By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    1 day ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/06/16 at 3:02 PM
2 hours ago
Share
સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
SHARE

સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ

વાણીનો દંડ મૌન છે, વાણી પરનો કંટ્રોલ એ સન્યાસ જ છે!

સાકર બનવાનો શું ફાયદો? સાકર ખાવામાં જ ફાયદો છે

મૃત્યુ લોકનું અમૃત કથા-સત્સંગ-સદકથા છે

 

કેરળ રાજયની રાજધાની કોચીમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મૃત્યુલોક’ ગઇકાલે સોમવારે ત્રીજા પડાવ પર પહોંચી હતી. કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પ્રિય બાપુએ જણાવ્યું હતું કે એક ઉપનિષદના શ્ર્લોકથી આજની કથામાં પ્રવેશીએ. આપ સૌ પણ આ શ્લોક બોલજો. જેથી એમ લાગે કે કોઇ પાઠશાળા ચાલી રહી છે, મૃત્યુ લોક એક પાઠશાળા છે જયાં બધું શિખાય છે.

વેદાંત પરમમ ગુડ્ડીપમ પુરાકલ્પે પ્રચોદિતમ

નાપ્રશાંતાય દાતવ્યમ ના પુત્રાય ના આશ્રિતાય

વા પુર: યસ્ય દેવે પરાભકિત યથા દેવે તથા ગુરૌ

તસ્યે તે દધીતાય : યથાસન્ને મહાત્મન પ્રકાશૌતે મહાત્મન:

કોઇપણ પ્રકારની અભિલાષા આપણને શાંત રહેવા નથી દેતી! આપણે શાસ્ત્રોના સંતાન છીએ, સદગ્રંથના પુત્ર છીએ તો કથા પ્રશાંત બનીને સાંભળીએ, ના પુત્રાય એટલે પુત્ર ન હોય એને શિષ્ય-આશ્રિત ન હોય એને કથા કે સદગ્રંથની વાતો ન સંભળાવવી. આપણે કથામાં ત્રણ-ચાર કલાક પ્રશાંત બનીને સંવાદ કરીએ છીએ ત્યારે કથામાં ચારે-ચાર યુગની ચાર યાત્રા થઇ જાય છે. (૧) કથાપ્રારંભે મંગલાચરણ એ સતયુગ છે, સતયુગમાં ધ્યાનની પ્રધાનતા હતી (૨) કથામાં પ્રવેશ એ ત્રેતાયુગ છે, એ યુગમાં યજ્ઞની પ્રધાનતા હતી, તો કથાને હું પ્રેમયજ્ઞ કહુ છું. (3) કથામાં નવેય રસ આવે છે, સૂર-તાલ-લય રાગ વગેરે દ્વારા કથામાં આપણે ષડોપચાર પૂજા કરીએ છીએ દ્વવારયુગમાં છે અને (૪) કથાના અંતે કિર્તન થાય છે. કળિયુગનું પ્રધાનતત્વ હરિનામ સંકિર્તન છે. આમ કથામાં ચારેય યુગની યાત્રા થાય છે.

કથામૃત માત્ર મૃત્યુ લોકમાં જ છે. સ્વર્ગ કે પાતાલમાં કથા નથી. ભાગવદની કથા છે, શુકદેવજી પરિક્ષિતને કથા સંભળાવે છે અને એક જ વારમાં પરિકિવતનો મોક્ષ થઇ જાય છે. આપણા જેવાને ન થાય! આપણે તો વારંવાર-નિરંતર-કથા સાંભળવી પડશે. ઘણા કહે છે કે વારે વારે એકની એક કથા શું સાંભળવી? સોયમાં દોરો પોરવવાનો હોય ત્યારે એક જ વખતમાં દોરો નથી પોરોવાતો! વારંવાર એકથી વધારે વખત પ્રયત્ન કરીએ ત્યારે દોરો પોરોવાય છે. એમ વારે વારે કથા સાંભળવી જોઇએ. ગંગાસતિ કહે છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો બાઇજી પણ કેમ પરોવીએ! મોતીડા તો છે પણ વિજળી કયાં છે? (કાસમ તારી વીજળી રે વેરણ થઇ)

ભાગવદ કથા સાંભળવા ઇન્દ્રપણ આવે છે, ઇન્દ્ર સ્વર્ગનું અમૃત લઇને આવે છે. શુકદેવજીને કહે છે કે આ લો સ્વર્ગનું અમૃત લાવ્યો છું એના બદલામાં અમને કથામૃત આપો. મૃત્યુ લોકનું અમૃત કથા છે, સદકથા છે.

ગીતાવલી રામાયણમાં તુલસીદાસજીએ વસ્તુ બતાવી છે. એમાં સમુદ્રને કેન્દ્રમાં રાખીને આપણને સમજાવે છે (૧) સમુદ્રને ખોજો (૨) સમુદ્રને બાંધો (3) સમુદ્રને લાંધો (પાર કરવો) (૪) સમુદ્રને મથો-મંથન કરો અને (૫) સમુદ્રને પીઓ. આમ પાંચ સ્થિતિ બતાવી છે. ઘણા લોકો સમુદ્રની શોધ-ખોજ કરે, ઘણા લોકો સમુદ્રને બાંધે એટલે કે કોઇ વાતને બાંધવી-પાકી કરવી, ઘણા લોકો સમુદ્રને પાર કરે છે, હનુમાનજી સમુદ્રને લાંધે છે.

