By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    13 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રભુ પ્રત્યેના પ્રેમનું અનેરું પર્વ : પવિત્રાં એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પ્રભુ પ્રત્યેના પ્રેમનું અનેરું પર્વ : પવિત્રાં એકાદશી

agragujaratnews
Last updated: 2023/10/09 at 1:01 PM
2 years ago
Share
પ્રભુ પ્રત્યેના પ્રેમનું અનેરું પર્વ : પવિત્રાં એકાદશી
SHARE

મહાપુણ્ય પ્રદાન કરનારી, સર્વે પાપોનો નાશ કરનારી, મોક્ષદાયિની – એવી પવિત્રાં એકાદશીનું તન અને મનથી શ્રવણ કે પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તુલસીપત્ર દ્વારા શ્રીહરિનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. સુવર્ણદાન, માણેક કરતાં પણ શ્રીહરિ તુલસીપત્રને અતિ મૂલ્યવાન માને છે.

પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ એટલે પવિત્રાં એકાદશી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ભારતવર્ષની ત્રણ વખત પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન તેઓ વ્રજમાં પણ પધાર્યા હતા. વ્રજની યાત્રા દરમિયાન શ્રીગિરિરાજની કંદરામાં પોઢેલા ગોવર્ધનનાથજી – શ્રીનાથજીબાવાને પાટે પધરાવીને વલ્લભાચાર્યજીએ સૌપ્રથમ સૂતરનું બનાવેલું પવિત્રું ધારણ કરાવીને મિસરી ભોગ આરોગાવ્યો હતો. આ દિવ્ય પ્રસંગથી શ્રાવણ સુદ અગિયારસને પવિત્રાં એકાદશીએ શ્રી ઠાકોરજીને પવિત્રાં ધરાવવાની પરંપરા જળવાઇ રહી છે. બીજો પ્રસંગ એવો છે કે શ્રીનાથજી બાવાએ મહાપ્રભુજીને શ્રાવણ સુદ દસમ એટલે પવિત્ર એકાદશીના આગળના દિવસની રાત્રિએ સ્વપ્નમાં આવી આજ્ઞા આપી કે, `વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ કરાવીને સેવા ભાવનાની રીત પદ્ધતિની સમજ આપવી.’ આજ્ઞા પ્રમાણે મહાપ્રભુજીએ કાર્ય શરૂ કરીને કર્તવ્યપાલન કર્યું. આથી આ દિવસને પવિત્રાં એકાદશીનો ઉત્પત્તિ (દિવસ) એકાદશી પણ કહે છે.

આ દિવસે ઠાકોરજીને બાળસ્વરૂપ માનીને એમના માટે વાઘા (પોશાક) પવિત્રાંના રૂપે અર્પણ કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર વર્ષના 360 દિવસ હોઇ, સૂતરના 360 જેટલા તાર, રંગ, દોરાને ગૂંથીને પવિત્રાં બનાવીને આ દિવસે પવિત્રાં ધારણ કરાવવામાં આવે છે. 360 તારનું પવિત્રું એટલા માટે કે ઠાકોરજીને 360 દિવસના વાઘા ધારણ કરાવવામાં આવ્યા એમ મનાય.

બીજી લોકવાયકા અનુસાર જ્યારે દ્રૌપદીજીનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું ત્યારે તેમની રક્ષા કોઈ જ ન કરી શક્યા ત્યારે દ્રૌપદીજીએ બે હાથ જોડીને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરતાં દ્રૌપદીજીની લાજ રાખી શ્રીકૃષ્ણે ચીર પૂર્યાં હતાં, તેના સંદર્ભમાં પણ ઠાકોરજીને પવિત્રાં ધારણ કરાવવાની પ્રથા ચાલુ થઇ હતી, કારણ કે આ તો પ્રભુ પ્રત્યેનો ભાવપ્રવાહ છે. માટે જ આની ઓળખ પણ અલગ છે. પ્રભુને વર્ષના 360 દિવસના ત્રણસો સાઠ પોશાક અર્પણ કરવાની મહાન ભાવના સાથે સંકળાયેલી છે. આ દિવસે પોતાના ઇષ્ટદેવને પણ ભાવિક ભક્તો પવિત્રાં પોશાકના રૂપમાં ધારણ કરાવવામાં આવે છે. પવિત્રાં સૂતરના તારના રંગીન કે સફેદ બનાવવામાં આવે છે. સૂતરના એટલા માટે બનાવવામાં આવે છે કે જેવી રીતે દાભ પવિત્ર ગણવામાં આવે છે એ રીતે સૂતર પણ પવિત્ર ગણાય છે.

વૈષ્ણવ હવેલીઓ તથા વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધીના સમયગાળા દરમિયાન ફળ, ફૂલ, શાકભાજી, સૂકા મેવા, રાખડી વગેરે પ્રકારની સામગ્રીના કલાત્મક હિંડોળા બનાવીને ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આ દિવ્ય હિંડોળા ઉત્સવોમાં પણ ઠાકોરજીને પવિત્રાં ધારણ કરાવવામાં આવે છે. વળી, આ દિવસ પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખાય છે. જેમને સંતાન ન હોય તેમણે વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે યજ્ઞ કરાવનાર દંપતીના અંતરમનમાં ઉત્તમ સંતાન જન્મશે એવો પૂર્ણ વિશ્વાસ રાખવો જરૂરી છે. આ યજ્ઞનો પ્રસંગ રામાયણમાં છે. મહર્ષિ વશિષ્ઠના માર્ગદર્શન હેઠળ શૃંગી ઋષિના આચાર્યપદે શ્રી દશરથ રાજાએ પુત્રદા કામેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. ફળસ્વરૂપે દશરથ રાજાના ઘરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા ધર્મિષ્ઠ અને પરાક્રમી પુત્રરત્ન થયા હતા. આમ, પવિત્રાં એકાદશી અને પુત્રદા એકાદશીનો મહિમા અપરંપાર છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
આંતરરાષ્ટ્રીય

Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
World Yoga Day 2025: લખનઉમાં દેશભરના વિદ્યાર્થીઓ એકત્ર થઇ કરશે યોગ
Israel Iran War: તેલ અવીવ-જેરૂસલમ,ગોલાન હાઇટ્સમાં સાયરન વાગ્યા
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?