શ્રેયસ ઐયર હાલમાં ક્રિકેટ જગતમાં ચર્ચામાં છે. IPL 2025માં તેને પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડીને બધાનું ધ્યાન ખેંચ્યું. ભલે ટીમ ટાઈટલ જીતી ન શકી, પરંતુ તેની કેપ્ટનશીપ અને શાનદાર બેટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
IPL પછી, તે હવે T20 મુંબઈ લીગમાં પણ પોતાની કેપ્ટનશીપ કરીને ધૂમ મચાવી રહ્યો છે. શ્રેયસ ઐયરે તાજેતરમાં જ પોતાની કેપ્ટનશીપ વિશે એક મોટો ખુલાસો કર્યો છે.
ત્રણ અલગ-અલગ ટીમોને અપાવી ફાઈનલની ટિકિટ
શ્રેયસ ઐયર અત્યાર સુધીમાં ત્રણ વખત IPL ફાઈનલમાં પોતાની ટીમને પહોંચાડી છે. સૌથી ખાસ વાત એ છે કે તેને ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી સાથે આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા ફક્ત મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. શ્રેયસ ઐયર માટે આ એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને જ્યારે તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
કેપ્ટનશીપથી વધે છે આત્મવિશ્વાસ
શ્રેયસ ઐયર માને છે કે કેપ્ટનશીપ કરવાથી જવાબદારીની ભાવના વધે છે. ટીમને દરેક મુશ્કેલ સમયમાં કેપ્ટન પાસેથી અપેક્ષાઓ હોય છે. તે એવી પરિસ્થિતિઓમાં રમવાનું પસંદ કરે છે જ્યાં વધુ દબાણ હોય. શ્રેયસ ઐયર કહે છે કે તે હંમેશા ટીમ માટે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે.
તેને કહ્યું કે તે 22 વર્ષની ઉંમરથી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેને એક પડકાર અને તક માને છે. કેપ્ટનશીપ તેના પ્રદર્શનમાં પણ સુધારો કરે છે. તેને T20 મુંબઈ લીગમાં સોબો મુંબઈ ફાલ્કંસને સેમિફાઈનલમાં પહોંચાડીને સાબિત કરી દીધું કે તે કેટલો સારો લીડર છે.
IPL 2025માં પણ શ્રેયસે ઐયરે મચાવી ધૂમ
શ્રેયસ ઐયરે IPL 2025 માં 604 રન બનાવ્યા અને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પરંતુ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ તેને હાર માની નહીં અને ઘરેલુ ક્રિકેટમાં પોતાની તાકાત બતાવવાનું ચાલુ રાખ્યું.
ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે શ્રેયસ ઐયર
કેપ્ટનશીપ અને બેટિંગ બંનેમાં સતત સારું પ્રદર્શન કરનાર શ્રેયસ ઐયરને હવે ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. તેને સાબિત કર્યું છે કે તે મુશ્કેલ સમયમાં પણ ટીમને સંભાળી શકે છે. દર્શકોના દિલમાં સ્થાન બનાવવું એ તેના માટે સૌથી મોટી પ્રેરણા છે.