બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
વિશ્વપ્રસિધ્ધ જૈનતીર્થ ભૂમિ પાલીતાણામાં રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો શનિવારથી મંગલ-દિવ્યારંભ
સાધના-તપની અનેક ધારાઓની ધરા પાલિતાણાની શૂભ ભૂમિ પર પચાસ વર્ષ પછી બાપુની રામકથાનું ગાન
‘રામચરિત માનસ’માં શિવાજીના નવસંકલ્પનું મહિમા ગાન થયું છે
હરિ ઇચ્છા ભાવિ બલવાના,
હૃદય વિચારત સંભુ સુજાના
તબ સંકર પ્રભુપદ સિરૂ નાવા
સુમિરત રામુ હૃદય અસ આવા
એહિતન સતિહિ ભેટ મોહિ નાહી.
સિવ સંકલ્પુ કિન્હ મન માહી.
તુલસીદાસજી રચિત ‘રામચરિત માનસ’ની બાલકાંડ ઉપરોકત પંકિતઓને કેન્દ્રસ્થ રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો ગત શનિવારે વિશ્વ પ્રસિધ્ધ જૈનતીર્થ ક્ષેત્ર પાલિતાણાની દિવ્ય-શુભ ભૂમિ પર મંગલમય પ્રારંભ થયો હતો.
પ્રથમ દિવસ (શનિવાર)નો કથા પ્રેમસંવાદની ભૂમિકા મહેતા બાપુએ જણાવ્યું હતું કે હરિની ઇચ્છા મુજબ જ ભાવિ નિર્માણ થતું હોય છે અને અંતે ભગવાનની ઇચ્છાથી આ પવિત્ર સ્થાન પર કથાનો સંકલ્પ પૂર્ણ થઇ રહ્યો છે. પચાસ વરસ પછી મારે આ ભૂમિમાં આવવાનું થયું એની પ્રસન્નતા છે. હરિ ઇચ્છા બળવાન છે. પરમાત્માની ઇચ્છા હોય એ રીતે જ ઘટના ઘટતી હોય છે. પહેલા દોશી પરિવારના યજમાન પદે જૈન ધર્મ, બૌધ્ધ ધર્મ અન્ય ધર્મો અને સનાતન-ધર્મના એક-એક મંત્ર લઇને ‘માનસ નવકાર મંત્ર’ પર કથાગાન કરવાની ઘોષણા કરેલી પણ બે વિચાર ધારા સાથે સંવાદ જ થવો જોઇએ પણ બાલગિરીબાપુનો શિવ સંકલ્પ પૂરો થયો. ધર્મ સંવાદ જગતમાં બહુ જરૂરી છે. સમરસતાથી એવું નક્કી થયું કે શિવ સંકલ્પ પર કથાગાન-સંવાદ કરીશું. ફરી કયારેક કોઇ જૈનતિર્થમાં ‘માનસ નવકારમંત્ર’ પર સંવાદ કરીશું.
કથાના બીજા દિવસે (ગઇકાલે-રવિવારે) કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહ્યું કે એક વંદમંત્ર-રૂચાથી આજની કથાનો સંવાદ આગળ લઇ જઇએ તો અથર્વાઋષિની રૂચા છે. આપણે સૌએ પઠન કરીએ.
યસ્તે ગંધ: પુરૂષેસુ સ્ત્રીસુ પુન્સુ
ભગો રૂચિ: યો અશ્વેસુ ગિરેસુ યા
મૃગસુત હરિસ્તુ કન્યાયા વરચો યદ
ભૂમે તેનાસ્મા અપિ સં સૃજ માનૌ
દિક્ષીત કશ્ચન.
