By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભૌતિક સૃષ્ટિ ભગવાનની અપરા પ્રકૃતિને આભારી છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભૌતિક સૃષ્ટિ ભગવાનની અપરા પ્રકૃતિને આભારી છે

agragujaratnews
Last updated: 2024/07/04 at 10:34 AM
1 year ago
Share
ભૌતિક સૃષ્ટિ ભગવાનની અપરા પ્રકૃતિને આભારી છે
SHARE

અપરા ઇયમઇત: તુ અન્યામપ્રકૃતિમવિદ્ધિમેપરામ II

જીવભૂતાં મહાબાહો યયેદંધાર્યેતજગતા: II 7/5 II

અર્થ : હે મહાબાહો, આ પ્રકૃતિને અપરા કહેવામાં આવે છે, હવે આ અપરા પ્રકૃતિથી શ્રેષ્ઠ એવી મારી પરા પ્રકૃતિને જીવરૂપે રહેલી જાણ; જેના વડે આ જગત નભી રહ્યું છે.

ચોથા શ્લોકમાં ભગવાને જે આઠ ભાગની પ્રકૃતિની (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર) ચર્ચા કરી હતી તેને ભગવાન અપરા એટલે કે નિમ્ન પ્રકારની પ્રકૃતિ ગણાવે છે અને તેના કરતાં પણ જે શ્રેષ્ઠ છે એવી પરા અર્થાત્ જીવ પ્રકૃતિની અહીં વાત કરી છે. ઉપર દર્શાવેલાં પાંચ તત્ત્વોથી બનનારો દેહ તેનામાં જ્યાં સુધી જીવ પ્રવેશે નહીં ત્યાં સુધી કશા જ કામનો નથી. જીવના પ્રવેશ્યા પછી જ મન બુદ્ધિ અને અહંકારનું તે દેહમાં પ્રાગટ્ય થાય છે. આમ, જગતમાં જે ભૌતિક સૃષ્ટિ દેખાય છે તે ભગવાનની અપરા પ્રકૃતિને આભારી છે જ્યારે જ્યાં જ્યાં ચેતન દેખાય છે. ફળ, ફૂલ, વનસ્પતિ અને દરેક જીવંત સૃષ્ટિ કે વ્યક્તિત્વ એ ભગવાનની ઉત્તમ એવી પરા અર્થાત્ જીવ નામની પ્રકૃતિના આધારે જ છે. આ પરા પ્રકૃતિને કારણે જ જગત નભી રહ્યું છે. જો દરેક દેહમાંથી જીવ જતો રહે તો તે થોડા જ દિવસમાં નાશ થવા લાગે છે અને ક્રમશ: તે જે પાંચ તત્ત્વોમાંથી બનેલો છે તેમાં વિલીન થઇ જાય છે. આ જગત કે સૃષ્ટિના અસ્તિત્વ માટે અપરા અને પરા એમ બંને પ્રકૃતિની જરૂર છે. આ બંને પ્રકૃતિનો ઉદ્ભવ ઈશ્વરમાંથી થયો છે છતાં આ બંનેમાં શ્રેષ્ઠ પરા પ્રકૃતિ એટલે કે જીવાત્મા છે. જ્યાં જીવ નથી ત્યાં કશું નથી, સૌંદર્ય, પ્રકાશ, આનંદ, ઉલ્લાસ, સુગંધ – બધું જ જીવને જ આભારી છે. આપણે અપરા અને પરા બંને પ્રકૃતિના પરિણામ સ્વરૂપે અવતરણ પામ્યા છીએ, તે સત્ય પારખીને તેને પ્રગટ કરનારા ઈશ્વરને સમર્પિત થઇએ એ જ ઇષ્ટ છે.

એતદ્યોનિનિભૂતાનિસર્વાણિ ઇતિ ઉપધારયII

અહમકૃત્સ્નસ્ય જગત: પ્રભવ: પ્રલય: તથા II 7/6 II

અર્થ : સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે એમ તું જાણ અને સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક હું જ છું.

આગળના શ્લોકમાં એ બાબતે સ્પષ્ટતા થઇ છે કે સમગ્ર જગત બે પ્રકૃતિથી જ અસ્તિત્વમાં આવેલું છે. એક અપરા અને બીજી પરા. આ બંને પ્રકૃતિ ઈશ્વરને આધીન છે. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી એ પંચતત્ત્વોમાંથી દરેક દેહનું નિર્માણ થાય છે. પછી તેમાં પરા પ્રકૃતિ એટલે કે જીવ-આત્મા પ્રવેશે છે એટલે તે જીવંત થાય છે. તે પછી જ તેનામાં મન બુદ્ધિ અને અહંકારનું પ્રાગટ્ય થાય છે. બાળકનો પ્રસવ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેનામાં જીવ આવેલો હોય. જીવ વિનાના દેહનો વિકાસ પણ અટકી જાય છે. મનુષ્યને બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, આધેડપણું અને પ્રૌઢતા ક્રમશ: આવે છે, તે તેનામાં રહેલા જીવને લીધે જ થાય છે. ભગવાન અહીં વધારો ચોક્કસ કરે છે કે જગતના ઉત્પાદક એટલે કે જન્મદાતા અને મારક એટલે કે સંહારક પણ તે પોતે જ છે. વર્ષ દરમિયાન ઠંડી-ગરમી-ચોમાસું, સુનામી, વાવાઝોડાં, ભૂકંપ, વસંત-પાનખર જે કંઇ આવે છે તે ઈશ્વરના સંકેતથી જ આવે છે. ઉનાળામાં સુકાયેલી નદીનો વિશાળ પટ ચોમાસામાં પાણીના પ્રવાહથી ધસમસતો થઇ જાય છે. આ શક્તિ કોની છે? ઈશ્વર જ આ બધું કરી શકે છે. ખરેખર ઈશ્વરની શક્તિ અપરંપાર અને અદ્ભુત છે તેની તોલે કોઇ આવી શકે જ નહીં.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ
રાષ્ટ્રિય

Illegal Immigration Case : માનવ તસ્કરી કેસમાં NIAને મળી મોટી સફળતા, હરિયાણાના 2 આરોપીઓની કરી ધરપકડ

By 4 days ago
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
Banke Bihari Mandir Corridor Case : સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે બનાવી કમિટી, અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જ્જ કરશે નેતૃત્વ
Rakshabandhan Special : રક્ષાબંધન તહેવાર પહેલા જાણી લો મહત્વની વાત, ભૂલથી પણ આ લોકોને ના બાંધવી રાખડી
શું તમને વારંવાર થઇ જાય છે ગેસ? તમારા ડાયટમાં આ વસ્તુ તો નથી ને?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?