- ક્રીઝ પર વધારે સમય રહેવામાં નાકામ રહ્યા ખેલાડીઓઃકેપ્ટન ઉદય
- ટીમની તૈયારી સારી હતી પણ રણનીતીનો અમલ કરી શક્યા નહીં
- ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના પરફોર્મન્સને લઈને ટીમના કર્યા વખાણ
ભારતીય કેપ્ટન ઉદય સહારને રવિવારે અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે મળેલી 79 રનની હારને સ્વીકારી છે. તેઓએ પોતાની રણનીતિ પર અમલ કર્યો નહીં અને કેટલાક ખરાબ શોર્ટના કારણે પણ ટીમને હાર મળી. ભારતીય ટીમ 254 રનના લક્ષ્યની સામે 43.5 ઓવરમાં 174 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમની તરફથી આદર્શ સિંહે 47 રન કર્યા તો મુરુગન અભિષેક 42 રન બનાવવામાં સફળ રહ્યા હતા.
ફાઈનલમાં હાર બાદ ભડક્યા કેપ્ટન
ભારતના અંડર-19 કેપ્ટન ઉદય સહારને મેચ બાદ કહ્યું કે અમે કેટલાક ખરાબ શોર્ટ રમ્યા અને સાથે ક્રીઝ પર વધારે સમય વીતાવવામાં સફળ રહ્યા નહીં. અમે સારી તૈયારી કરી હતી પણ અમે રણનીતિને કાયમ રાખી શક્યા નહીં. ભારત ફાઈનલમાં હાર્યું પણ કેપ્ટન સહારને ટૂર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શનને માટે ટીમના વખાણ કર્યા.
મેચ બાદ શું કહ્યું
ઉદય સહારને કહ્યું કે આ ટૂર્નામેન્ટ સારી રહી છે. મને મારા ખેલાડીઓ પર ગર્વ છે. તેઓએ શાનદાર રમત રમી છે. તેઓએ શરૂઆતથી જ પોતાના જુસ્સાને જાળવી રાખ્યો. ઓસ્ટ્રેલિયાએ ચોથીવાર અંડર19 વર્લ્ડ કપ જીત્યો. તેના કેપ્ટને કહ્યું કે આ અવિશ્વસનીય જીત છે. મને મારા ખેલાડીઓ અને કોચ પર ગર્વ છે. આ કેટલાક મહિનાઓની મહેનતનું પરિણામ છે.
ભારતે ગુમાવ્યો છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અવસર
અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં રવિવારે કાંગારુની ટીમે ભારતને 79 રનથી હરાવી હતી. આ હારની સાથે ભારત છઠ્ઠી વાર અંડર 19 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાથી ચૂકી ગયું. ઓસ્ટ્રેલિયાએ ચોથી વાર અંડર 19 વર્લ્ડ કપની ટ્રોફી પર કબ્જો જમાવ્યો. છેલ્લી વાર ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2010માં અંડર 19 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રનનો ટાર્ગેટ કાયમ કર્યો હતો. તેના જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.


