વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
મહારાષ્ટ્રની વારકરી ચેતનાથી સભર કિલ્લારી (લાતૂર)ની ધરતી પર પ્રવાહિત થઈ રહેલી ‘માનસ વાલ્મીકી આશ્રમ’ રાકથા ગઈકાલે છઠ્ઠા દિવસના પડાવ પર પ્રવેશી હતી. કથાનો દિવ્ય-મંગલ પ્રેમમય સંવાદને આગળ વધારતા પ્રિય બાપુએ કહ્યું કે આ કથાના મનમોરથીએ ગઈકાલે મને કહ્યું કે બાપુ, અમે વર્ષમાં તમારી ચાર-પાંચ કથાઓ સાંભળીએ છીએ પણ એમાંથી કશું યાદ નથી રહેતું! એનું કારણ શું? જવાબ: યાદ ન રહે એ સારું છે, કેટકેટલા પ્રસંગો છે! પણ કેવળ હરિનામ યાદ રહે એ જ સાચું છે. ‘રામ કૃષ્ણ હરિ’એ યાદ રહે તો ભયો ભયો… હરિનામ-હરિસ્મરણ જ ખરું છે. વિસ્મૃતિ એ પરમાત્માનું વરદાન છે અને કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું. મેં કહ્યું હતું કે મૈ ઔર મેરી તન્હાઈ પણ અઘ્યાત્મ જગતમાં મૈ ઔર મેરા કન્હાઈ… તો કોઈએ પૂછ્યું કે બાપુ, કન્હાઈ એટલે શું? જવાબ કન્હાઈ એટલે કૃષ્ણ.
કુરૂક્ષેત્રની કથા વખતે મને દિલ્હીના એક પત્રકાર બહેને લાંબો ઈન્ટરવ્યુ કર્યો અને એ વખતે કહ્યું હતું કે બાપુ, તમે સફેદ દાઢીમાં સાધુ જેવા લાગો છો પણ કાળી દાઢીમાં ડાકુ જેવા લાગો છો! હમણા શુક્રતીર્થની કથામાં કોઈએ મને પૂછ્યું હતું કે બાપુ, તમે ક્યારેય જૂઠ બોલ્યા છો? મેં કીધું કે હું રોજ જૂઠ બોલું છું. આપણે સાૈ રોજ જૂઠ્ઠ બોલીએ છીએ. મતલબ આપણે સૌ વેદ વ્યાસજીનું જૂઠ બોલીએ છીએ એટલે કે વેદવ્યાસજીનું એઠું એ અર્થમાં જૂઠ બોલીએ છીએ.
તુલસીદાસજીના કવિ ભવલી ગ્રંથમાં એકપદ છે (પદ નં.૧3૮) જેમાં તુલસીજીએ વાલ્મીકી આશ્રમનો મહિમા પ્રગટ કર્યો છે. બાપુએ એ પદનું પઠન કરી એ પદમાં રહેલી આશ્રમ અંગેની સમજૂતી વિસ્તારથી કહી હતી જે ભૂમિ પર વાલ્મીકી ડાકુમાંથી સાધુ બન્યા એ ભૂમિ આશ્રમ છે. જ્યાં સીતા માતા રહી છે એટલે વાલ્મીકી આશ્રમ વિશેષ છે. જ્યાં લવ-કુશનો જન્મ થયો છે એ જમીનનો સ્પર્શ પણ ધન્ય કરે છે. વાલ્મીકી આશ્રમમાં એક સીતાવટ પણ છે પાપી મા પાણી માણસ જો એ સીતાવટના દર્શન કરે તો એના પાપ મટી જાય છે. વાલ્મીકીજીના મતે રામાયણમાં સીતા ચરિત્ર જ મહાન-મુખ્ય છે. સીતા મા છે મા એકાક્ષરી મંત્ર છે. ચરણાષ્ટકનું વિશેષ મહત્વ છે. માનસની કથા ગાતા-ગાતા મેં એક ચરણાષ્ટક નિર્મિત કર્યું છે એની ચર્ચા ક્યારેક કરીશું અને માનસમાં હનુમાનજી અગીયાર પ્રકારના દૂત છે એની વાત પણ ક્યારેક કરીશું.
