IPL 2025 ની 68મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 110 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 278 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ટીમ માટે હેનરિક ક્લાસેને માત્ર 39 બોલમાં 105 રન બનાવ્યા, જ્યારે ટ્રેવિસ હેડે પણ 40 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ રમી. આ મોટા લક્ષ્યના જવાબમાં કોલકાતાની ટીમ 168 રનમાં જ પડી ગઈ અને 110 રનથી મેચ હારી ગઈ. આ હાર બાદ કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ મોટું નિવેદન આપ્યું છે.
અમે થોડી ભૂલો કરી હતી- રહાણે
મેચ પછીની પ્રેઝન્ટેશનમાં તેણે કહ્યું કે મને લાગે છે કે તેણે ખરેખર સારી બેટિંગ કરી. હા, બોલિંગ કરતી વખતે અમે થોડી ભૂલો કરી હતી પણ તેમની બેટિંગ કરવાની રીત શાનદાર હતી. તેણે બધા છૂટા બોલનો ફાયદો ઉઠાવ્યો અને કેટલાક સારા બોલ પણ ફટકાર્યા. બધો શ્રેય SRH ના બેટ્સમેનોને જાય છે. અમે સ્લો બોલ, વાઈડ બોલિંગ, વાઈડ સ્લો બોલિંગ વિશે પણ ચર્ચા કરી, પરંતુ ક્યારેક જો બોલરો યોજનાઓ સારી રીતે અમલમાં ન મૂકે તો ક્લાસેન જેવા બેટ્સમેન તેનો ફાયદો ઉઠાવે છે.
મને કોઇ અફસોસ નથી- રહાણે
રહાણેએ આગળ કહ્યું કે હૈદરાબાદના બધા બેટ્સમેનોએ ખરેખર સારી બેટિંગ કરી, જ્યારે બોલિંગ યુનિટ તરીકે અમે પણ ઇનિંગ્સ દરમિયાન ઘણી ભૂલો કરી.’ આખી સીઝન દરમિયાન અમારી પાસે 2-3 રમતો હતો જેના વિશે અમને લાગ્યુ કે અમે એક ટીમના રૂપમાં અને એક યુનિટના રૂપમાં સારુ ન રમ્યા. આ ઉપરાંત અમે અમારુ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. આ પ્રકારના ફોર્મેટમાં તમારે દરેક સમયે સ્વિચઓન કરવુ પડે છે. આ ફોર્મેટ ઘણુ મુશ્કેલ છે. મને કોઇ અફસોસ નથી. આ સિઝનમાં અમને ઘણુ બધુ શીખવા મળ્યુ છે. તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. અમે આગામી વર્ષ વધુ મજબૂતીથી પરત ફરીશું.


