IPL 2025 ની 31મી મેચ આજે મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ અને શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કોલકાતાએ ઉત્તમ બોલિંગના આધારે પંજાબ કિંગ્સને ફક્ત 111 રનમાં ઓલઆઉટ કરી દીધું. પરંતુ પંજાબના બોલરોએ શાનદાર બોલિંગ કરીને કોલકાતાને 95 રન પર રોકી દીધી અને મેચ 16 રનથી જીતી લીધી. કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 37 રન બનાવ્યા. પંજાબના બોલરોએ શાનદાર બોલિંગ કરી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. માર્કો યાન્સને ત્રણ વિકેટ મળી. જ્યારે ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ અને ગ્લેન મેક્સવેલને એક-એક સફળતા મળી. આ પહેલા પંજાબની ટીમ માત્ર 15.3 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ 30 રન બનાવ્યા. કોલકાતા તરફથી હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી.


