By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 day ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/22 at 2:51 PM
1 hour ago
Share
માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
SHARE

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

ખાદીના વસ્ત્રો આપણું વલ્કલ છે

કરૂણા કોમળ હોય છે, કૃપા કયારેક કઠોર હોય છે

આંતરિક યાત્રાનો રથ આપણે પોતે જ ખેંચવાનો છે, એમાં ઘોડા નથી હોતા!

 

આફ્રિકા-કેન્યાના કેરિચો શહેરના પ્રાકૃતિક ઉપવનોથી સભર એવી ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’ ગઇકાલે ચોથા પડાવ પર પહોંચી છે. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે રથયાત્રાને કેન્દ્રમાં રાખીને આપણે સંવાદ કરી રહ્યાં છીએ ત્યારે અહીં આંતરયાત્રા-ભીતરી-આંતરિક યાત્રાને ધ્યાનમાં રાખવાની છે અને આંતરિક રથયાત્રા આપણે પોતે જ ઊંચકવાની છે. એમાં ઘોડા નથી હોતા! આપણે જ સારથી અને આપણે જ રથિ. સનાતન ધર્મના ચાર સ્થંભો છે. (૧) સનાતન ધર્મ તર્કની છૂટ આપે છે અન્ય ધર્મોમાં તર્કની મનાઇ છે (૨) સનાતન ધર્મમાં સૌને એમના વિચારોનો અધિકાર છે વિચારોની પ્રસ્તુતિ માટે સૌ કોઇ સ્વતંત્ર છે આ સનાતન ધર્મની મહાનતા છે. (3) વિશેષમુકત શાસ્ત્ર સંમત ધર્મ એ પણ સનાતન ધર્મનો સ્તંભ છે. (૪) સનાતન ધર્મ વિજ્ઞાનને લઇને ચાલે છે, અહીં વિજ્ઞાનનો સ્વીકાર છે.

આપણે મોટે ભાગે આલોચક લોચનથી કોઇપણ વસ્તુ કે ઘટનાને જોતા હોઇએ છીએ પણ અપલક લોચનની દ્રષ્ટિ રાખવી જોઇએ. આલોચક લોચન પ્રમાણ-હંમેશા પ્રમાણ માંગે છે. જયારે અપલક લોચન પ્રમાણ નહીં પ્રણામ કરે છે. રામકૃષ્ણ ઠાકુરને લોકોએ ખૂબ પજવ્યાં છે. કહે કે એને વાઇ આવછે છે. એટલે પડી જાય છે. રોગ છે, ધ્યાન વગેરે બકવાસ છે. કેટકેટલું સ્વામી રામકૃષ્ણ વિશે, બૌધ્ધિકો-કહેવાતા બૌધિકોએ એમને હેરાન કર્યા છે. પણ આલોચક લોચનથી જોનારાની ઉપેક્ષા કરી ઠાકુર તો અપલક લોચનથી મા…મા…મા…નો પોકાર કરતાં હતાં

કલકત્તાથી એક પ્રશ્ન આવ્યો છે (અનુબુઆનો પ્રશ્ન છે) પ્રશ્ન : બાપુ, કૃપા અને કરૂણામાં અંતર છે? જવાબ : હા, કૃપા અને કરૂણામાં ભેદ છે. કૃપા દ્રવિત થાય ત્યારે કરૂણામાં ફેરવાય જાય છે અને કૃપા કયારેક-કયારેક કઠોર પણ હોય છે કરૂણા કોમળ છે અને બાળપણમાં ભણતા ત્યારે હિન્દી ભાષામાં એક પાઠ આવતો ‘કઠોર કૃપા’ સરસ પાઠ હતો એમાં એક ગરીબ પરિવાર, ફળિયામાં સફરજનનું ઝાડ એ જ આજીવિકાનો આધારને સફરજન ખાય, સફરજન વેંચે એમ જીવન ગુજારે, હવે આ પરિવારને ત્યાં એક મહેમાન આવે છે અને જુએ છે કે આ લોકો ગરીબ છે. આ સફરજનનું ઝાડ એનો સહારો છે. મોડી રાતે મહેમાને ફળિયામાં ઉગેલા સફરજનના ઝાડને ઉખેડી નાંખે છે અને મહેમાન જતો રહે છે સવાર પડતા પરિવારના લોકોએ જોયું તો સફરજનનું ઝાડ મહેમાનોને તોડી નાખ્યું છે! પછી તો પરિવારના દરેક સભ્ય કોઇને કોઇ જગ્યાએ કામે લાગે છે અને ધીમે-ધીમે પરિવારની સ્થિતિ સારી થતી જાય છે. એક વર્ષ પછી પૈસો મહેમાન પાવછો આવે છે ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ જોઇને પ્રસન્ન થાય છે. આ હતી કઠોર કૃપા, કરૂણામાં લેનદેન ન હોય, કરૂણામાં આંસુઓ હોય છે શંકર પણ કરૂણા અવતાર છે

