By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    26 minutes ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    1 hour ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રાદ્ધ પક્ષ : પિતૃતર્પણનો ઉત્તમ સમય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શ્રાદ્ધ પક્ષ : પિતૃતર્પણનો ઉત્તમ સમય છે

agragujaratnews
Last updated: 2023/10/02 at 5:41 AM
2 years ago
Share
શ્રાદ્ધ પક્ષ : પિતૃતર્પણનો ઉત્તમ સમય છે
SHARE

શ્રાદ્ધ વિવિધ પ્રકારનાં હોય છે, તે અંગેનો ખ્યાલ પુરાણો, સ્મૃતિઓ દ્વારા મળે છે. મનુસ્મૃતિમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધ જણાવાયાં છે, જેને નિત્ય, નૈમિત્તિક તથા કામ્યના નામથી ઓળખવામાં આવે છે. યમ સ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. મુખ્ય ત્રણ શ્રાદ્ધ આ પ્રમાણે છે.

નિત્ય શ્રાદ્ધ

નિત્યનો અર્થ થાય છે દરરોજ. દરરોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. અસમર્થાવસ્થામાં માત્ર જળ દ્વારા પણ આ શ્રાદ્ધને સંપન્ન કરી શકાય છે.

નૈમિત્તિક શ્રાદ્ધ

કોઈને નિમિત્ત બનાવીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેને એકોદૃષ્ટિના નામથી પણ ઓળખવામાં આવે છે. એકોદૃષ્ટિનો અર્થ થાય છે કોઈ એકને નિમિત્ત માનીને કરવામાં આવતું શ્રાદ્ધ. જેમ કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દસમું, અગિયારમું વગેરે એકોદૃષ્ટિ શ્રાદ્ધ હેઠળ આવે છે.

કામ્ય શ્રાદ્ધ

કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે કામ્ય શ્રાદ્ધ અંતર્ગત આવે છે.

શ્રાદ્ધ સંસ્કાર

કાયાની સમાપ્તિ પછી પણ જીવનયાત્રા રોકાતી નથી. આગળનો ક્રમ ચાલતો જ રહે છે. તેને કારણે મરણોત્તર સંસ્કાર કરવામાં આવે છે. તેના દ્વારા પોતાની ક્ષમતા મુજબ પિતૃઓને સદ્ગતિ આપવા અને આશીર્વાદ મેળવવા માટે આ ક્રમને આગળ વધારવામાં આવ્યો છે. હિંદુ સંસ્કૃતિમાં જણાવાયું છે કે મૃત્યુની સાથે કોઈ વ્યક્તિના જીવનની સમાપ્તિ થતી નથી, કારણ કે અનંત જીવન શૃંખલાની એક કડી મૃત્યુ પણ છે. આથી સંસ્કારોના ક્રમમાં જીવની આ સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિતૃઓ જ્યારે એક જીવન પૂર્ણ કરીને બીજા જીવન માટે આગળ વધે છે ત્યારે પિતૃઓને મળનારું જીવન વધારે સુસંસ્કારવાન બને. આ નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે છે.

શ્રાદ્ધ પક્ષમાં શું કરવું અને શું ન કરવું?

હિંદુ સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તેનું એક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે. કોઈ પણ કાર્ય કે સંસ્કાર કરવા પાછળનું કારણ અને તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માહિતી વેદો અને પુરાણોમાં આપવામાં આવી છે. શ્રાદ્ધ વિશે પુરાણોમાં શું કહ્યું છે તે જાણીએ…

  • બીજા કોઈની ભૂમિ પર શ્રાદ્ધ ન કરવું જોઈએ. પુણ્યતીર્થ, જંગલ, પર્વત અને દેવમંદિર તે બીજાની ભૂમિ ન કહેવાય, કારણ કે તેના પર કોઈનું સ્વામિત્વ નથી હોતું. (કૂર્મપુરાણ)
  • શ્રાદ્ધમાં પિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે. (સ્કંદપુરાણ)
  • શ્રાદ્ધમાં પહેલાં અગ્નિને ભાગ અર્પણ કરવામાં આવે છે. અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓના નિમિત્ત પિંડદાન કરવામાં આવે છે, તેને બ્રહ્મરાક્ષસ દૂષિત કરતા નથી. (મહાભારત)
  • જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજા કોઈના ઘરે ભોજન કરે છે, તે પાપનો ભાગી બને છે અને તેને શ્રાદ્ધનું ફળ મળતું નથી. (સ્કંદપુરાણ)
  • વસ્ત્ર વગર કોઈ ક્રિયા, યજ્ઞ, વેદાધ્યયન અને તપસ્યા થતી નથી. આથી શ્રાદ્ધકાળમાં વસ્ત્રનું દાન કરવું જોઈએ. (બ્રહ્મપુરાણ)
  • શ્રાદ્ધ અને હવનના સમયે એક હાથથી પિંડ તથા આહુતિ આપી શકો, પરંતુ તર્પણમાં બંને હાથથી જળ આપવું (અર્પણ) જોઈએ. (પદ્મપુરાણ, નારદપુરાણ, લઘુયમસ્મૃતિ, મત્સ્યપુરાણ, બ્રહ્મપુરાણ)

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
રાષ્ટ્રિય

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

By 1 day ago
2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો
Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
India હવે ચીન પર આધારિત નહીં રહે, Rare Earth માટે બનાવ્યો પ્લાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?