- ધો.10નું પરિણામ ઊંચું આવતાં કોઈ સમસ્યા નહીં
- ધો.11 વિ. પ્રવાહની પ્રવેશ પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરાશે
- વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે તેવુ આયોજન શિક્ષણ તંત્ર દ્વારા થઇ રહ્યુ
હાલમાંજ ધોરણ 10 નુ પરિણામ આવતા આ વર્ષે ખુબ ઊંચુ પરિણામ આવેલ છે તેમ છતાં વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે તેવુ આયોજન શિક્ષણ તંત્ર દ્વારા થઇ રહ્યુ છે
ભરૂચ જિલ્લામાં ધો.10ના પરિણામ બાદ હાલ શાળાઓની પરિસ્થિતિ જોતા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની સરકારી 02 હાસોટ અને વાગરા ખાતે 02 સરકારી શાળાઓ, 16 ગ્રાન્ટેડ શાળાઓ અને 49 જેટલી સેલ્ફ્ ફઇનાન્સ શાળાઓ આવેલી છે. દર વર્ષે અંદાજિત 3,100 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં નોંધાય છે. જ્યારે શાળાઓમાં 4000 જેટલી સીટ ઉપલબ્ધ રહેશે તેથી પ્રવેશ મેળવવામાં કોઈ સમસ્યા નહીં રહે. જ્યારે સામાન્ય પ્રવાહ 154 જેટલી શાળાઓ જિલ્લામાં આવેલી છે. અંદાજે 9000 જેટલી સીટ સામાન્ય પ્રવાહમાં ઉપલબ્ધ બનશે.
ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ડિપ્લોમા અને આઈટીઆઈના કોર્સમાં જતા હોય પ્રવેશ સંદર્ભે દરેકને પૂરતી સીટ ઉપલબ્ધ બનશે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયા આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શરૂ કરવામાં આવશે.
આ માટે જરૂરી દસ્તાવેજો વાલી દ્વારા તૈયાર રાખવામાં આવે તો પ્રવેશ સમયે અંતિમ ઘડીએ દોડાદોડી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.હજી પણ પ્રવેશ અંગે શિક્ષણ તંત્ર દ્વારા વિવિધ આયોજન કરાઈ રહ્યુ છે.
નાપાસ છાત્રો માટે પુરક પરીક્ષા યોજાશે
હાલમાં ધો 10નું ઊંચુ પરિણામ આવેલ છે, ત્યારે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં હજી વધારો થાય તેવી સંભાવના છે હાલમાં એકાદ બે વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજાશે અને તેથી ધો 10 માં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.


