- PTIના વડાની બહેનનો આક્ષેપ
- ઈમરાખાનની જેલમાં થઈ શકે છે હત્યા
- ઈમરાખાનને લઈ પરિવારમા ચિંતા
પાકિસ્તાનના પૂર્વ પીએમની બહેનનો આક્ષેપ
પાકિસ્તાનના પૂર્વ પીએમની બહેનનો આક્ષેપ છે, કે પીટીઆઈએ બે તૃતિયાંશ બહુમતી સાથે ચૂંટણી જીતી છે. તેથી ચૂંટણી પરિણામોની જાહેરાતમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. તો ઈમરાન ખાનની બહેનનો આક્ષેપ એ પણ છે. કે સેના તેમને જેલમાં મારી નાખવાનું કાવતરું કરી રહી છે.
નથી આવ્યા સંપૂર્ણ પરિણામો
પાકિસ્તાન ચૂંટણી 2024ના પરિણામ હજુ સંપૂર્ણ રીતે આવ્યા નથી, પરંતુ અત્યાર સુધી ઈમરાન ખાને મતગણતરીમાં સારી લીડ મેળવી લીધી છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પીપીપી ઘણી પાછળ રહી ગઈ છે. પીટીઆઈ ચીફ જેલમાં છે, પરંતુ જનતાએ તેમના પક્ષના ઉમેદવારો પર જ વિશ્વાસ દર્શાવ્યો છે. જો કે ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગતિવિધિઓ અને બયાનબાજીનો સિલસિલો જારી છે. ઈમરાન ખાનની મોટી બહેને દાવો કર્યો છે કે સેના પીટીઆઈ ચીફને ગમે ત્યારે મારી શકે છે. તેમની પાર્ટીએ ચૂંટણી જીતી છે.
250 બેઠકો પર મત ગણતરી પૂર્ણ
અત્યાર સુધીમાં 250 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ઈમરાન ખાનની પીટીઆઈ દ્વારા સમર્થિત 99 ઉમેદવારો વિજયી થયા છે. આ ચૂંટણીમાં પીટીઆઈ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો અને તેથી ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. બીજા સ્થાને છે. નવાઝ શરીફે અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
નવાઝ શરીફે અપક્ષોને સાથે આવવા આમંત્રણ આપ્યું
પૂર્વ PM અને PML(N)ના વડા નવાઝ શરીફે શુક્રવારે તેમના સમર્થકોને સંબોધિત કર્યા, અને તેમના સમર્થન માટે દેશની જનતાનો આભાર માન્યો. તેમણે અન્ય પક્ષોને ગઠબંધન સરકાર બનાવવા માટે સાથે આવવા આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાર્ટી એકલા હાથે સરકાર બનાવશે અને નવાઝ શરીફ સાથે જવાનો કોઈ પ્રશ્ન જ નથી.