બાપુએ વાલ્મીકી આશ્રમનું દર્શન કરાવતા ખુબ હૃદયસ્પર્શી રીતે લવ-કુશ અયોઘ્યામાં રામકથાનું ગાન કરવા જાય છે એ દ્રશ્યાવલી સજળ નયને પ્રસ્તુત કરી હતી ત્યારે સમગ્ર કથા મંડપમાં સૌ ફ્લાવર્સની આંખો પણ ભીની થઈ હતી.અયોઘ્યાની સમગ્ર પૂજા લવ-કુશને રામકથા ગાન કરતા સાંભળીને મંત્રમુગ્ધ થાય છે અને સૌને લવ-કુશનું આકર્ષણ થાય છે. વાલ્મીકીનો હેતુ એ છે કે લવ-કુશ એટલા માટે અયોઘ્યાનગરની પ્રજા વચ્ચે રામકથાનું ગાન કરે જેથી સીતા પર, અયોઘ્યાની પ્રજાએ લગાડેલું કલંક દૂર થાય અને રામ પ્રજાનો આધાર છે, રામે પ્રજાની સેવા માટે સીતાનો ત્યાગ કર્યો હતો એ રામ વિશે અયોઘ્યાની પ્રજાને પ્રાયશ્ચિત થાય એ માટે વાલ્મીકીજી લવ-કુશને અયોઘ્યા મોકલે છે લવ-કુશ અયોઘ્યા જાય છે, અયોઘ્યાની ગલી-ગલીમાં રામકથાનું ગાન કરે છે. રામચંદ્રજી પણ મહેલની અટારીમાં એ ગાન સાંભળે છે, લક્ષ્મણને કહે છે કે આ બાળકો કોણ છે? અેને આપણા મહેલમાં લઈ આવ, લક્ષ્મણજી જાય છે લવ-કુશને પ્રણામ કરીને કહે છે, આપ રાજા રામના મહેલમાં આવો, રાજાની ઈચ્છા છે કે આપ મહેલમાં કથા ગાન કરો, લવ-કુશે ના કહી કહ્યું અમારા ગુરૂની આજ્ઞા છે, કોઈના ઘરમાં-મહેલમાં કથા ન ગાવી. લક્ષ્મણજી રામ પાસે આવે છે બધી વાત રામજીને કરે છે. રામજી કહે એ બાળકોને કહો કે યજ્ઞ મંડપમાં તો કથા ગાન કરશોને? ફરી લક્ષ્મણ-ભરત લવ-કુશ પાસે જાય છે, યજ્ઞમાં કથાગાન કરવા માટે પૂછે છે ત્યારે લવ-કુશ સંમત થાય છે પછી લવ-કુશ યજ્ઞ શાળામાં રામકથા ગાન કરે છે, રાજા રામજી દક્ષિણમાં ચાંદીના થાળમાં અઢાર હજાર સૂવર્ણમુદ્રા આપે છે ત્યારે લવ-કુશ એનો ચી-સ્વીકાર કરે છે અને રામજીને કહે છે-આ સૂવર્ણ મુદ્રા તમારા સેવકો વચ્ચે વેંચી દેજો! બાપુએ સમગ્ર પ્રસંગનું જીવંત દ્રશ્ય ઉભું કરી સૌ કથાપ્રેમીઓને સ્તબ્ધ સ્થિતિમાં મૂકી દીધા હતા.
કથા રત્નો
(૧) સાધકોએ રાત્રે આકાશની નીચે સુવુ જોઈએ અને સપ્તર્ષીના દર્શન કરવા જોઈએ.
(૨) રામકથાનું ગાન કરતા-કરતા મૈં એક ચરણાષ્ટક નિર્મિત કર્યું છે
(3) યે સચ હૈ કિ તુને મુજે ચાહા ભી બહોત હૈ,
લેકિન મેરી આંખો કો રૂલાયા ભી બહોત હૈ
દેખો જો ઉસે દૂર સે તો લગતા હૈ સમંદર
લેકિન નજદીક સે દેખો તો પ્યાસા ભી બહુત હૈ સાદ મુરાદાબાદી


