By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતનું એક એવું મંદિર જ્યાં થાંભલામાંથી સંગીત વાગે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભારતનું એક એવું મંદિર જ્યાં થાંભલામાંથી સંગીત વાગે છે

agragujaratnews
Last updated: 2024/04/11 at 7:07 AM
2 years ago
Share
ભારતનું એક એવું મંદિર જ્યાં થાંભલામાંથી સંગીત વાગે છે
SHARE

ભારતભરમાં એવાં અનેક મંદિર છે જે પોતાની વાસ્તુકલાને લઇને કે પછી કલાત્મક કોતરણીને લઈને જગપ્રસિદ્ધ છે. આ મંદિરો પૈકી કેટલાંક અેવાં મંદિરો પણ છે જે પોતાની ભવ્યતા અને તેમાં કરાયેલી કારીગરીને લીધે વધુ જગવિખ્યાત બન્યાં છે. કાકતીય રુદ્રેશ્વર મંદિર પણ તેની વાસ્તુકલા, કોતરણી અને અદ્ભુત કારીગરીને લીધે આસ્થા સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કાકતીય મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેલંગાણાના મુલુગ જિલ્લાના પાલમપેટ ગામમાં આવેલા આ મંદિરને ઈ.સ.1213માં બનાવવામાં આવ્યું હતું. મૂળ આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે.

આ મંદિરને બાબતે એવું પણ સ્પષ્ટપણે માનવામાં આવે છે કે, 13મી સદીમાં બનાવવામાં આવેલું આ મંદિર હાલના એન્જિનિયરને પણ પછડાટ આપે છે. આ મંદિરની બીજી પણ ખાસ વિશેષતા એ છે કે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં આ મંદિરમાં અનેક ખૂબીઓ પણ છે જે આશ્ચર્યચકિત કરી દે છે.

આ મંદિર બનતા ઘણાં વર્ષો લાગ્યાં હતાં

કાકતીય મંદિરને બનાવવા માટે તે સમયના પ્રસિદ્ધ મૂર્તિકાર રામપ્પાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. રામપ્પાએ મંદિર નિર્માણ માટે ઈ.સ.1173થી ઈ.સ. 1213 સુધીનો સમય લાગ્યો હતો. જોકે, કેટલાક ઇતિહાસકારો આ મંદિર બનાવતા તેના કરતાં પણ વધુ સમય લાગ્યો હશે એવું અનુમાન કરે છે. બીજી તરફ આશ્ચર્યની વાત તો એ છે કે, આ મંદિરનું નામ પણ મૂર્તિકાર રામપ્પાના નામ પર જ રાખવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણમાં સેન્ડસ્ટોન, ગ્રેનાઇટ, ડોલરાઇટ ઉપરાંત ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધી સામગ્રીઓનો ઉપયોગ મંદિરમાં માપસરનો કરવામાં આવ્યો છે અને તેમાંથી જ મંદિરની મૂર્તિઓ, દીવાલો, સ્તંભો અને છતોને કંડારવામાં આવી છે.

તરતી ઈંટો (પથ્થર)

કાકતીય મંદિરનું ગોપુરમ એટલે કે શિખર માટે ખાસ પ્રકારની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈંટોની વિશેષતા એવી છે કે, તે પાણીમાં નાખ્યા બાદ પણ તરતી રહે છે. આ ઈંટોનું અંદાજે વજન 0.85થી 0.9 ગ્રામ/સીસી આંકવામાં આવ્યું છે. જેનું ઘનત્વ પાણીના ઘનત્વથી (1 ગ્રામ/સીસી) ઓછું છે! અલબત્ત, આ ઈંટોને બાવળની લાકડી, ભૂસું અને હરડ (એક પ્રકારનું ફળ)ને માટીમાં ભેળવીને ખાસ પ્રકારથી બનાવવામાં આવે છે. જેથી તેની રચના એકદમ સ્પંજની જેમ થાય છે. તેનાં આ જ કારણસર તે પાણીમાં પણ સરળતાથી તરી શકે છે.

સ્તંભમાંથી સંગીત સંભળાય છે

આ મંદિરની અનેક વિશેષતાઓમાં એક એવી વિશેષતા છે જેનાથી સમગ્ર દુનિયા આશ્ચર્ય પામી ઊઠી છે. આ મંદિરમાં જે સ્તંભ છે તે ખૂબ જ ખાસ છે. મંદિરના એક સ્તંભ પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ છે. જેમાં તેઓ એક વૃક્ષ પર બેસીને વાંસળી વગાડી રહ્યા છે. તેમજ તે ગોપિકા વસ્ત્રહરણની પૌરાણિક કથાને દર્શાવે છે. આ ભગવાનની મૂર્તિને થપથપાવતા જ સપ્તસ્વર એટલે કે સા,રે,ગ,મ,પ… સંભળાય છે, જે મોટું કુતૂહલ સર્જે છે.

