- સરકારી શાળામાં હિન્દુ વિદ્યાર્થીની ધર્મની કોલમમાં મુસ્લિમ લખવામાં આવ્યુ
- મામલો પ્રકાશમાં આવતાં શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ
- શિક્ષણ વિભાગે ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે
રાજસ્થાનમાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. એક સરકારી શાળામાં હિન્દુ વિદ્યાર્થીની ધર્મની કોલમમાં મુસ્લિમ લખવામાં આવી રહ્યું હતું. આ મામલો પ્રકાશમાં આવતાં શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. શિક્ષણ વિભાગે ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે. તેમજ આ શાળામાં વધુ બાળકોના રેકર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ શું છે કોટા ધર્માંતરણ વિવાદ?
શું છે સમગ્ર મામલો?
ધર્મ પરિવર્તનનો મામલો કોટાના સાંગોદ શહેરમાં આવેલી ખજુરી ઓડપુર સ્કૂલનો છે. આ શાળામાં એક હિંદુ વિદ્યાર્થીનીના પરીક્ષા ફોર્મમાં ધર્મ બદલવામાં આવ્યો હતો. આરોપ છે કે શિક્ષકોએ છોકરીના ધર્મની કોલમમાં મુસ્લિમ લખ્યું હતું. તેના ટીસીમાં પણ મુસ્લિમ લખેલું હતું. હિન્દુ સંગઠનો અને વિદ્યાર્થીના પરિવારજનોએ આ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીની સાથે ધર્મ પરિવર્તન અને લવ જેહાદ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બીજી શાળાઓમાં પણ તપાસ ચાલુ
મામલો પ્રકાશમાં આવતાં શિક્ષણ વિભાગે શાળાના ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલામાં પહેલા બે શિક્ષક મુજાહિદ અને ફિરોઝને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે શબાનાને સસ્પેન્ડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલા બાદ શિક્ષણ વિભાગ સક્રિય થઈ ગયું છે. કોટા અને તેની આસપાસની શાળાઓના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
શાળાઓને ધર્મ પરિવર્તનની ધામ બનવા નહીં દઈએઃ શિક્ષણ મંત્રી
રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે રવિવારે જોધપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે, શાળા અને કોલેજોમાં ધર્માંતરણ અને લવ જેહાદને મંજૂરી આપવામાં આવશે નહીં. ન તો શાળાઓને ધર્મ પરિવર્તનની ધામ બનવા દેવામાં આવશે અને ન તો ધર્મ પરિવર્તનનું કોઈ ષડયંત્ર થવા દેવામાં આવશે. આ મામલે જે પણ સંડોવાયેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


