By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    13 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધનપ્રાપ્તિનો શુભ અવસર ધનતેરસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ધનપ્રાપ્તિનો શુભ અવસર ધનતેરસ

AgraGujarat Rajkot
Last updated: 2025/10/17 at 2:30 PM
5 months ago
Share
ધનપ્રાપ્તિનો શુભ અવસર ધનતેરસ
SHARE

ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ મહત્ત્વ છે. સુર અને અસુર જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે કેટલીય મૂલ્યવાન ચીજો મળી હતી. તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આ અમૃતકળશ દેવતાઓના વૈદ્ય ધન્વંતરિના હાથમાં હતું. આજના દિવસે દેવોને ધન્વંતરિ દ્વારા જ અમૃત પ્રાપ્ત થયું હતું. ધન્વંતરિને આમ તો દેવતાના વૈદ્ય કહેવામાં આવે છે, પણ તેમાં ભગવાન વિષ્ણુનો અંશ પણ રહેલો છે.

ધન્વંતરિની ઉત્પત્તિના ઉપલક્ષમાં પણ ધનતેરસ મનાવવામાં આવે છે. ધન્વંતરિ દેવોના વૈદ્ય હોવાથી ધનતેરસનો દિવસ ચિકિત્સકો માટે પણ મહત્ત્વનો છે. આજના દિવસે ચિકિત્સક પણ ધન્વંતરિ દેવતાની પૂજા-અર્ચના કરીને પોતાના વ્યવસાય અને જ્ઞાનમાં વૃદ્ધિ વિકાસ માટે કામના કરે છે. આ રીતે આયુર્વેદના પ્રણેતાની જન્મજયંતી હોવાથી ધનતેરસનો દિવસ ચિકિત્સા અને ઔષધી વિજ્ઞાન માટે પણ શુભ અને મહત્ત્વનો માનવામાં આવે છે.

ધનતેરસ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી હોવાથી તે દૃષ્ટિએ પણ અલગ અલગ વરદાનની કામના સાથે ધનની પૂજા કરવામાં આવે છે. ધનતેરસની ઘડી સુખ, સમૃદ્ધિ, સંપદા આપનારી તો છે જ, પરંતુ એક પ્રચલિત કથા પ્રમાણે ધનતેરસ અમરત્વ પણ આપનારી છે. દીપ પ્રાગટ્ય એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક પુરાણકથા પ્રમાણે દીવાની હારમાળા દીપાવલિ સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધનતેરસ છે.

આ રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીની સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણિક કથા પ્રમાણે એક દિવસ યમરાજે તેના દૂતને પૂછ્યું કે, `હું તેને મનુષ્યના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું ત્યારે તેને પ્રાણ હરતા રંજ નથી થતો?’ ત્યારે તેમણે જવાબ આપ્યો કે એક દિવસ જ્યારે હું ચાર દિવસ પહેલાં જ લગ્ન કરેલા એક યુવકના પ્રાણ હરવા માટે ગયો ત્યારે ધનતેરસ હતી અને મને તેના પ્રાણ હરવા માટે બહુ અફસોસ થયો હતો ત્યારે યમરાજાએ વરદાન આપ્યું કે આ દિવસે જે દીપમાળ કરશે તેનો તે દિવસે જીવનદીપ નહીં બુઝાય. આ કથા પ્રમાણે એક એવી લોકવાયકા પણ પ્રચલિત છે કે આજના દિવસે દીપમાળ કરવાથી યમરાજા એક દિવસનું આયખું દાનમાં આપે છે.