નર્તકોનું નકશીકામ

કાતકીય મંદિરની સમગ્ર કોતરણી મંત્રમુગ્ધ કરનારી તો છે જ, પણ તેમાંય સૌથી વિશેષ નર્તકોનું નકશીકામ છે. અહીં કંડારવામાં આવેલા નકશીકામની વચ્ચે ત્રણ નર્તકો છે, પરંતુ તેમના પગ માત્ર ચાર જ કંડારવામાં આવ્યા છે! જો તમે વચ્ચેવાળી નર્તકના શરીરને બંધ કરો તો તમે બે છોકરીઓ નૃત્ય કરતી જોઈ શકો છો, પરંતુ જો તમે છોકરીઓના શરીરને બંને તરફથી બંધ કરો છો તો વચ્ચેના પગ વચમાં નર્તકના પગ બની જાય છે! ટૂંકમાં, આ નર્તકીનું નકશીકામ તમને એક રીતે સ્તબ્ધ કરી દે છે.

ગર્ભગૃહનો પ્રકાશ

મૂળ તો આ મંદિર ભગવાન ભોળાનાથને સમર્પિત હોવાથી શ્રદ્ધાળુઓ અહીં બારેમાસ આવતા હોય છે. આ મંદિરના ગર્ભગૃહમાં ચાર ગ્રેનાઇટ સ્તંભો દ્વારા પ્રતિબિંબિત કરવામાં આવે છે અને તેને આંતરિક ગર્ભગૃહની તરફ વાળવામાં આવ્યા છે, જેથી દિવસભર અહીં કુદરતી પ્રકાશ મળતો રહે છે.

તારાના આકારનું મંદિર

રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા રુદ્રદેવે 12મી સદીમાં કરાવ્યું હતું. નોંધનીય છે કે, આ મંદિરમાં કુલ એક હજાર સ્તંભ છે. તેથી તેને સ્તંભવાળા મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે. દક્ષિણ ભારતનાં સૌથી પ્રાચીન મંદિરોની સૂચિમાં આ મંદિરનું સ્થાન પહેલી

હરોળમાં આવે છે.

કાકતીય મંદિર મૂળ તારાના આકારનું મંદિર હોવાથી જગતભરમાં પ્રસિદ્ધ તો છે જ, પણ સાથેસાથે તે એકમાત્ર એવું મંદિર છે જેમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને સાથે જ સૂર્ય દેવની પણ મૂર્તિ છે. આ ત્રણેય મૂર્તિનો સંગમ એટલે કે ત્રણેય મૂર્તિ સાથે હોવાથી તેને `ત્રિકુટલ્યમ’ પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અન્ય કેટલાંક મંદિરોમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજીની મૂર્તિઓ જોવા મળતી હોય છે.

મંદિરના નંદી

રુદ્રેશ્વર મંદિર વારંગલના હમન કોંડાના પહાડો પર સ્થિત છે. મંદિરના મુખ્ય દરવાજા પર ભગવાન ભોળાનાથના પ્રિયમાં પ્રિય એવા નંદીની વિશાળ મૂર્તિ કાળા પથ્થરથી કંડારવામાં આવી છે.

કેવી રીતે પહોંચશો?

જો તમે અહીં રેલમાર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન વારંગલ છે જે મંદિરથી અંદાજે 60થી 75 કિમી.આસપાસ આવેલું છે. જ્યારે તમે અહીં વિમાનમાર્ગે આવવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ હૈદરાબાદના વારંગલથી અંદાજિત 140થી 150 કિમી. દૂર આવેલું છે તેમજ રામપ્પા મંદિર વારંગલ શહેરથી આશરે 65થી 75 કિમી. દૂર આવેલું છે. આ તમામ સ્થળેથી રામપ્પા મંદિર દર્શનાર્થે જવા માટે પ્રાઇવેટ વાહનો, કેબ કે ટેક્સી ખૂબ જ સરળતાથી મળી શકે છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
ગુજરાતરાજકોટ

મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા

Editor By Editor 2 days ago
20 લાખની લાંચ કેસમાં રાજકોટ સેન્ટ્રલ GSTના સુપ્રિન્ટેન્ડેન્ટને હાઇકોર્ટથી નિયમિત જામીન
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન કે શાહ એન્ડ શાહ કંપની?
જામખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ માતા અને બાળકનું મોત
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?