિવાદ અંગે કહ્યું કે હું જૂનાગઢના વોર્ડ નંબર 8માં 60 વર્ષથી રહું છું. મને ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ એવોર્ડ આપ્યા છે. મારામાં શું કમી છે કે મારી વાંધા અરજી કરી નાખી છે.

સંજય મણવરે જણાવ્યું હતું કે હાજીભાઈ રમકડું અમારા જૂનાગઢનું ગૌરવ છે, જૂનાગઢનું નહીં પણ હવે તો તે આપણા રાષ્ટ્રનું ગૌરવ કહેવાય. હાજીભાઈના વ્યક્તિગત નામ ઉપર કોઈ આપણે વાંધો નથી લીધો. હાજીભાઈ રમકડાનું નામ મીર હાજીભાઈ કાસમભાઈ, એમનું હમણાં જે સર્વોચ્ચ સન્માન મળ્યું રાષ્ટ્રીય લેવલથી એમાં પણ એમનું મીર હાજીભાઈ કાસમભાઈ નામ છે.

પરંતુ અમે જે વાંધો લીધો છે એમાં નામ છે હાજીભાઈ રાઠોડ. હાજીભાઈ રમકડું જ્યાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એ જ વિસ્તારમાંથી એ નામથી હતું એટલે આપણે 7 નંબરના ફોર્મથી એમનો વાંધો લીધો છે. ખરી રીતે આ SIRની પ્રક્રિયામાં જે તે વિસ્તારના બી.એલ.ઓએ તેમને આઠ નંબરનું ફોર્મ ભરાવીને જો એમનું હાજીભાઈ મીર નામના ચૂંટણી કાર્ડની અંદર હાજીભાઈ રાઠોડ હોય તો એ સુધરાવી લેવું જોઈએ. એક વ્યક્તિના બે ઓળખકાર્ડના હિસાબે આ દુવિધા ન થાય એ માટે તંત્રએ કામગીરી કરવી જોઈએ. ​ હું તો ચોક્કસ માનું છું કે હાજીભાઈ તો અમારા જૂનાગઢનું રાષ્ટ્રનું ગૌરવ છે, અમે ક્યારેય એના નામ કમી કરવા માટે થઈને અરજી ન કરી શકીએ. પણ આવા હાજીભાઈ જેવા સારા વ્યક્તિત્વના નામે કોઈ અન્ય મતાધિકારનો દુરુપયોગ નથી કરતા ને એની પૂર્તતા માટે થઈને જ સાત નંબરનું ફોર્મ દઈને વાંધા અરજી કરેલ છે. એમના પરિવારના પણ એમાં ત્રણ-ચાર લોકો છે. ત્યાં એ જ રાઠોડ, આ પરિવાર મીર હાજીભાઈ કાસમના પરિવારથી પ્રખ્યાત છે અને મારા જન્મ પહેલાથી આજની વાત નથી.

કોઈપણ વ્યક્તિ અને એમનું આપણે આખા પરિવારની તો પૂર્તતા ન કરી પણ હાજીભાઈની પૂર્તતામાં મારા ધ્યાને એમનું આધાર કાર્ડ આવ્યું હતું એમાં મીર હાજીભાઈ કાસમ છે એટલે આપણે ત્યાં આ જે રાઠોડ છે એ શંકાસ્પદ ગેરહાજર દર્શાવીને આપણે એની સામે વાંધા અરજી કરેલ છે અને જે તે તંત્ર એની પૂર્તતા કરીને એનું જે કંઈ નિરાકરણ લઈ આવશે એવી આપણે આશા રાખીએ.

જૂનાગઢ મનપાના નેતા વિપક્ષ લલિત પરસાણાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં હાજી રમકડુંને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી જાહેર કરાયો છે. ત્યારે જ ભાજપના કોર્પોરેટર દ્વારા હાજીભાઈનું નામ મતદારયાદીમાંથી દૂર કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાજી રમકડું સ્થળાંતર થયા હોવાની અરજી કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે બે દિવસ પહેલાં જ ભાજપના ધારાસભ્ય તેમના ઘર પર સન્માન કરવા ગયા હતા તો શું ભાજપના લોકોને ખબર નથી કે હાજી રમકડું જૂનાગઢમાં જ રહે છે.

You Might Also Like

ગાદલામાંથી નિકળ્યુ ૧૨ લાખનું સોનું, વેપારીએ મૂળ માલિકને પરત કર્યુ

માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો

માંગરોળમાં શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓનું દબાણ

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા
રાષ્ટ્રિય

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

Editor By Editor 17 hours ago
ભાજપ નેતાનો પુત્ર ખોટી નંબર પ્લેટવાળી ગાડીમાં દારૂની હેરફેર કરતા ઝડપાયો
 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી
MCXમાં સોનું-ચાંદી ચમક્યા, ક્રૂડ નરમ; શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?