- સંદેશખાલી હિંસા મામલે આરોપી શાહજહાંની ધરપકડ
- 50 દિવસથી પોલીસ શોધી રહી હતી શાહજહાંને
- આ મુદ્દે ભાજપે ટીએમસી પર તાક્યુ નિશાન
પ.બંગાળમાં સંદેશખાલી હિંસા મામલે આરોપી શાહજહાં શેખની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે. જે બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપે ટીએમસી સરકારને ઘેરતા જણાવ્યું કે ભાજપ અને સંદેશખાલીની મહિલાઓએ બંગાળ સરકારને ઘૂંટણિયે લાવી દીધી અને મજબૂરીમાં શાહજહાં શેખની ધરપકડ કરવી પડી.
શું કહ્યું ભાજપે ?
સુકાંત મજમુદારે કહ્યું કે ભાજપના સતત આંદોલનને કારણે આ સરકારને શાહજહાં શેખની ધરપકડ કરવાની ફરજ પડી હતી. અગાઉ આ સરકાર એ પણ સ્વીકારતી ન હતી કે સંદેશખાલીમાં આવું કંઈક થયું છે. અમે પહેલેથી જ કહ્યું હતુ કે આ સરકારને મજબૂર કરીશું, ઘૂંટણિયે લાવશુ કે તેઓ શેખ શાહજહાની ધરપકડ કરવા માટે મજબૂર થઇ જાય. આજે ભાજપના આંદોલન અને સંદેશખાલીની માતા બહેનોના આંદોલનને કારણે સરકાર અને મમતા બેનર્જી શેખ શાહજહાંની ધરપકડ કરવા મજબૂર થઇ છે.
55 દિવસથી હતો ફરાર
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર ટોળાના હુમલા બાદ શાહજહાં શેખ ફરાર હતો અને પોલીસ તેને 50 દિવસથી વધુ સમયથી શોધી રહી હતી. તેના પર સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો પણ આરોપ હતો. આ મામલો કલકત્તા હાઈકોર્ટમાં ગયા બાદ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે પોલીસ સાત દિવસમાં શાહજહાંની ધરપકડ કરશે.
બસીરહાટ કોર્ટ લઇ જવાયો
શાહજહાંની ધરપકડ બાદ પોલીસે કહ્યું કે તેને ઉત્તર 24 પરગણા જિલ્લાના મિનાખાનામાં એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ પછી તેને બસીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને કોર્ટના જ લોકઅપમાં રાખવામાં આવ્યો.


