- વર્ષ 22-23ના રિટર્નમાં મીસમેચના 20 લાખ કેસ નીકળતા નોટિસો
- શેરબજાર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણની વિગતો બતાવવી પડશે
- આઇટી વિભાગ સમયસર ટેકસ ભરીને રિટર્ન ફાઇલ કરી દેવા તાકીદ કરી છે
હાઇવેલ્યૂ ટન્ઝેકશનો કરેલા હશે તેવા કરદાતાઓની યાદી તૈયાર કરવામા આવી રહી છે એટલું જ નહીં 10 લાખથી વધારેની કેસ ડિપોઝિટ કરનારાઓને પણ આવકવેરા વિભાગ નોટિસ ફટકારશે. ગુજરાત સહિત દેશભરમાંથી આઇટી રિટર્નના મીસમેચના 20 લાખથી વધારેના કેસોમાં કરદાતાઓને નોટિસો ઇશ્યૂ કરવાનુ શરૂ કરી દેવામા આવ્યા છે. ટેકસની સાથે રિટર્ન ફાઇલ કરવાનો માર્ચ મહિનો છેલ્લો હોવાથી આઇટી વિભાગ સમયસર ટેકસ ભરીને રિટર્ન ફાઇલ કરી દેવા તાકીદ કરી છે.
હાઇ વેલ્યુ ટ્રન્ઝેકશનો કરેલા હશે તેમને તો નોટિસ આપવામા આવશે.કરદાતાએ તેનો જવાબ પણ આઇટી વિભાગને આપવો પડશે. સંતોષકારક જવાબ આપવામા નહીં આવે તો આઇટી વિભાગ નિયમ મુજબ એક્શન લેશે. વર્ષ 22-23માં રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31.12.23 હતી. જેમણે સમયસર રિટર્ન ફાઇલ કર્યા છે તેમના રિટર્નની સ્ક્રૂટિની કરાતા મિસમેચના કિસ્સા બહાર આવ્યા છે. રિટર્ન ફાઇલ કરતી સાચી માહિતી છુપાવવામા આવી, રોકાણની માહિતી દર્શાવી ના હોય તેવા કિસ્સામાં મિસમેચ થઇ શકે છે. સૂત્રો જણાવ્યુ કે, વર્ષ 22-23 દસ લાખથી વધારે કેસ ડિપોઝિટ કરી હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ મળી શકે છે. કેસ પેમેન્ટથી ખરીદી કરી હોય. બેન્ક ડ્રાફ્ટ,પે-ઓર્ડર ,બેન્કર ચેક, સેવિગ્સ ખાતામાં કેસ ડિપોઝિટ, કરન્ટ ખાતામાં 50 લાખનો ઉપાડ, ખરીદી- વેચાણ 30 લાખ કે વધારે કર્યુ હોય, એક લાખ કે તેનાથી વધારેના ક્રડિટકાર્ડના બિલો, શેર બજારમાં રોકાણ, બોન્ડ કે મ્યુચ્યુલ ફંડમાં રોકાણ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસો મળશે. આવકવેરા વિભાગ પાનકાર્ડના આધારે આવા કરદાતાઓને ઓળખી લીધા છે. માર્ચ મહિનાની શરૂઆતથી નોટિસો મળવાનુ શરૂ થઇ જશે.


