૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે નહિ
સ્પેનમાં સૂર્યાસ્ત સમયે પૂર્ણ ગ્રહણની રોમાંચકારી ઘટના સર્જાશે : વિશ્વના અમુક પ્રદેશોમાં ખગ્રાસ, અમુક પ્રદેશોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. ૧૨મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઉત્તર સ્પેન, આર્કટિક, પશ્ચિમ આફ્રિકા, નોર્થ અમેરિકા, યુરોપ, સમુદ્ર વિસ્તારમાં પૂર્ણ અને ખંડગ્રાસ જોવા મળશે. આ ગ્રહણની અવધિ ૪ કલાક ૨૩ મિનિટની છે. ગ્રહણ નરી આંખે જોવું જોખમકારક છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓનું ખંડન કાર્યક્રમોનું આયોજન ગોઠવ્યું છે.
સંવત ૨૦૮૨ ના અષાઢ વદ અમાસને તા. ૧૨મી ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્રમાં થનારું ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જયારે સૂર્યગ્રહણ પૂર્ણ આર્કટિક, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, સ્પેન, ખંડગ્રાસ પશ્ચિમ અમેરિકા, પશ્ચિમ–મધ્ય આફ્રિકા અને યુરોપમાં જોવા મળવાનું છે. આ ઉપરાંત બેરિંગ સમુદ્ર, અલાસ્કારનો અખાત, લ્યુકોર્ટ સમુદ્ર, ચુકચી સમુદ્ર, લેબ્રેડોર સમુદ્ર વિસ્તારમાં જોવા મળવાનું છે.
ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શઃ ૨૧ કલાક ૦૪ મિનિટ, ગ્રહણ સંમીલન : ૨૨ કલાક ૨૭ મિનિટ, ગ્રહણ મધ્ય ૨૩ કલાક ૧૫ મિનિટ, ગ્રહણ ઉન્મીલન : ૨૪ કલાક ૦૩ મિનિટ, ગ્રહણ મોક્ષ ૨૫ કલાક ૨૭ મિનિટ, આ ગ્રહણનું ગ્રાસમાનઃ ૧.૦૩૮૬ રહેશે. ગ્રહણની અવિવધ ૦૪ કલાક ૨૩ મિનિટની છે.
જાથાના રાજય ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ પૃથ્વી ઉપર ૦૪ કલાક ૨૩ મિનિટ જોવા મળવાનું છે. સૂર્યગ્રહણનો સૌથી અદભુત નજારો સ્પેનમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવી રહ્યું છે કારણકે સૂર્યાસ્ત સમયે આ અદ્દભુત નજારો જોવા મળવાનો છે. માનવી માટે જીજ્ઞાસા સાથે સંશોધનનો શ્રેષ્ઠ સમય છે ત્યારે પશુ–પંખી માટે વિચલિત થઈ જાય તેવી અવસ્થા સાબિત થશે. તેમને એકાએક અંધકાર, પ્રકાશનું ગાયબ થઈ જવું કુતુહુલ સાબિત થવાનું છે. ભારતમાં ખગ્રાસ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું નથી. વિશ્વના અમુક દેશ-પ્રદેશોમાંઆશરે ૦૪ કલાક ૨૩ મિનિટ સુધી ગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અદ્દભુત–અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્રસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવાલાયક નજારો છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિયત કરી વ્યવસ્થા આરંભી દીધી છે.
રાજયમાં જાથાના કાર્યક્રમો જિલ્લા મથકો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વાવ-થરાદ, પાટણ, પાલનપુર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, હિંમતનગર, માણસા, રાજપીપળા, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ–ભુજ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, બોટાદ, તાપી વ્યારા, મહીસાગર લુણાવાડ, ડીસા, ગાંધીધામ, અંજાર, ધોરાજી, ઉપલેટા, કેશોદ, મહુવા, કુંકાવાવ, બાબરા, લીંબડી સહિત અનેક તાલુકા મથકે અયાોજનની તૈયારી ચાલી રહી છે.
જાથાના બિલડીના ખીમજીભાઈ બારોટ, દેવળાના બાબુભાઈ જાગાણી, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મિયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, હુસેનભાઈ ખલીફા, નિર્ભય જોષી, ભાનુબેન શેઠીયા, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા અનેક કાર્યકરો કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.
અંતમાં રાજ્યમાં જાથાની શાખાઓમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદીત સંખ્યામાં હોય આમંત્રિતો માટે જ રાખવામાં આવ્યું છે. વિશેષ જાણકારી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.


