By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    1 day ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    1 day ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    1 day ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    1 day ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    1 day ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

agragujaratnews
Last updated: 2024/01/12 at 8:43 PM
2 years ago
Share
હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો
SHARE

દરિયામાં આવીને જહાજોનું અપહરણ કરી રહેલા હૂતી બળવાખોરોને રોકવા માટે યમનમાં ભૂમિ પર આવેલી તેમની છાવણીઓ પર યુએસએ અને યુકે દ્વારા હુમલા

રાતા સમુદ્રમાં છેલ્લા કેટલાક સમયથી હૂતી બળવાખોરો માલવાહક જહાજો માટે નડતર થઈ રહ્યા છે ત્યારે ભારતીય નૌકા દળ સહિત વિશ્વના અન્ય દેશોના નૌકા દળે પણ કાર્યવાહી કરી છે. આમ છતાં હૂતી લોકો પેટ્રોલ બોટ લઈને દરિયામાં ફરી રહ્યા છે. છેલ્લા થોડા મહિનામાં જ 24 જેટલા વહાણો પર તેમનો હુમલો થયો છે. ભારત આવી રહેલા અથવા ભારતીય ખલાસીઓ સાથેના ટેન્કરો પર હુમલા બાદ ભારતીય નૌકા દળે કાર્યવાહી કરીને હૂતીઓને ભગાડ્યા પણ હતા. આમ છતાં હુમલા સાવ અટક્યા નથી અને અહીંથી પસાર થઈ રહેલી સ્ટીમરો માથે જોખમ તોળાતું રહે છે.
આ હુમલો કરનારા હૂતી યમનના ઉત્તરના પ્રદેશોમાં વસે છે અને સરકાર સાથે તથા સાઉદી અરેબિયા સામે તેમની લડાઈઓ લાંબા સમયથી ચાલતી આવી છે. ઈરાન તરફથી હૂતીને મદદ મળે છે અને તેના જોર પર હૂતીઓ સાઉદીમાં હુમલા કરે છે. જોકે ઈઝરાયલે હમાસ પર હુમલા શરૂ કર્યા તે પછી ઈરાનની ઉશ્કેરણીથી હૂતીઓ દ્વારા મધદરિયે માલવાહક જહાજ પર હુમલા શરૂ થયા હતા. ઈઝરાયલને ટેકો આપનારા અમેરિકા અને યુરોપના જહાજોનું અપહરણ કરવાની કોશિશો થઈ રહી છે. દરિયામાં ફરી રહેલી ત્રણ હૂતી બોટોને ગયા મહિને જ ડૂબાડી દેવામાં આવી હતી.
અમેરિકાના પ્રમુખે ગઈ કાલે જ ચેતવણી આપી છે કે જરૂર પડશે તો યમનમાં હૂતીઓના અડ્ડાઓ પર આગળ પણ કાર્યવાહી કરાશે. અમેરિકા અને બ્રિટનની સેનાએ સંયુક્ત કાર્યવાહી કરીને યમન પર બોમ્બમારો કર્યો હતો. દરિયે આવનજાવનમાં અવરોધો ઊભા કરનારા સામે કાર્યવાહી થશે એવી ચેતવણી આપીને બાઈડને કહ્યું કે ચોક્કસ સ્થાનો પર હુમલો કરાયો છે તેની પાછળ આ જ સ્પષ્ટ ચેતવણી છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મરચન્ટ શીપિંગ પર હુમલા કરવા માટેની હૂતીની તાકાતને તોડવામાં આ હુમલા ઉપયોગી થયાનું લાગે છે.
યમનની રાજધાની સાના અને સાદા તથા ધમાર નામના શહેરો પર હૂતીના અડ્ડાઓ પર હુમલા થયા છે. અમેરિકા-યહુદી-બ્રિટને આ આક્રમણ કર્યું છે એવું હૂતી જૂથોના અધિકારીઓએ કહ્યું છે. હૂતી સામે મધદરિયે કામગીરી પછી જમીન પર તેના અડ્ડાઓને તોડી નાખવાની આ કામગીરી નોંધપાત્ર બની છે. આના દ્વારા ચેતવણી અપાઈ છે કે હવે માત્ર દરિયામાં ચોકી પહેરો કરવાના બદલે જરૂર પડશે તો બંદરો પર લાંગરેલા હૂતીના જહાજો અને વહાણોને તોડી પાડવામાં આવશે.
અમેરિકાના સ્રોતોના જણાવ્યા અનુસાર વિમાનથી અને સબમરીનથી આ હુમલા કરાયા હતા. એક ડઝનથી વધુ અડ્ડા પર હુમલા થયા હતા, જેનો હેતુ હૂતીના લશ્કરી થાણાને નુકસાન પહોંચાડવાનો હતો.
હૂતી બળવાખોરોએ યમનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરીને રાખ્યો છે અને તેના દ્વારા હવે સુએઝ કેનાલના દરિયાઇ માર્ગે હુમલા શરૂ થયા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ હૂતીઓને ચેતવણી આપેલી જ છે કે રાતા સમુદ્રમાં પસાર થતા વેપારી જહાજો આંતરરાષ્ટ્રીય વેપાર માટે છે અને તેના પર હુમલા યોગ્ય નથી. ચેતવણીઓ છતાં હૂતી બોટ અહીં ફરતી રહે છે, જે જહાજી કામકાજ માટે જોખમ બની રહી છે.
હમાસના સમર્થનમાં અમે હુમલા કરીએ છીએ હૂતીઓનું કહેવું છે, પણ તેના કારણે બીજા દેશોના જહાજોને, તેમના ખલાસીઓને સમગ્ર રીતે આંતરરાષ્ટ્રીય વેપારને અસર થાય છે. જહાજો પર હુમલો કરવાથી કંઈ ઈઝરાયલ અટકી જવાનું નથી કે તેને સીધું કોઈ નુકસાન નથી. અમેરિકા અને યુરોપના વેપારને અસર થાય છે, પણ તેનાથી વધારે અસર ભારત, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ જેવા દેશોના વેપારને થાય છે. એટલે હૂતી સાથે આંતરરાષ્ટ્રીય રોષ વધી રહ્યો છે અને ભવિષ્યમાં કદાચ હૂતીની યમનમાં આવેલી છાવણીઓનો નાશ કરવા માટે પણ હુમલા થઈ શકે છે.
ભારતીય નૌકા દળ અને ભારતના મરીન કમાન્ડોએ પોતાની કામગીરી દાખવીને હૂતી અને સોમાલી ચાંચિયાને લાલ આંખ દેખાડી પણ છે, પરંતુ ભારત અમેરિકા કે બ્રિટનની જેમ યમનમાં જમીન પર છાવણીઓ પર બોમ્બમારી કરશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. પરંતુ પેટ્રોલ બોટમાં આવીને જોખમ ઊભું કરનારાની ખેર નથી એટલું તો ભારતે સ્પષ્ટ કરી દીધું છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

વર્ષાન્તે વિચારો કે સંબંધોની પોસ્ટમાં શું પ્રગટે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
ધર્મ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Health Tips : બજારમાં મોટાપાયે નકલી પનીરનું ધૂમ વેચાણ, આ ટ્રીકથી જાણી શકશો પનીર અસલી કે નકલી
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
PM Modi Maldives Visit: માલદિવમાં પીએમ મોદીનું દમદાર સ્વાગત, જુઓ PM મોદીનો જલવો
Junk Food Addiction: આ મીઠી અને ખારી વસ્તુઓનું વ્યસન દારૂથી ઓછું નથી, નવા સંશોધનમાં થયો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?