By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓરિસ્સાનું ખૂબ જ પ્રાચીન પરશુરામેશ્વર મંદિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઓરિસ્સાનું ખૂબ જ પ્રાચીન પરશુરામેશ્વર મંદિર

Last updated: 2025/04/24 at 6:55 AM
1 year ago
Share
ઓરિસ્સાનું ખૂબ જ પ્રાચીન પરશુરામેશ્વર મંદિર
SHARE

ભારતભરમાં કેટલાંય વિશાળ પ્રાચીન-અર્વાચીન મંદિરો આવેલાં છે. આ પૈકીનાં મોટાભાગનાં મંદિરોમાં આજે પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમજ આ પ્રાચીન-અર્વાચીન મંદિરોની વ્યવસ્થિતપણે જાળવણી પણ કરવામાં આવે છે.

ઓરિસ્સામાં પણ કેટલાંક પ્રાચીનતમ મંદિરો આવેલાં છે. જેમાં કોર્ણાક, જગન્નાથ અને લિંગરાદ જેવાં પ્રાચીનતમ મંદિરો આવેલાં છે. અહીં માત્ર ભારતના જ શ્રદ્ધાળુઓ નહીં, પરંતુ વિદેશમાંથી પણ પર્યટકો અને શ્રદ્ધાળુઓ આ મંદિરોના દર્શનાર્થે અને તેમની ભવ્યતા જોવા આવે છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર છે, જે ખૂબ જ મોટું અને વિશાળ છે. અહીંથી માત્ર એકાદ કિમી. દૂર પરશુરામેશ્વર મંદિર આવેલું છે, જે રાજ્યના સૌથી જૂના અને સૌથી સંરક્ષિત મંદિરો પૈકીનું એક ગણવામાં આવે છે.

ભુવનેશ્વર શહેર મંદિરોના પર્યાય તરીકે પણ પ્રસિદ્ધ છે. એક રિપોર્ટ પ્રમાણે સદીઓ પહેલાં અહીં સાત હજારથી પણ વધુ મંદિરો હતાં અને હવે અહીં અંદાજિત સાતસો જેટલાં મંદિરો જોવા મળે છે, તેથી જ આ શહેરને મંદિરોના શહેર તરીકે વિશેષ ઓળખવામાં આવે છે. ઈતિહાસમાં જણાવ્યા પ્રમાણે 7મી અને 13મી સદીની વચ્ચે ઓરિસ્સામાં ભૌમકારા, સોમવંશી અને પૂર્વી ગંગ જેવા અનેક રાજવંશો દ્વારા અહીં અઢળક મંદિરોનું આયોજનબદ્ધ નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ રાજવંશોએ આ વિસ્તારોમાં ઘણાં વર્ષો સુધી રાજ કર્યું હતું. આ રાજાઓમાં શૈલોભ્દવ રાજવંશ પણ હતા, જેમણે 7મી અને 8મી સદીની આસપાસ આ પરશુરામેશ્વર મંદિર બનાવ્યું હતું. શૈલોભ્દવ રાજવંશની ચર્ચા ભારતભરમાં થતી હતી. આ રાજવંશે અંદાજિત છઠ્ઠી સદીથી લઇને આઠમી સદી સુધી શાસન કર્યું હતું. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે શૈલોભ્દવ શરૂઆતમાં ગૌડ રાજા શશાંકના સામંતો હતા. જોકે, કાળક્રમે તેમણે સાતમી સદીના મધ્યમાં જ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધા હતા. અલબત્ત, તેમનું શાસન ખૂબ લાબું ચાલ્યું નહીં. તેઓ પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં શાસન કરતા હતા. તેમનું મૂળ ક્ષેત્ર કોંગોડા-મંડલા હતું, જેને હાલના સમયમાં ગંજમ, પુરી અને ખોરધા તરીકે ઓળખવામાં આવે છે.

પરશુરામેશ્વર મંદિરનું નિર્માણ

પરશુરામેશ્વરનો અર્થ પરશુરામ ભગવાન થાય છે. આ મંદિરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામના રૂપમાં શિવજીનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અહીં પરશુરામે આકરી તપસ્યા કરી હતી ત્યારે શિવજીની કૃપા થઇ હતી. મૂળ આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. એક ઐતિહાસિક રિપોર્ટ પ્રમાણે આ ઓરિસ્સાનું પહેલું મંદિર છે જેમાં જગમોહન/સભાગાર (ઓડિટોરિયમ) પણ છે. મૂળ આ ઓડિટોરિયમ ઓરિસ્સાનાં મંદિરોની વિશેષતા હોય છે. આ શિવમંદિરમાં અન્ય દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે.

મંદિરમાં જોવા મળતી અન્ય મૂર્તિઓ

પરશુરામેશ્વર મંદિરને ભુવનેશ્વરના પ્રથમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં સપ્ત માત્રિરિકા એટલે કે સાત દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે. આ તમામ મૂર્તિઓ પૂજવામાં આવે છે. આ દેવીઓ ઊર્જા-શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે, બ્રાહ્મણી બ્રહ્માથી, વૈષ્ણવી વિષ્ણુથી, માહેશ્વરી શિવથી, ઈન્દ્રાણી ઇન્દ્રથી, કૌમારી સ્કંદથી, વારાહી વરાહથી અને ચામુંડા દેવી. આ તમામ દેવીઓને શક્તિની દેવી માનવામાં આવે છે. આ સિવાય મંદિરની ઉત્તરની દીવાલ પર ભગવાન ગણેશ અને વીરભદ્રની મૂર્તિ પણ જોવા મળે છે.

મંદિરમાં જોવા મળતું સહસ્ત્રલિંગ

આ મંદિરની અન્ય વિશેષતા અહીંનાં સહસ્ત્ર શિવલિંગ છે. એટલે કે હજાર શિવલિંગ. મંદિરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક શિવલિંગની નજીક 20ની હરોળમાં નાનાં-નાનાં શિવલિંગો જોવા મળે છે, જે જોઇને સૌ કોઇ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.

મંદિરમાં જોવા મળતી અન્ય મૂર્તિઓ

આ મંદિરોમાં મૂર્તિઓ ઘણી જ જોવા મળે છે. ઉપરોક્ત જણાવ્યા સિવાયની અન્ય મૂર્તિઓમાં આઠ ભુજાઓ ધરાવતા અર્ધનારીશ્વર, મોર પર સવાર કાર્તિકેય, શિવ-પાર્વતીના વિવાહ, નટરાજની મૂર્તિઓ, નર્તકો ઉપરાંત સંગીત સાથે સંકળાયેલાં વાંસળી, ઢોલ અને અન્ય વાદ્યયંત્ર વગાડતી મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે.

મંદિરમાં ઉજવાતા તહેવારો

આ મંદિરમાં શારદીય નવરાત્રિ, મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને દિવાળી ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. અહીં મુખ્ય ધાર્મિક તહેવારોમાં મેળાનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
ગુજરાતરાજકોટ

બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત

Editor By Editor 3 days ago
દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા
શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે
ગોંડલ તાલુકા સેવા સદનની સરપ્રાઇઝ મુલાકાત લેતા કલેકટર
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?