ઘણા લોકો સમુદ્ર મંથન કરે અને પછી સમુદ્રને પીવી છે એટલે કે વિષ-અમૃત નીકળે એ વિષ મારો મહાદેવ પી જાય છે અને જગતને અમૃત આપે છે. કહે છે કે શંકરે વિષને કૈલાસ-હિમાલય પાસે અટકાવી દીધું છે અને જગતને અમૃત આપ્યું છે. આ મૃત્યુ લોકએ મહાસાગર છે. આ સાગરના ઊંડાણમાં જવાનું છે, સાગરમાં તરવાનું છે અને સાગરનું મંથન કરવાનું છે.

મૃત્યુ લોકના મહાસાગરમાંથી રત્નો નીકળે છે, એ રત્નો કયાં? શાંતિ રત્ન મળે છે, બીજું પ્રાપ્તિ-એટલે કે નિર્વાણ, મોક્ષ-મુકિતની પ્રાપ્તિ રૂપિરત્ન મળે છે, આત્મ જયોતિ પ્રાપ્ત થાય છે, ધૃતિ એટલે કે ધીરજ-ધૈર્ય મળે છે. મૃત્યુ તત્વથી આ બધું પ્રાપ્ત થાય છે અને અનાશકિત પ્રાપ્ત થાય છે. મૃત્યુ મળે પછી કોઇ આશકિત રહે છે? કશીપ આસકિત નથી રહેતી. સ્મરણ, શ્રવણ અને શરણ એટલે શરણાગતિ થઇ જાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં આવી જાય! એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, નિરંતર કથા સાંભળું છું, હવે સન્યાસ લેવાનું મન થાય છે તો શું કરવું? જવાબ: વ્યાસપીઠ તો વિશ્વાસ આપવાનું કામ કરે છે અને સંસારમાં રહીને પણ સન્યાસી થઇ શકાય છે. મૌન-એકાંત અપનાવો, મૌન સેવો, એકાંત સેવો, વાણીનો દંડ મૌન છે. આપણે કેટલું બોલબોલ કરીએ છીએ, કર્મ કરો-પરસેવો પાડો, કોઇનો દ્વવેષ ન કરે, કોઇની પણ પાસેથી કોઇ અપેક્ષા ન રાખવી એ કાયમી સન્યાસી જ છે. શરણાગતિના નામ પર કર્મ ન છોડો, પ્રમાદી ન બનો, કહે કબીર કુછ ઉધમ કીજે….એટલે કબીર પણ ઉદ્યમને પ્રધાનતા આપે છે. શંકરાચાર્યજીએ તો કહ્યું છે કે એકાંત સુખમાસ્યતામ કોઇએ એક સરસ શેર લખી મોકલ્યો છે કે સોચતાહું કુછ, પર કિસસે કહું? ફિર સોચતાહું કી કિસ્સે કિસસે કહું?

આપણો કવિ કૃષ્ણ દવે એ પણ એક કાવ્ય મોકલ્યું છે. કૃષ્ણ તો કૃષ્ણ જ છે, અલગ મિજાજથી લખે છે…

એમ દેહ નહીં ધરૂ

હું કવિતા છું, મારી મરજી, લટકામાં અવતરૂ

એમ દેહ નહીં ધરૂ

કેવળ વાણી વિલાસ કરતી જિહવા લાગે રાંક!

લખ લખ કરતી લેખણ બટકે એમાં કોનો વાંક?

હાથ ન લાગું હવાતિયાને એમા શું કરૂ?

એમ દેહ નહીં ધરૂ

જોતરાઇ મૂર્ધન્ય થવા હું ગોળ ગોળ નહીં કરૂ

એમ દેહ નહીં ધરૂ…

 

કથારત્નો

(૧) મૃત્યુલોક એ પાઠશાળા છે, જયાં બધું શિખાય છે

(૨) કોઇપણ પ્રકારની અભિલાષા આપણને શાંત નથી રહેવા દેતી!

(3) જ્ઞાન, જ્ઞાનનો અહંકાર પણ બંધન છે : શિવસૂત્ર

(૪) મૃત્યુ એ ધ્રુવ છે, મૃત્યુ લોકમાં જીવન-મૃત્યુ છે

(૫) કાનને દિવાલ હોય છે પણ કાનમાં જ દિવાલ થઇ જાય તો કોઇની નિંદા-ઇર્ષા-દ્વવેષ સંભળાય નહીં!

You Might Also Like

જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ

વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ

વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આવતીકાલે 14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ : રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પોની સેવા
રાજકોટ

આવતીકાલે 14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ : રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પોની સેવા

Editor By Editor 3 days ago
ગોંડલની સરકારી બેંકની નવી ઇમારતમાં રોડા નાખતા વિરોધીઓને આડે હાથ લેતા પૂર્વ ધારાસભ્ય
સોમવાર નહીં, ‘સરગમવાર’! 800થી વધુ દર્શકોએ સિનેપોલિસમાં સર્જ્યો પ્રેમનો મહોત્સવ
વીવીપી ઇજનેર કોલેજ દ્વારા મેરીટ આધારીત પ્રવેશ સ્કોલરશીપનો પ્રારંભ
રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?