આ વેદ મંત્રમાં સુગંધના દસ પ્રકારનું વર્ણન છે. અથર્વાઋષિની ઋચા કહે છે કે આ જગતમાં દસ પ્રકારની સુગંધ છે (૧) પુરૂષની સુગંધ-ખુશ્બુ, પરસેવાની નહીં પણ પુરૂષમાં એક અધ્યાત્મ ગંધ હોય છે. (૨) સ્ત્રી શરીરની સુગંધ માતૃ શકિતની પણ સુગંધ હોય છે. બાળકને માતાની એક પ્રકારની વિશેષ ખુશ્બુ-સુવાસ-ગંધ હોય છે. (3) પશુ-જીવ-જંતુઓની સુગંધ ગાય માતાની એક સુગંધ હોય છે. (૪) પ્રભાવ એટલે કે ઐશ્વર્યની સુગંધ (૫) રૂચિ એટલે સ્વભાવની સુગંધ (૬) ઘોડા(અશ્વ)ની સુગંધ મહારાણા પ્રતાપ ત્રણને ‘બાપ’ કહેતા (૧) તેના પિતાને (૨) સૂર્ય દેવતાને અને (3) તેના અશ્વ-ઘોડા ચેતકને પણ બાપ..કહેતા (૭) વીરપુરૂષની સુગંધ (૮) હરણની નાભિની સુગંધ…કબીર કહી ગયા કે ‘કસ્તુરી કુંડલબસે’ મૃગ ઢુંઢે વન માહી…કહેવાય છે કે હરણ-મૃગની નાભીમાં જ સુગંધ હોય છે અને એ વન-જંગલમાં શોધે છે. તલગાજરડાની દ્રષ્ટિએ મને એવું સમજાય છે કે હરણની નાભીમાં જ જે સુગંધ હોય તો હરણને એની ખબર ન હોય એવું ન હોય પણ હરણ વનમાં ફરે છે એનો અર્થ એ કે એ સુગંધ ઠેર-ઠેર વહેંચવા નીકળે છે. જેની પાસે ઓય એ અલગ-અલગ આપી દેવા નીકળે છે. મને આવું સમજાય છે. (૯) હાથીની સુગંધ અને (૧૦) કુંવારી કન્યાની સુગંધ-કૌમાર્ય સંયમની સુગંધ વર્ષો પહેલા આ સ્થિતિ હશે જ કે કુમાર અને કુમારીના સંયમ-કૌમાર્યની સુગંધ હોય એને જ ગુરૂકૂળમાં પ્રવેશ મળતો હશે. આજે કળિયુગમાં કવિ પ્રભાવને કારણે ગુરૂકૂળો-વિદ્યાર્થીઓ-આશ્રમોમાં હવે કૌમાર્ય નજરે નથી પડતું. આજે એવું થવું જોઇએ કે કૌમાર્યમાં સંયમ હોય એના કુમાર-કુમારોને પ્રવેશ આપવો.
‘રામચરિત માનસ’માં શિવજીના નવસંકલ્પો બનાવાયા છે. એની આપણે ચર્ચા કરીશું. આ નવ પ્રકારના સંકલ્પો છે. એમાં પ્રથમ-પહેલો સંકલ્પ શિવજીનો ‘રામચરિત માનસ’ની રચનાનો સંકલ્પ છે. શિવજીએ રામાયણ-રામચરિત માનસનું લેખન કર્યુ છે. એક ભાઇએ મને પૂછયું કે બાપુ, તમારૂ બેકગ્રાઉન્ડ કયું? જવાબ: બેરૂખો એ મારૂ બ્રેકગ્રાઉન્ડ છે.
કથારત્નો
(૧) આદત બૂરી સુધારલે તો હો ગયા ભજન ભજન સમતા કા અંજન આંજ લે તો હો ગયા ભજન ભજન
(૨) જેણે શિવ સંકલ્પ કર્યો હોય એની સુગંધ હોય છે
(3) વસ્તુના અસ્તિત્વનો પ્રચાર થાય એમાં માણસને વધારે રૂચિ હોય છે મૂળનો આનંદ એ નથી લઇ શકતો.


