- ઓપનરના રૂપમાં ટીમમાં વાપસી કરી શકે છે જાયસ્વાલ
- કમર દર્દના કારણે ટીમમાંથી બહાર હતા આ પ્લેયર
- આજે અફઘાન બોલર્સ પર ભારે પડી શકે છે આ ખેલાડી
ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચેની 3 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરીઝની બીજી મેચ આજે 14 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યાથી ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા પોતાની બેટિંગથી અફઘાનિસ્તાનની સામે બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ કરી શકે છે. ટીમ ઈન્ડિયા જો ઈન્દોરમાં જીતે છે તો સીરીઝમાં 2-0થી અજેય બઢત મેળવી શકે છે. ઈન્દોર ટી20 મેચમાં ઓપનરના રૂપમાં યશસ્વી જાયસ્વાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. યશસ્વી જાયસ્વાલ કમર દર્દના કારણે પહેલી ટી20 ઈન્ટરનેશનલમાં પસંદગી પામી શક્યા નહતા.
ઈન્દોરમાં અફઘાન બોલર્સને માત આપી શકે છે આ ભારતીય ખેલાડી
યશસ્વી જાયસ્વાલ એકલા જ મેચની કાયા પલટ કરી શકે છે. અફઘાનિસ્તાનની સામે ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્માની સાથે તેઓ ઓપનિંગમાં આવે તેવી શક્યતાઓ છે. યશસ્વી જાયસ્વાલે ટીમ ઈન્ડિયાને માટે ફક્ત 15ટી20 ઈન્ટરનેશનલ મેચ જ રમી છે. તેઓએ જે રીતે બેટિંગ કરી છે તેના તમામ લોકો કાયલ છે. યશસ્વી જાયસ્વાલ એકલા મેચ ફેરવવાનો દમ રાખે છે.
શું આજે પ્લેઈંગ-11માં મળશે ચાન્સ?
યશસ્વી જાયસ્વાદને આજે અફઘાનિસ્તાનની સામે અન્ય ટી20 ઈન્ટરનેશનલ મેચમાં રમવાનો ચાન્સ મળી શકે છે. યશસ્વી જાયસ્વાલે ભારત માટે 15 ટી 20 ઈન્ટરનેશનલ મેચમાં 159.26ના સ્ટ્રાઈક રેટથી 430 રન બનાવ્યા છે. યશસ્વી જાયસ્વાલે ટી20 ઈન્ટરનેશનલમાં 1 શતક અને 3 અર્ધશતક પણ બનાવ્યા છે. યશસ્વી જાયસ્વાલ તાબડતોડ બેટિંગમાં માહિર છે. આ પ્લેયર ક્રીઝ પર આવતા જ મોટાથી મોટા બોલર્સને માત આપે છે.
બેટિંગથી જીત્યું છે ફેન્સનું દિલ
યશસ્વી જાયસ્વાલ એ બેટ્સમેન છે જે કોઈ પણ ટીમને માટે એક મોટા એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. આઈપીએલના દમ પર તેઓએ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે. ગયા વર્ષે જાયસ્વાલે આઈપીએલ 2023ની 14 મેચમાં 163.61ના સ્ટ્રાઈક રેટથી 625 રન લીધા હતા. તેમાં 82 ચોગ્ગા અને 26 છગ્ગા સામેલ હતા. યશસ્વી જાયસ્વાલે IPL 2023 માં 1 શતક અને 5 અર્ધશતક જોડ્યા. યશસ્વી જાયસ્વાદનો IPL 2023 માં બેસ્ટ સ્કોર 124 રન રહ્યો છે.


