- મહારાષ્ટ્રના નાગપુરના એક કાર્યક્રમમાં એસ. જયશંકરનું નિવેદન
- “ભારત પ્રત્યે વિશ્વભરતમાં દૃષ્ટિકોણ બદલાયું”
- “વિશ્વભરના અનેક મોટા મુદ્દાઓ પર ભારતની સલાહ લેવાય છે”
મહારાષ્ટ્રના નાગપુરના એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારત પ્રત્યે વિશ્વભરતમાં દૃષ્ટિકોણને લઇ અગત્યની વાત કરી હતી. એસ. જયશંકરે કહ્યું કે વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દા પર ભારત સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવામાં આવતો નથી. ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો ગયો છે.
ભારત સાથે ચર્ચા કર્યા વિના સલાહ લેવાય છે: વિદેશ મંત્રી
નાગપુરના સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દા પર ભારત સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવામાં આવતો નથી. ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો ગયો છે. જેથી કરીને ભારત હવે વિકાસલક્ષી કાર્યો ઝડપી થઇ રહ્યા છે. દેશ-વિદેશમાં ભારતના સંબંધો ગાઢ થઇ રહ્યા છે.
ભારત-ચીન વચ્ચેના સંબંધો પર વિદેશ મંત્રી જયશંકરે આપી પ્રતિક્રિયા
કાર્યક્રમમાં જયશંકરે ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું- જ્યાં સુધી સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નહીં થઈ શકે. મેં ચીનના વિદેશ મંત્રીને કહ્યું કે જ્યાં સુધી તેઓ સરહદ વિવાદનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી તમે રાજદ્વારી સંબંધો સામાન્ય રીતે ચાલવાની અપેક્ષા રાખી શકો નહીં. આ અશકય છે.
આપણે UNSCના કાયમી સભ્ય બનવું જોઈએ: વિદેશ મંત્રી
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે જોવા માંગે છે. તેઓ ભારતના કાયમી સભ્યપદના સમર્થનમાં છે. તેના પર જયશંકરે કહ્યું- ઘણી વખત દુનિયા આસાનીથી વસ્તુઓ નથી આપતી, ક્યારેક છીનવી લેવી પડે છે. મને લાગે છે કે આપણે UNSCના કાયમી સભ્ય બનવું જોઈએ. વિશ્વના ઘણા દેશો તેને સમર્થન આપે છે, પરંતુ તે સરળ નથી. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતના રસ્તામાં સૌથી મોટો અવરોધ ચીન છે. ચીન ઉપરાંત ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને બ્રિટન ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવા માટે સહમત થયા છે, પરંતુ ચીન અલગ-અલગ બહાના કરીને ભારતની કાયમી સભ્યપદનો વિરોધ કરી રહ્યું છે.


