By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    23 minutes ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    1 hour ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી કમિશનર ગોયલનું રાજીનામું : રાજકિય ભૂકંપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ચૂંટણી કમિશનર ગોયલનું રાજીનામું : રાજકિય ભૂકંપ

agragujaratnews
Last updated: 2024/03/11 at 8:31 PM
1 year ago
Share
ચૂંટણી કમિશનર ગોયલનું રાજીનામું : રાજકિય ભૂકંપ
SHARE

ટોચના પદના અધિકારીઓ રાજીનામું આપવાનું કારણ પણ ન જણાવે એ નૈતિક અધ:પતન છે : આ કારણે ચૂંટણીની જાહેરાત પણ મોડી થઇ શકે છે

લોકસભા ચૂંટણી બારણે ટકોરા દઇ રહી છે ત્યારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક જ તેમના પદ ઉપરથી રાજીનામું ધરી દેતાં રાજકિય ભૂકંપ સર્જાયો છે. ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે  ગયા મહિને જ નિવૃત થયા છે. અરુણ ગોયલના આકસ્મિક રાજીનામાથી લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ મોડી જાહેર થઇ શકે છે.

ચૂંટણી પંચમાં હાલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર એક માત્ર સભ્ય છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતાં પહેલાં બે ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવી પડશે. આ માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિ ૧પ માર્ચ પહેલાં ચૂંટણી સમિતિના બન્ને સભ્યોની નિમણૂંક કરી લેશે. મતલબ કે ચૂંટણીની જાહેરાત પણ મોડી થઇ શકે છે.

સવાલ એ નથી કે, ચૂંટણી કમિશનર તેમના પદ ઉપરથી રાજીનામું આપવું. પરંતુ જે સમયે તેમણે રાજીનામુ આપ્યુ એ સમય પણ મહત્વનો છે. ચૂંટણી કમિશનરને રાજીનામુ આપવાનો અધિકાર છે. પરંતુ તેમણે રાજીનામુ આપવાનું કારણ જણાવ્યુ નથી. આથી આખા દેશમાં સસ્પેન્સ ઉભો થયો છે. એક ટોચના અધિકારી દેશની ૧૪૦ કરોડની જનતાને સ્પર્શતા ચૂંટણી જેવા સંવેદનશીલ મામલાની મહત્વની વ્યકિત હોય ત્યારે અંગત કારણોસર રાજીનામુ આપી દયે તો તેમની લોકજવાબદારી અને નૈતિકતા સામે સવાલ થવા જોઇએ. લોકશાહિમાં નોકરશાહિએ હવે એવી પકકડ જમાવી દીધી છે કે તેને રાજકિય ઉપયોગ કરતાં પણ આવડી ગયો છે. અનેક અફસરો સમય જોઇ નોકરીની નાવ છોડી રાજકારણમાં કુદી પડે છે.

ચૂંટણી કમિશ્નર નિવૃત જજ,નિવૃત આઇએએસ વગેરે બાબતે કોઇ સવાલ ઉઠાવાતા નથી. આવી વણલખી આચારસંહિતા આવા ઉચ્ચ પદ બેઠેલા લોકોને લોકોથી પર થઇ કોઇ પણ નિર્ણય લેવા માટે વધુ સ્વતંત્રતા આપે છે. ચૂંટણી કમિશનર રાજીનામુ આપે આખા દેશમાં એ મુખ્ય સમાચાર બને છતાં તેના રાજીનામા પાછળ દેશ આખો અટકળ કરતો રહે તે કઇ વ્યવસ્થા. સામાન્ય સરકારી કર્મચારીને નોકરીમાં એક દિવસની રજા જોઇતી હોય તો તેમણે લીવ રિપોર્ટમા વેલીડ રિઝન આપવુ પડે છે. જે ચૂંટણી કમિશનર સમગ્ર ચૂંટણીની વ્યવસ્થા ગોઠવે છે તે વ્યવસ્થામાં કોઇ સરકારી કર્મચારી પોતાના ઘેર પ્રસંગ હોય કે કોઇ મેડિકલ રિઝન હોય તો ચૂંટણી ફરજમાં હાજર ન રહી શકે તો તેના પુરાવા આપવા પડે છે. તેમની સામે ગુનેગારો જેવી પૂછપરછ થાય છે. બ્લડ રિલેશનમાં લગ્ન હોય તો કંકોતરી પુરાવા સ્વરુપે રજૂ કરવી પડે છે. મેડિકલ રિઝન હોય તો ડોકટરના સર્ટિફિકે અને કેટલાંક કિસ્સમા સ્થાનિક અધિકારી વધુ કડક હોય તો સિવિલ સર્જનના એટલે કે સરકારી હોસ્પિટલના સર્ટિફિકેટ આપવાં પડે છે.

આમ સતાની ટોચે કોઇ પણ નિર્ણય લેવા માટે કોઇ પાબંદી નથી. કોઇ આચાર સંહિતા નથી. કોઇ સરકારી નિયમો લાગુ પડતાં નથી. આ અધિકારીઓ દેશ સેવા કરતાં હોય તેવો ઘાટ છે. પરંતુ જે તે જવાબદાર અધિકારીને સિસ્ટમે જ આ પાવર આપ્યો છે અને લોકશાહિના ભલા  માટે આ સતા આપી છે એ ભૂલવુ ન જોઇએ. લોકશાહિમાં સનસનાટી અને સસ્પેન્સનું આ તત્વ અનપેક્ષિત છે. આજે દેશભરના માધ્યમમાં ચૂંટણી કમિશનર ગોયલનુ રાજીનામુ અટકળનું કારણ બન્યુ છે. વિપક્ષો તેને સતાપક્ષના દબાણનું કારણ ગણાવી આક્ષેપ કરે છે. સતાપક્ષ ક્ષોભમાં પડયો છે. પ્રજા સંશયમાં છે. કરોડો દેશવાસીઓની અટકળનું કારણ એક વ્યકિત એક હોદો બને એ પણ તંદુરસ્ત પ્રણાલી નથી. આપણી લોકશાહિના ચાર સ્થંભમાંથી વહિવટી સ્થંભને વધુ જવાબદેહી બનાવવો પડશે. ખાસ કરીને ટોચ ઉપર જે અફસરશાહિ છે તેને વધુ જવાબદેહી અને નૈતિક બંધનથી જોડવો પડશે. લોકશાહિની સંગીન બાબતો ઘણી છે.પણ સમગ્ર ચૂંટણી વ્યવસ્થાને વધુ વિશ્વસનિય વધુ પારદર્શક બનાવવી પડશે.

 

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
સ્પોર્ટ્સ

WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર

By 4 days ago
International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?