આપણી આંતરિક રથયાત્રા-ભીતરી યાત્રા માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે (૧) શરીર શૃધ્ધિ-સ્વચ્છ વસ્ત્રો-પોષાક આપણી વૃત્તિઓ પ્રગટ કરે છે. (૨) મનશૃધ્ધિ-અચલ-નિર્મલ મન આંતરીક યાત્રા માટે ખૂબ જરૂરી છે. (3) ભાવશૃધ્ધિ સ્વામી રામતીર્થ-બાદશાહ રામતીર્થ રોજ પોતાની ડાયરી લખતાં, ઘણાં લોકો ડાયરી લખે છે (લખવા જેવું ન હોય તોય લખે છે!) તો સ્વામી રામતીર્થને સરદારપૂરણસિંહ પ્રશ્ન પૂછે છે કે સ્વામી, તમે દુનિયામાં યાત્રા કરો છો, જાપાન ગયા, અમેરિકા ગયા તો આ તો બહિરયાત્રા છે, આંતરિક યાત્રાનું શું? ત્યારે સ્વામી રામતીર્થ સરદાર પુરણસિંહને આંતરિક યાત્રાનું યાત્રાષ્ટક આપે છે. જેટલું યાદ આવે એ હું આપને કહું..બાદશાહ રામતીર્થ કહે છે કે અંતરયાત્રા એકાંતમાં થાય, બહાર યાત્રામાં ભીડ હોય છે, બહિર યાત્રા પરિગ્રહી હોય, અંતરયાત્રા અપરિગ્રહી હોય છે, બહિરયાત્રામાં પૂજન-અર્ચન હોય જયારે અંતરયાત્રામાં ભજન નિરંતર ભજન હોય, બહિર યાત્રામાં મુખરતા હોય છે આંતરિક યાત્રામાં મૌન હોય છે. દરેક મુખરતા એ બહિર યાત્રા છે પણ મૌન એ અંતરયાત્રા છે. બહિર યાત્રા સાધન સંપન્ન હોય, આંતરિક યાત્રા સાધના સંપન્ન હોય છે. પદયાત્રાએ બહિરયાત્રા છે પણ સદયાત્રા-સત્યયાત્રા આંતરિક યાત્રા છે.

 

કથારત્નો

(૧) રામાયણ-ગીતા મારી અંતર આંખો, હરિએ દીધી છે મને ઉડવાને પાંખો!

(૨) બિનતી સુનિએ નાથ હમારી! ઔર કહું કયા અંતર્યાની, તન, મન, ધન, પ્રોણો કે સ્વામી કરૂણાકર આકર કે કહિએ, સ્વીકારી વિનતી સ્વીકારી..

(3) ‘અવસર’ શબ્દ વૈષ્ણવી-વલ્લભ પરંપરાનો ખૂબ સુંદર શબ્દ છે

(૪) અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન…

(૫) સાધુ ‘જપ’ નથી ઇચ્છતો ‘ધન્ય’ જ ઇચ્છે છે.

You Might Also Like

હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ

તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ

ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ

ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!
રાજકોટ

રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!

Editor By Editor 4 days ago
રાજકોટ લોકસંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજાશે
ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં અષાઢી બીજની ઉજવણી કરાઇ
ઉનામાં ઇસ્માઈલી CIVICના બેનર હેઠળ ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ
ગિરનારમાં એન્ટ્રી-એકઝીટ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રથમ દિવસે જ ધબાય નમ:…!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?