Covid-Omicron XBB નામનો વાઇરસ માથા અને પીઠમાં દુખાવો કરે છે અને ખતરનાક છે તેવો મેસેજ ફેક અર્થાત નકલી અને ડોક્ટરોનો ધંધો વધારવા માટેનો છે માટે ગભરાશો નહીં
તમે વૉટ્સઅપ ખોલીને બેસો છો અને તેમાં નકરા નકલી સમાચાર આવે છે. માટે જ તમને વારંવાર સાવધાન કરીએ છીએ કે ‘અગ્ર ગુજરાત’ જેવા સ્ટાન્ડર્ડ ન્યૂઝ પ્રોવાઇડરની જ ન્યૂઝપ્લેટ જુઓ, તેની વેબસાઇટ અને સોશ્યલ મીડિયામાં મૂકાયેલા ખબરને જ જુઓ. ખરાઈ કરવાની જરૂર લાગે ત્યારે અગ્ર ગુજરાત જોઈ લેવું, કેમ કે અમે ફેક ન્યૂઝની સામે વારંવાર અમારા સુજ્ઞ વાચકોને સાવધાન કરીએ છીએ. ફરીથી એક વાર વૉટ્સઅપ ફોરવર્ડ જોવાનું બંધ કરો અને ‘અગ્ર ગુજરાત’ જેવા આધારભૂત અખબારોને ફોલો કરો.
કોરોનાના કેસ દેખાવા લાગ્યા છે ત્યારે કોઈ ગભરાટની જરૂર નથી, કેમ કે JN.1 વેરિયન્ટમાં કોઈ ચિંતા કરવા જેવું નથી. તેના કેસીસ વધવા લાગ્યા છે અને તેના સમાચાર અને આંકડા પણ જરૂર પ્રમાણે તમને આપીએ છીએ, પણ મોટા ભાગે હળવા લક્ષણો હોય છે અને હોસ્પિટલે જવું પડતું નથી. સામાન્ય સારવારની જ જરૂર હોય છે. મોટી ઉંમરના અને અન્ય ગંભીર બીમારી ધરાવનારા લોકોએ સાવચેતી રાખવી તે પણ અમે તમને જણાવીએ છીએ, કેમ કે ચેતતો નર સદા સુખી.
પણ નકલી ન્યૂઝ જોનારો સદા દુખી એટલે અહીં તમને જણાવીએ છીએ કે બે દિવસથી Covid-Omicron XBB નામના વાઇરલસના નામે નકલી સમાચાર ફરે છે તેનાથી ગભરાશો નહીં, તેવું આરોગ્ય મંત્રાલયે પણ જણાવ્યું છે. તાવ કે ઉઘરસ નહીં, પણ માથાનો અને પીઠનો દુખાવો થતો હોય તો આ વાઇરસ હશે અને તે જીવલેણ છે એવા ખોટા ખબરથી ગભરાશો નહીં.
શિયાળામાં આમ પણ શરીર જકડાઈ જાય અને પીઠમાં થોડો દુખાવો દેખાય. વધારે ઠંડી લાગે, કાન ખુલ્લા રહી ગયા હોય ત્યારે કેટલાકને માથાનો દુખાવો પણ લાગે. પરંતુ આ કોઈ લક્ષણો કોરોના વાઇરસ નથી અને તેના કારણે હોસ્પિટલે દોડી જશો નહીં. આ ફેક ન્યૂઝ છે અને કોરોના કોઈ વારઇસમાં કોઈ જાતનો શરીરનો દુખાવો થતો નથી.
હાલમાં જે JN.1 નામના વાઇરલસ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચના આપી છે, તેમાં હળવા લક્ષમો, ફ્લૂ જેવા લક્ષણો હોય છે એમ જણાવ્યું છે. તેથી ફ્લૂ જેવું લાગતું હોય ત્યારે સામાન્ય કાળજી લઈ શકાય છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિનાથી જ રાજ્યોના આરોગ્ય વિભાગોને પણ તાકિદ કરી હતી કે તમે ચેક રાખજો. તે પ્રમાણે હવે ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યું છે. ફ્લૂ જેવું લાગતું હોય ત્યારે હવે ડોક્ટર તેનો ટેસ્ટ કરાવી લે છે. આની પાછળનો હેતુ માહિતી માટેનો વધારે છે અને સારવાર સારી રીતે થઈ શકે અને કાળજી લઈ શકાય તે માટેનો છે.
કેરળ ટેસ્ટ કરવામાં કાયમ આગળ હોય છે એટલે ત્યાંથી વધારે કેસ આવશે. ગુજરાતમાં પણ હવે ટેસ્ટિંગ શરૂ થયા છે ત્યારે કેસ થયાના આંકડાં આવશે, પણ તે માહિતી માટે છે. ગભરાટ ફેલાવા માટે નથી. અને ખાસ નોંધી લો… કોરોના વિશેના સમાચારો વોટ્સઅપમાં મહેરબાની કરીને ના જોશો.