ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝની ધમાકેદાર શરૂઆત કરી હતી.તેણે પહેલી મેચમાં સદી ફટકારી હતી. સીરિઝની બીજી મેચ 3 ડિસેમ્બરે રમાશે.આ દરમિયાન,વિરાટ કોહલી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.તેણે 24 ડિસેમ્બર 2025 થી શરૂ થતી ઘરેલુ ટુર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો છે.અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે 16 વર્ષ પછી ટુર્નામેન્ટમાં પાછો ફરી શકે છે અને થોડી મેચ રમી શકે છે.
વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો
વિરાટ કોહલીએ ઘરેલુ ક્રિકેટ અંગે એક એવું વલણ અપનાવ્યું છે જે BCCI માટે એક નવો પડકાર ઉભો કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ, કોહલી વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવાના મૂડમાં નથી.આ ટુર્નામેન્ટ તમામ ભારતીય ખેલાડીઓ માટે ફરજિયાત છે,પરંતુ કોહલીએ ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.BCCI ઇચ્છે છે કે ભારતના રોહિત અને વિરાટ ઘરેલુ ક્રિકેટમાં ભાગ લે અને વિજય હજારે ટ્રોફીના 2025-26 આવૃત્તિમાં રમે.જોકે,વિરાટ આ મૂડમાં હોય તેવું લાગતું નથી.
રોહિત શર્માએ ટુર્નામેન્ટમાં જોડાશે
મડિયા રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે, જેના કારણે BCCI માટે કોહલીને કોઈ ખાસ છૂટ આપવાનું મુશ્કેલ બન્યું છે. આ મુદ્દો વિજય હજારે ટ્રોફીનો છે. કોહલી રમવા માંગતો નથી. જ્યારે રોહિત પણ રમી રહ્યો હોય, ત્યારે એક ખેલાડીને કેવી રીતે છૂટ આપી શકાય? અને આપણે બીજા ખેલાડીઓને શું કહેવું જોઈએ? તે ખેલાડી તમારા બધાથી અલગ છે?
ઘરેલુ ક્રિકેટથી વર્ષોથી દૂર
વિરાટે છેલ્લે 16વર્ષ પહેલાં 2010માં વિજય હજારે ટ્રોફી મેચ રમી હતી.2008 થી 2010 સુધી,વિરાટે દિલ્હી માટે 13 વિજય હજારે ટ્રોફી મેચ રમી હતી અને કુલ 819 રન બનાવ્યા હતા,જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. જોકે, તે ગયા વર્ષે રણજી ટ્રોફીમાં પાછો ફર્યો હતો, દિલ્હી માટે એક મેચ રમ્યો હતો.


