મૃતકના પિતાને ઘટના બની તે પહેલા થયેલા હુમલાનો વીડિયો ન બતાવવા પાછળ અનેક તર્કવિર્તક
બે માસ પૂર્વે નવાગામ રોડ પર આવેલા એક ગોડાઉનમાં સગીર બેભાન અવસ્થામાં મળી આવતા તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના પાછળ આજે કુવાડવા રોડ પોલીસની ગુનાહિત બેદરકારી સામે આવી છે. કારણ કે આ ઘટના હાર્ટ એટેકની નહીં પરંતુ હત્યાની હોવાનું ખૂલવા પામ્યું છે. સગીરના પિતાએ દોડધામ કરી બનાવ બન્યો તે દિવસના સીસીટીવી ફૂટેજ મેળવતા સમગ્ર ઘટનાનો ભંડાફોડ થયો છે અને પોલીસની ગુનાહિત બેદરકારી પણ સામે આવી છે.
સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો શહેરના સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલ નગર પાંચમાં રહેતા કમલેશભાઈ માવજીભાઈ ગોરી નો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો. ગત તારીખ 1 મે ના રોજ રાત્રિના 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે હર્ષિલ પડી ગયેલ હોય અને તેને બેભાં હાલતમાં હોસ્પિટલે લવાતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બાદમાં હર્ષિલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમયે કુવાડવા રોડ પોલીસ મથકનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તેઓએ આ ઘટનાને હાર્ટએટેકમાં ખપાવી દીધી હતી. એટલું જ નહીં પોસ્ટમોર્ટમ ખાતે હાજર સગીર હર્ષિલ ના મોટા બાપુ ને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. જેમાં ગોડાઉનમાં હર્ષિલ બેભાન પડ્યો હોય અને ત્રણથી ચાર લોકો તેને હવા નાખી રહ્યા હોય તેવું દ્રશ્યમાન થાતું હતું. પરંતુ આ ફૂટેજ ઘટના બાદના હતા ઘટના પહેલાના ફૂટેજ દબાવી દેવામાં આવ્યા હતા.
પુત્ર હર્ષિલને હાર્ટ અટેક આવે તે વાતને તેની માતા માનવા તૈયાર ન હતી. જેથી પતિ કમલેશભાઈને અવારનવાર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે કહેતી હતી. જેથી કમલેશભાઈ તેની પત્નીની વાત મનાવવા માટે ગોડાઉન ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા શિવજી પાસે ગયા હતા અને તેમને સીસીટીવી ફૂટેજનું કહેતા શિવજીએ ત્યાં હાજર માણસને સીસીટીવી ફૂટેજ આપવા કહ્યું હતું અને તેણે સીસીટીવી ફૂટે આપ્યા હતા અને તે જોતા માતા-પિતાના હોસ ઉડી ગયા હતા. તેમન પુત્ર હર્ષિલને બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું સામે આવ્યું હતું. આમ માતાની શંકા સાચી ઠરી હતી.. આ ઉપરાંત હર્ષિલના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે પણ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે, હર્ષિલ નું મોત બ્રેઇન હેમરેજથી કાર્ડિયાક ફેલ્યોરથી મોત થયું છે. છતાં પણ પોલીસે ડોક્ટરના આ રિપોર્ટની અવગણના કરી આખા કાંડને છુપાવ્યું હતું. એટલું તો ઠીક છે ત્રણ જુલાઈના રોજ હર્ષિલના પિતા કમલેશભાઈએ કુવાડવા રોડ પોલીસ અને પોલીસ કમિશનર બંનેને લેખિતમાં અરજી આપી ઘટના હત્યાની હોવાનું જણાવ્યું છે અને આ હત્યા ગોડાઉનમાં જ હર્ષિલની સાથે ફરજ બજાવતા સુશીલ ઉર્ફે સુતલો આહીર અને તેની સાથે સંકળાયેલા અન્ય બે કર્મચારી જેઠાભાઇ ઉર્ફે જયેશ શામજી ગોરી અને શિવજી શામજી ગોરીએ કરી છે. પરંતુ પોલીસ કમિશનર કે કુવાડવા પોલીસ બંનેમાંથી કોઈએ આ અરજી પર ધ્યાન આપ્યું નહીં અને સમગ્ર ઘટનાને હજુ પણ દબાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે.