By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

Editor
Last updated: 2026/08/17 at 4:55 PM
6 minutes ago
Share
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો
SHARE

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

મહાદેવને શીશ ઝુકાવવા મોડી રાત્રીથી શિવભક્તોનો પ્રવાહ ઉમટી પડયો

વ્હેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખોલતા સમયે ભાવિકોને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠતા વાતાવરણ શિવમય બન્યું

પ્રથમ સોમવારે મંદિર પરિસરમાં નીકળેલ પાલખીયાત્રામાં જોડાઈ શિવભક્તો ભાવવિભોર બન્યા

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના સૌથી પહેલા દર્શન કરવાની અપેક્ષાએ અને ભક્તિનું ભાથું ભરવા માટે મોડીરાત્રીથી હજારોની સંખ્યામાં શિવભક્તો યાત્રાધામ નગરી સોમનાથમાં પહોંચી ગયા હતા. વ્હેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખુલતા સમયે હર હર મહાદેવ, જય સોમનાથના જયઘોષ બોલાવતા જોવા મળ્યા હતા. વ્હેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળેલ અને સમગ્ર પરિસર “હર હર મહાદેવ” તથા “જય સોમનાથ” ના નાદથી સતત ગુંજી રહ્યુ હતુ.

શ્રાવણ ના પ્રથમ સોમવારે સવારે 7 વાગ્યે મહાપૂજા અને મહાઆરતી સમયે સોમનાથ મહાદેવને સફેદ વસ્ત્રો અને ગુલાબ સહિતના વિવિધ પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. બાદમાં સવારે 8 વાગ્યાથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા સહિતની જુદી જુદી પૂજાઓનો પ્રારંભ ભાવિકોના હસ્તે પ્રારંભ થયો હતો. બાદમાં સવારે 9:30 વાગ્યે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ ટ્રસ્ટી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા સહિતનાના હસ્તે સોમનાથ મહાદેવના મુખારવિંદની પૂજા  અર્ચના કરાઈ હતી. બાદમાં મહાદેવના મુખારવિંદને પાલખીમાં બેસાડીને મંદિર પરિસરમાં નગરચર્યાએ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે મંદિર પરિસ્થિતિ પરિસરમાં ઉપસ્થિત હજારો શિવભક્તોને આશીર્વાદ આપવા સ્વયં મહાદેવ આવ્યા હોય તેવી અનુભૂતિ ભાવિકોને થઈ હતી. આ પાલખીયાત્રામાં અનેક ભાવિકોને પાલખીને ઊંચકી પુણ્યનું ભાથુ બાંધવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો.પાલખીયાત્રા દરમ્યાન ભાવિકોના જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી યાત્રાધામનું વાતાવરણ શિવમય બની ગયું હતું.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા અત્યંત સુચારુ અને સફળ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી હજારો ભાવિકોની ભીડ હોવા છતાં, દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ગોઠવાયેલ વિશેષ વ્યવસ્થા જોવા મળી હતી. યાત્રિકોની સુરક્ષા અને ઝડપી પ્રવેશ માટે મોટી સંખ્યામાં ફ્રિસ્કિંગ ક્યુ ઊભી કરવામાં આવી હતી. યાત્રિકોના સામાનની સુરક્ષા માટે વિશાળ ક્લોકરૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા અને દર્શનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઝીગઝેગ લાઈન વ્યવસ્થાનું સઘન પાલન કરાવવામાં આવ્યું. ટ્રસ્ટની આ આગોતરી અને ઉત્તમ વ્યવસ્થાઓના પરિણામે હજારો યાત્રીઓની ઉપસ્થિતિ છતાં તમામ ભક્તોએ અત્યંત સુલભતાથી અને શાંતિપૂર્ણ રીતે મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.  સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આવનાર તમામ ભાવિક ભક્તોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે સતત કાર્યરત છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા માટે રવિવારની મોડીરાત્રીથી જ આસપાસના તાલુકાઓ-પંથકના વિસ્તારોના રસ્તાઓ તથા હાઇવે ઉપર હજારો શિવભક્તો પગપાળા યાત્રાધામ સોમનાથ તરફ પ્રયાણ કરી આવી રહ્યાનો નજારો જોવા મળ્યા હતો. તો પગપાળા આવી રહેલા શિવભક્તો માટે રસ્તાઓ ઉપર અને સામાજીક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રુપો દ્વારા ફરાળ, ચા પાણીના સ્ટોલો ઊભા કરી અનેરી સેવા કરવામાં આવી રહી હતી.

You Might Also Like

સોમનાથમાં ‘સ્વદેશી હાટ બજાર’ની ૮ દુકાનોમાંથી ૩૪ કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો

 સોમનાથમાં શિવ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ

સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યની ૧૬ મેડિકલ કોલેજમાં કાયમી ડિન જ નથી, ઈન્ચાર્જથી થતો વહીવટ
ગુજરાતરાજકોટ

રાજ્યની ૧૬ મેડિકલ કોલેજમાં કાયમી ડિન જ નથી, ઈન્ચાર્જથી થતો વહીવટ

Editor By Editor 6 days ago
રાજકોટના શ્રોફ રોડ પર ૭ દિવસીય ભવ્ય ‘રાખી મેળા’નો પ્રારંભ
પાણીના નિકાલમાં ઘાસ નાખતા અટકાવતાં ખેડૂતને પિતા-પુત્રની ધમકી
24મીએ જવાબ, 31મીએ નિર્ણાયક સુનાવણી
12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?