By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: માણસનાં દુઃખનું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

માણસનાં દુઃખનું કારણ

AgraGujarat Rajkot
Last updated: 2025/09/11 at 9:06 AM
1 year ago
Share
માણસનાં દુઃખનું કારણ
SHARE

લોકો બે રીતે દુઃખી થઈ શકે છે. સામાન્ય રીતે લોકો શારીરિક દુઃખ અને માનસિક દુઃખ એ રીતે વિચારે છે. શારીરિક દુઃખ અલગ અલગ કારણોથી થઈ શકે છે, પણ માણસોનું 90% દુઃખ માનસિક છે, જેનું કારણ આપણી અંદર છે. લોકો રોજ પોતાના માટે દુઃખ બનાવે છે – ગુસ્સો, ડર, નફરત, ઈર્ષ્યા, અસુરક્ષા અને બીજી ઘણી વસ્તુઓનું દુઃખ. આ જ દુનિયામાં સૌથી વધારે દુઃખ છે.

દુઃખનું કારણ

માણસો કેમ દુઃખી છે? ચાલો આપણે દુઃખના કારણને સમજીએ. આજે સવારે શું તમે જોયું કે સૂર્ય કેટલી સુંદર રીતે ઊગ્યો? ફૂલો ખીલ્યાં, તારામંડળો બહુ સરસ રીતે કામ કરી રહ્યાં છે. બધું વ્યવસ્થિત છે. આખું બ્રહ્માંડ આજે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે, પણ તમારા મગજમાં ફરતો એક નાનકડો વિચારનો કીડો જોઈને તમને લાગે છે કે આજનો દિવસ ખરાબ છે. દુઃખ મૂળભૂત રીતે એટલા માટે થઈ રહ્યું છે, કેમ કે મોટાભાગના માણસોએ આ જીવન શું છે તેનો દૃષ્ટિકોણ ગુમાવી દીધો છે. તેમની માનસિક પ્રક્રિયા અસ્તિત્વની પ્રક્રિયા કરતાં ઘણી મોટી થઈ ગઈ છે અથવા સીધી રીતે કહીએ, તો તમે તમારી નાનકડી રચનાને સર્જનહારની રચના કરતાં ઘણી વધારે મહત્ત્વની બનાવી દીધી છે. આ જ બધાં દુઃખનું મૂળ કારણ છે. આપણે અહીં જીવિત હોવાનો મતલબ શું છે તેની પૂરેપૂરી સમજ ગુમાવી દીધી છે. તમારા મગજમાં ચાલતો એક વિચાર કે તમારી અંદરની એક લાગણી અત્યારે તમારા અનુભવની પ્રકૃતિ નક્કી કરે છે. આખી સૃષ્ટિ બહુ સરસ રીતે ચાલી રહી છે, પણ બસ એક વિચાર કે લાગણી બધું બગાડી શકે છે અને તમારા વિચાર અને લાગણીને કદાચ તમારા જીવનની સીમિત વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા ન હોય એવું પણ બને. તમે જેને `મારું મન’ કહો છો તે વાસ્તવમાં તમારું નથી. તમારી પાસે તમારું પોતાનું મન નથી. પ્લીઝ આને ધ્યાનથી જુઓ. તમે જેને `મારું મન’ કહો છો તે બસ સમાજની કચરાપેટી છે. તમારી પાસેથી પસાર થતો દરેક વ્યક્તિ તમારા મગજમાં કંઈક નાખે છે. કોની પાસેથી લેવું અને કોની પાસેથી ન લેવું તેની તમારી પાસે ખરેખર કોઈ પસંદગી નથી. જો તમે કહો કે, `મને આ વ્યક્તિ નથી ગમતી’, તો તમે તે વ્યક્તિ પાસેથી બીજા કોઈ કરતાં વધારે લેશો. જો તમે જાણો કે તેને કેવી રીતે સંભાળવું અને વાપરવું, તો આ કચરો ઉપયોગી છે.

માનસિકથી અસ્તિત્વગત તરફ

જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાની વાત કરીએ છીએ, ત્યારે આપણે માનસિકથી અસ્તિત્વગત તરફ જવાની વાત કરીએ છીએ. જીવન એ અહીં જે સૃષ્ટિ છે તેના વિશે છે. તેને સંપૂર્ણ રીતે જાણવા અને તે જેમ છે તેવી રીતે અનુભવવા વિશે છે. તમે જેમ ઈચ્છો તેમ તેને વિકૃત કરવા વિશે નહિ. જો તમે અસ્તિત્વની વાસ્તવિકતામાં જવા માંગો છો, તો ખૂબ સરળ શબ્દોમાં કહીએ, તો તમારે બસ એ જોવું પડશે કે તમે જે વિચારો છો તે મહત્ત્વનું નથી, તમે જે લાગણી અનુભવો છો તે મહત્ત્વની નથી. તમે જે વિચારો છો તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. જીવન સાથે તેની કોઈ મોટી સુસંગતતા નથી. તે બસ જે તમે બીજે ક્યાંકથી એકત્ર કર્યું છે તેને લઈને થઈ રહેલી બકબક છે. જો તમને લાગે કે તે મહત્ત્વનું છે, તો તમે ક્યારેય તેનાથી આગળ નહિ જુઓ. તમે જેને મહત્ત્વનું માનો છો તેની દિશામાં તમારું ધ્યાન કુદરતી રીતે વહે છે. જો તમારા વિચાર અને લાગણી મહત્ત્વના છે, તો કુદરતી રીતે તમારું આખું ધ્યાન ત્યાં જ હશે, પણ તે એક માનસિક વાસ્તવિકતા છે. તેને અસ્તિત્વગત વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

દુઃખ આપણા પર વરસાવવામાં નથી આવતું, તે બનાવવામાં આવે છે અને બનાવવાનું કારખાનું તમારા મનમાં છે. તે કારખાનું બંધ કરવાનો સમય આવી ગયો છે.

You Might Also Like

પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ

રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ

રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ

ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?