ધનતેરસના સંદર્ભે એક બહુ જૂની અને જાણીતી અન્ય ઐક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. પ્રાચીન કાળમાં રાજા હિમને ત્યાં બહુ વર્ષ બાદ પુત્રની પ્રાપ્તિ થઈ, પરંતુ લગ્ન બાદ ચોથા દિવસે સાપના ડંખથી મોત થશે તેવા તેના કુંડળીના યોગ હતા, પરંતુ નવી પરણીને આવેલી પુત્રવધૂ બહુ શ્રદ્ધાવાન અને પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી હતી. તેણે ચોથા દિવસની બહુ મક્કમ મને રાહ જોઈ. ચોથો દિવસ આવ્યો ત્યારે બરાબર ધનતેરસ હતી અને તે દિવસે હિમરાજાની પુત્રવધૂએ મહેલમાં ચારેતરફ ઝળહળાટ રોશની કરાવી. આવનાર કોઈ પણ અંજાઈ જાય એવી રોશનીથી મહેલનો ખૂણેખૂણો ઝળકી ઊઠ્યો હતો ત્યારે બરાબર રાતના સમયે યમરાજાએ નાગનું સ્વરૂપ ધારણ કર્યું અને મહેલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહેલના ઉંબરામાં ઝળહળાટ દીવાની રોશની હતી, તેથી સાપ અંજાઈ ગયો અને તે રોશની ઓછી થવાની રાહ જોતાં ત્યાં જ પડી રહ્યો, પરંતુ રાહ જોવામાં જ સવાર પડી ગઈ અને તેની મોતની ઘડી ટળી ગઈ અને સાપ પાછો ફર્યો.

આ કથની પરથી એક એવી માન્યતા પણ લોકોમાં છે કે આજના દિવસે દીપમાળ કરવાથી યમરાજાના કોપથી રક્ષણ મેળવી શકાય છે. તેથી ધનતેરસના દિવસે લોકો નીરોગી અને દીર્ઘ આયુષ્યની કામના માટે ઘરના દ્વાર પાસે ઉંબરામાં દીપ પ્રગટાવે છે અને યમરાજાને રીઝવવાનો પ્રયત્ન કરે છે.

લક્ષ્મીજીના સંદર્ભે પણ ધનતેરસ સાથે કથા જોડાયેલી છે. કહેવાય છે કે લક્ષ્મીને વિષ્ણુનો શાપ હતો કે તેમને તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું, તેથી આ વર્ષો દરમિયાન ખેડૂતના ધનધાન્યમાં બહુ વૃદ્ધિ

થાય છે.

જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે શ્રીહરિ તેમને લેવા માટે આવ્યા, પરંતુ ખેડૂતને તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાથી યાદ કરવામાં આવશે તો ફરી તારા ગૃહમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટ્યનું મહત્ત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.

ધનતેરસના દિવસે ધનધાન્યના દેવતા કુબેરની પૂજા કરવાનું પણ વિશેષ માહાત્મ્ય છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરીને તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા પ્રાપ્ત કરી હતી. ધનતેરસના દિવસે પિત્તળ, ચાંદી, તાંબું કે વાસણ ખરીદવામાં આવે છે.

પિત્તળ ભગવાન ધન્વંતરિની ધાતુ છે. ધનતેરસના દિવસે પિત્તળની ધાતુની ખરીદી કરવાથી આરોગ્ય, સૌભાગ્ય અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાની પણ પરંપરા છે. ચાંદીને ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે અને ચંદ્ર શીતળતા અપનાર છે. તેથી આજના દિવસે ચાંદીની ધાતુને ઘરમાં લાવવાથી સુખની સાથે મનની શાંતિરૂપી ધનની પણ પ્રાપ્તિ થાય છે.

ચાંદી એ કુબેરની ધાતુ પણ છે તેથી ચાંદીની ખરીદી કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિમાં કીર્તિમાં તેર ગણી વૃદ્ધિ થાય છે.

જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, ઐશ્વર્યની કામના સાથે લોકો આજના દિવસે દીપોની ઝળહળાટ રોશની સાથે ધન ધાન્યના દેવતા કુબેર અને આરોગ્યના દેવતા ધન્વંતરિ ભગવાનનું વિધિવત્ પૂજન અર્ચન કરે છે અને કુબેરનું વરદાન મેળવીને જીવનને સુંદર વૈભવી ગતિ આપે છે.  

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?