જામજોધપુરના વસંતપૂર નજીક PIની કારે હડફેટે લેતા બે યુવાનના મોત
બળદના શવને ટ્રેકટરમાં ચડાવવાની કામગીરી દરમ્યાન સર્જાયેલો અકસ્માત
અગ્ર ગુજરાત, જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારથી સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, PI એન. બી. ચૌહાણ પોતાની ખાનગી ક્રેટા કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે વસંતપૂર પાટિયા નજીક બે યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. મૃત બળદના શવને લઈ જતી વખતે આ દુર્ઘટના બની હતી.
મળતી માહિતી મૂજબ જામજોધપુર નજીક વસંતપૂર પાટિયા એક મૃત બળદના શવને લઈ જવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યું હતું અને બળદના શવને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી સમયે PI એન. બી. ચૌહાણની ખાનગી ક્રેટા કારે ત્યાં ઉભેલા લોકોને ટક્કર મારી હતી.
PI એન. બી. ચૌહાણ પોતે જ આ કાર ચલાવી રહ્યાં હતા. આ ટક્કરમાં જમવાડીનો 30 વર્ષીય રોનક ખાંટ નામનો યુવક અને લૂધા ગઢવી નામના જામજોધોપુર યુવકના યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે રામદાસ ગોંડલીયા નામના એક વૃદ્ધ મહંત ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ PI એન. બી. ચૌહાણ પોતે આ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલ લઈ ગયા હતા.
PI એન. બી. ચૌહાણ પોતાની ફરજ પરના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હાલ હાજર છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.


