By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જળ અને જ્યોતિનો અવતાર : ઝુલેલાલજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જળ અને જ્યોતિનો અવતાર : ઝુલેલાલજી

Last updated: 2025/03/27 at 1:32 PM
1 year ago
Share
જળ અને જ્યોતિનો અવતાર : ઝુલેલાલજી
SHARE

શતાબ્દીઓ પહેલાં સિંધુ પ્રદેશમાં મિર્ખ શાહ નામનો એક રાજા રાજ કરતો હતો. તો ખૂબ જ દંભી અને અસહિષ્ણુ પ્રકૃતિનો હતો. તે હંમશાં પોતાની પ્રજા પર અત્યાચાર કરતો હતો. તેના શાસનકાળમાં સાંસ્કૃતિક અને જીવનમૂલ્યોનું કોઈ જ મહત્ત્વ નહોતું. આખો સિંધ પ્રદેશ રાજાઓના અત્યાચારથી ત્રસ્ત હતો. પ્રજાને આ ક્રૂર શાસકના અત્યાચારમાંથી મુક્તિ ઝંખતી હતી, પણ તેમને મુક્તિનો કોઈ માર્ગ મળતો નહોતો.

લોકકથાઓમાં આ વાત ઘણી પ્રચલિત છે કે મિર્ખ શાહ જ્યારે માનસિક ત્રાસ ગુજારવા માંડ્યો ત્યારે પ્રજાએ ઈશ્વરની શરણ લીધું. સિંધુ નદીના તટે ઈશ્વરનું સ્મરણ કર્યું તથા વરુણ દેવ ઉદેરોલાલે જલપતિના રૂપમાં મત્સ્ય પર સવાર થઈને દર્શન આપ્યાં ત્યારે આકાશવાણી થઈ કે ઈશ્વર નસરપુરના ઠાકુર ભાઈ રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે જન્મશે અને તે બાળક સૌની મનોકામના પૂર્ણ કરશે.

સમય વીત્યો અને નસરપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીએ ચૈત્ર સુદ બીજ ને સંવત 1007ના રોજ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ ઉદયચંદ રાખવામાં આવ્યું. આ ચમત્કારિક બાળકના જન્મની જાણ જ્યારે મિર્ખ શાહને થઈ ત્યારે તેણે તે બાળકને પોતાનો અંત માનીને તેને સમાપ્ત કરી નાખવાની યોજના બનાવી. બાદશાહના સેનાપતિ દળ-બળ સાથે રતનરાયને ત્યાં પહોંચ્યા અને બાળકના અપહરણનો પ્રયત્ન કર્યો, પરંતુ મિર્ખ શાહની ફોજની તાકાત પાંગળી બની ગઈ. તેમને ઉદેરોલાલ સિંહાસન ઉપર બિરાજેલ દિવ્ય પુરુષનાં દર્શન થયાં. સેનાપતિઓ સઘળી હકીકત બાદશાહને જણાવી.

ઉદેરોલાલે કિશોર અવસ્થામાં જ પોતાનું ચમત્કારી પરાક્રમ દેખાડીને જનતાને વિશ્વાસ અપાવ્યો અને યુવાન બનતા જ જનતાને કહ્યું કે તે કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર રહે અને કામ કરે. ઉદેરોલાલે બાદશાહને સંદેશો મોકલ્યો કે શાંતિ જ પરમ સત્ય છે, પરંતુ આ વાતને ચેતવણી માનીને બાદશાહે ઉદેરોલાલ પર આક્રમણ કર્યું. બાદશાહનો પરાજય થયો અને તેણે ઉદેરોલાલનાં ચરણોમાં સ્થાન માગ્યું. ઉદેરોલાલે સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો. તેની અસરથી મિર્ખ શાહ ઉદયચંદનો પરમ શિષ્ય બનીને તેમના વિચારોના પ્રચારમાં જોડાઈ ગયો.

ઉપાસક ભગવાન ઝુલેલાલજીને ઉદેરોલાલ, ઘોડેસવારો, જિન્દપીર, લાલસાંઈ, પલ્લેવારો, જ્યોતિનવારો, અમરલાલ વગેરે નામથી પૂજવામાં આવે છે. સિંધુ ઘાટી સભ્યતાના લોકો ચૈત્ર માસના ચંદ્ર દર્શનના દિવસે ભગવાન ઝુલેલાલજીનો ઉત્સવ સંપૂર્ણ વિશ્વમાં ચેટીચંડ (ચેટીચાંદ)ના તહેવારના સ્વરૂપમાં પરંપરાગત હર્ષોલ્લાસ સાથે મનાવે છે.

ભગવાન ઝુલેલાલને જળ અને જ્યોતિનો અવતાર માનવામાં આવે છે. આથી કાષ્ટનું એક મંદિર બનાવવામાં આવે છે. જેને બરિહાણા સાહબ પણ કહેવામાં આવે છે. તેમાં એક લોટી વડે જળ અને જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ મંદિરને શ્રદ્ધાળુઓ ચેટીચંડના દિવસે પોતાના માથા પર ઊંચકીને ભગવાન વરુણદેવનું સ્તુતિગાન કરે છે તથા સમાજનું પરંપરાગત છેજ નૃત્ય કરે છે. ઝૂલેલાલ ઉત્સવ ચેટીચંડને સિંધી સમાજ સિંધી દિવસ તરીકે ઉજવણી કરે છે. આ ઉત્સવ સર્વધર્મ સમભાવના પ્રતીક સમાન છે.

ઝુલેલાલને જળના દેવતા પણ કહેવામાં આવે છે. ચેટીચાંદ સાથે અનેક દંતકથા જોડાયેલી છે. તેમાંની એક એ પણ છે કે સિંધી સમાજ સામાન્ય રીતે વ્યાપાર સાથે જોડાયેલો હોય છે. સિંધી વેપારી જ્યારે સમુદ્ર પાર વેપાર કરવા જતાં ત્યારે તેમને અનેક કુદરતી આફતો અને લૂંટફાટનો સામનો કરવો પડતો હતો, તેથી સિંધી સમાજની સ્ત્રીઓ જળના દેવતા ઝુલેલાલને પ્રાર્થના કરતી અને પતિની સલામતી માટે ઝુલેલાલની માનતા રાખતી. જ્યારે પતિ સકુશળ ઘરે પાછા આવતાં ત્યારે ચેટીચાંદ ઉત્સવના રૂપમાં મનાવવામાં આવતો, માનતા પૂરી કરવામાં આવતી, ભંડારા કરવામાં આવતા. સિંધી સમાજના લોકો સિવાય સમુદ્રકિનારે વસતા લોકો પણ ઝુલેલાલને બહુ શ્રદ્ધા સાથે માને છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનપાના ફૂડ વિભાગે 53 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરી 1226 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો
ગુજરાતરાજકોટ

મનપાના ફૂડ વિભાગે 53 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરી 1226 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો

Editor By Editor 6 days ago
મુસાફર વગર દુબઈ-મુંબઈની ફ્લાઈટ રાજકોટથી રવાના
એક વર્ષમાં રૂ. 70,278 કરોડની આવક
જામખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ માતા અને બાળકનું મોત
20 લાખની લાંચ કેસમાં રાજકોટ સેન્ટ્રલ GSTના સુપ્રિન્ટેન્ડેન્ટને હાઇકોર્ટથી નિયમિત જામીન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?