- દિલ્હીથી અમદાવાદ આવતી 1 ફલાઇટ મોડી
- દુર્ઘટનાને લઈ દિલ્હી એરપોર્ટની 28થી વધુ ફ્લાઈટ રદ્દ
- ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જર રજડી પડ્યા
દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાની અસર અમદાવાદમાં વર્તાઈ છે. જેમાં અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. તેમાં દિલ્હીથી અમદાવાદ આવતી 1 ફલાઇટ મોડી પડી હતી. દુર્ઘટનાને લઈ દિલ્હી એરપોર્ટની 28થી વધુ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. તેમજ દિલ્હીથી આવતી ફલાઇટના શિડ્યુઅલ પર અસર થઇ રહી છે.
અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ રદ કરવામાં આવી
ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જરોને હાલાકી પડી રહી છે. દિલ્હી એરપોર્ટની દીવાલ તૂટવાની ઘટનાની અસર અમદાવાદ એરપોર્ટ પર પડી છે. તેમાં અમદાવાદથી દિલ્હી જતી એક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ દિલ્હીથી આવતી ફલાઇટના શિડ્યુઅલ પર અસર થતા પેસેન્જરો અટવાયા છે. જેમાં દિલ્હીમાં વરસાદ વચ્ચે એરપોર્ટ ટર્મિનલ 1ની પાર્કિંગની દિવાલ તૂટી પડી હતી. એરપોર્ટ પર સર્જાયેલી દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમજ દિલ્હી એરપોર્ટની દુર્ઘટના અને વરસાદના લીધે 28થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જર રજડી પડ્યા
ફ્લાઈટ રદ થતાં 100થી વધુ પેસેન્જર રજડી પડ્યા છે. જેમાં રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થઈ છે. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત પડી જવાને કારણે ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ છે, જ્યારે કારમાં હાજર એક અને બહાર 7 લોકો ઘાયલ પણ થયા છે. સ્થિતિને જોતા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું હોસ્પિટલમાં એકનું મોત થયાના સમાચાર છે. પરિસ્થિતિને જોતા ટર્મિનલ 1 થી બપોરે 2 વાગ્યા સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શુક્રવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જ્યાં દિલ્હીના રસ્તાઓ વરસાદથી ભરાઈ ગયેલા દેખાય છે. વરસાદના કારણે ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનસ-1ની છત પડી ગઈ હતી અને તેમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા.


