- ઉત્તરપ્રદેશના ઔરૈયામાં બે બાઇક સામસામે અથડાયા હતા
- આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં
- જેમાંથી બે લોકોને હિસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યાં
ઉત્તરપ્રદેશના ઔરૈયામાં બે બાઇક સામસામે અથડાયા હતા. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક યુવકના એક મહિના પહેલા લગ્ન થયા હતા. આ અકસ્માત કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ડોરી ગામ પાસે થયો હતો. અકસ્માત બાદ તરત જ ઘાયલોને સીએચસી અજીતમલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના ઔરૈયામાં બે બાઇક સામસામે અથડાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, મોહિત અને શિવમ બાઇક પર મુરાદગંજ તરફ જઈ રહ્યા હતા. ત્યારે બીજી બાજુથી આવી રહેલી બાઇક સાથે તેઓ અથડાયા હતા. બીજી બાઇક પર સચિન અને દિનેશ નામના યુવકો બેઠા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મોટરસાયકલના ટુકડા થઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ દિનેશ બાબુ અને મોહિતને મૃત જાહેર કર્યા હતા.
ટક્કરથી બાઇકના ફુરચા ઉડી ગયા હતા
પોલીસ એરિયા ઓફિસર મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે ગામ ડોરીની સામે બે મોટરસાઈકલ સામસામે અથડાઈ. જેમાં ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ માહિતી મળતાં જ ઔરૈયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચારેય ઘાયલોને સીએસસી અજીતમલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિને તબીબે મૃત જાહેર કર્યા હતા.
મૃતકના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને મૃતકો કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના સલૈયા અને શાહપુરના રહેવાસી હતા. આ અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે, પંચાયતે લાશમાં મીઠું ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. મૃતક દિનેશના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા.દિનેશ ચાર બહેનોમાં એકલો હતો. તેની પત્નીને કેવી રીતે ખબર પડી કે તેનું લગ્ન આટલું જલ્દી સમાપ્ત થઈ જશે?


