- રાજસ્થાનમાં DGP-IGPના સંમેલનમાં PM મોદી લેશે ભાગ
- 58મી DGP-IGP કોન્ફરન્સમાં લેશે ભાગ
- 5થી 7 જાન્યુઆરી એમ 3 દિવસ કરવામાં આવ્યું છે આયોજન
PM નરેન્દ્ર મોદી રાજસ્થાનના જયપુરમાં 3 દિવસીય યોજાનારા ડીજીપી અને આઇજીપી સંમેલનમાં ભાગ લેશે. 3 દિવસીય વાર્ષિક અખિલ ભારતીય સંમેલનમાં તેઓ ભાગ લેશે. પીએમ કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. આ 3 દિવસીય સંમેલન આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી, વામપંથી, ઉગ્રવાદ અને નશીલા પદાર્થોની તસ્કરીને લઇને ઉભા થયેલા પડકારો પર વિચાર વિમર્શ કરવામાં આવશે.
શું છે કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ?
5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમ, પોલીસિંગમાં ટેકનોલોજી, આતંકવાદ વિરોધી પડકારો, ડાબેરી ઉગ્રવાદ અને જેલ સુધારણા સહિત પોલીસિંગ અને આંતરિક સુરક્ષા મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા કરવામાં આવશે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. સંમેલનનો મુખ્ય એજન્ડા સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટેના માર્ગ નકશા પરની ચર્ચા છે. આ ઉપરાંત, પોલીસિંગ અને નવી ટેક્નોલોજી જેવી કે AI, ડીપ ફેક વગેરે દ્વારા ઉભા થતા પડકારો અને તેનો સામનો કરવાની રીતો પર પણ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે કોન્ફરન્સ નક્કર કાર્યવાહીના મુદ્દાઓને ઓળખવાની અને તેમની પ્રગતિનું નિરીક્ષણ કરવાની તક પણ પૂરી પાડે છે, જે દર વર્ષે પીએમ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
2014થી PM મોદી લે છે ભાગ
આ કોન્ફરન્સ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પોલીસ અને ગુપ્તચર અધિકારીઓ વચ્ચે ઓળખાયેલા વિષયો પર વિસ્તૃત ચર્ચાની પરાકાષ્ઠા છે. દરેક થીમ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે જેથી રાજ્યો એકબીજા પાસેથી શીખી શકે. તમને જણાવી દઈએ કે 2014થી વડાપ્રધાન ડીજીપી કોન્ફરન્સમાં ઊંડો રસ લઈ રહ્યા છે.
અત્યાર સુધી ક્યાં ક્યાં થયુ આયોજન ?
મહત્વનું છે કે આ કોન્ફરન્સ 2014માં ગુવાહાટી, 2015માં કચ્છના રણ- ધોરડોમાં, 2016માં હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં તથા 2017માં ટેકનપુર બીએસએફ અકાદમી, 2018માં કેવડીયા અને 2019માં ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થા પુણેમાં તથા 2021માં લખનૌ પોલીસ મુખ્યાલય અને 2023માં રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર પૂસા, દિલ્ગહીમાં આયોજિત કરવામાં આવ્યું હતું.


